વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ મહારાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રના યવતમાલમાં સંબોધન કર્યું. પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં સંત-મહંતોને યાદ કર્યા. પીએમ મોદીની આ સભામાં સીએમ ફડણવીસ ઉપસ્થિત રહ્યાં. પીએમ મોદીએ સંબોધનની શરૂઆત મરાઠીમાં કરી હતી.
પુલવામા હુમલા બાદ જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોના સર્ચ ઓપરેશન વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ યવતમાલની રેલીમાં મોટી જાહેરાત કરી.
પીએમ મોદીએ જણાવ્યું કે પુલવામાના ગુનેગાર છુપાઇ શકશે નહીં સજા જરૂર મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન ઘણું મહત્વપૂર્ણ માનવમાં આવી રહ્યું છે.
પીએમ મોદીએ મહારાષ્ટ્રના યવતમાલમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ સંબોધન કરતા પુલવામાના શહીદોને યાદ કર્યા. પીએમ જણાવ્યું કે શહીદોનું બલિદાન વ્યર્થ નહી જાય. મને ખબર છે આતંકી હુમલાને લઇને દેશમાં રોષ છે.
અમે સુરક્ષાબળોને ખુલ્લી છુટ આપી છે. પીએમ મોદીએ જણાવ્યું કે શહીદોના પરિવારોનું પીડા હું સમજી શકું છે. પીએમએ પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા. મોદીએ કહ્યું કે ધૈર્ય રાખો દેશના જવાનો જવાબ આપશે. હવે સમય અને સ્થ અમે નક્કી કરીશું.
પીએમ મોદીએ પરિયોજનાઓ અંગે પણ જાણકારી આપી. પીએમએ કહ્યું કે શેતકારી સમાજ સાથે અમે લાંબો સંવાદ કર્યો. તેમની સાથે ધુમંતુ અને બંજારા સમાજ છે તેમના માટે પણ મોટી યોજનાની જાહેરાત કરાઇ છે.