જૂનાગઢ: PM મોદી આવતીકાલે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. PM મોદી 23 ઓગસ્ટે સવારે 9.30 વાગ્યે સુરત એરપોર્ટ પહોચશે. સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા વલસાડ જશે. PM મોદી 12 વાગ્યા સુધી વલસાડના એક કાર્યક્રમમાં રોકાશે. વલસાડ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ જૂનાગઢ જવા રવાના થશે.
તેઓ જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. 600 કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં 700 જેટલા બેડ મુકવામાં આવ્યા છે. અદ્યતન ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવેલી આ હોસ્પિટલમાં ફ્રી માં દર્દીઓને સેવા આપવામાં આવે છે.
આ હોસ્પિટલમાંથી દરરોજ 1200 જેટલા દર્દીઓ ઓપીડીમાં સારવાર લેતા હોય છે. જ્યારે આ હોસ્પિટલમાં દર મહિને 600 જેટલી મહિલાઓની પ્રસૂતિ કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન એક્સરે મશીન અને અદ્યતન મશીનો પણ મુકવામાં આવી છે.
જે રીતે જૂનાગઢ પ્રત્યે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લાગણી પહેલેથી રહેલી છે. વડાપ્રધાનને મળવા અને સાંભળવા સમગ્ર સૌરાષ્ટ્રના તમામ સમાજના આગેવાનો અને તમામ સમાજના લોકો પણ જૂનાગઢ આવશે નરેન્દ્ર મોદીના સ્વાગતમાં અને તંત્ર દ્વારા પણ તમામ ત્યારી પૂર્ણ કરવામાં આવી છે. આ લોકાર્પણ કર્યા બાદ ફરીવાર જલ્દી રોપવેનું લોકાર્પણ કરવામાં આવે તેવી જૂનાગઢની જનતા આશા રાખી રહી છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી જૂનાગઢમાં 3 કરોડ 62 લાખના કામોનું લોકાર્પણ કરવાના છે. પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 7 SP 16 DYSP 1600 પોલીસ જવાન સુરક્ષામાં તૈનાત રાખવામાં આવ્યા છે.