PM નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓએ આજે હિંમતનગરની સાબર ડેરીના 3 મોટા પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું.
PM મોદીએ સાબર ડેરીના 3 મોટા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું
2001માં લોકો એમ કહેતા કે સાહેબ સાંજે વાળું કરવા તો વીજળી આપો: PM
ડેરીએ અર્થવ્યવસ્થાને સ્થિરતા આપી અને પ્રગતિના નવા અવસર આપ્યા: PM
PM મોદીએ સાબર ડેરીમાં દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ, 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. સાથે પાંચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામેલ ચીઝ પ્લાન્ટનું પણ વડાપ્રધાને ભૂમિપૂજન કર્યું હતું.
The work of formation of 10,000 Farmer Producer Associations (FPOs) is going on in full swing in the country. Through this, small farmers will be able to directly connect with the food processing, value linked export & supply chain. It will benefit the farmers of Gujarat: PM pic.twitter.com/MG0y1vMXU1
સાબરકાંઠાનો કોક જ એવો ભાગ હશે જ્યાં હું ગયો ન હોઉં
એ દરમ્યાન PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, 'સાબરકાંઠામાં આવીએ એટલે કંઇ નવું ન લાગે. પણ રોજ કંઇક નવું થતું દેખાય. સાબરકાંઠામાં કદાચ કોઇક જ એવો ભાગ હશે કે જ્યાં મારું જવાનું ન થયું હોય અને સાબરકાંઠામાં આવીએ એટલે બધું યાદ આવે. બસ સ્ટેશન પર ઉભા હોઇએ અને ખેડ...ખેડ...ખેડ, વડાલી...વડાલી...વડાલી, ઇડર, વડાલી, ખેડ, ભિલોડા. હેડો..હેડો...હેડો. અને આજે પણ જ્યારે સાબરકાંઠા આવું એટલે એ અવાજ ગુંજતા હોય છે.'
ડેરીએ અર્થવ્યવસ્થાને સ્થિરતા આપી અને પ્રગતિના નવા અવસર આપ્યા: PM
વધુમાં PM મોદીએ કહ્યું કે, 'કૃષિના ક્ષેત્રમાં અને પશુપાલનના ક્ષેત્રમાં આપણે ખૂબ વૃદ્ધિ કરી અને ડેરીએ તેને ખૂબ મોટી તાકાત આપી. અર્થવ્યવસ્થાને પણ ડેરીએ સ્થિરતા આપી. ડેરીએ પ્રગતિના નવા અવસર પણ આપ્યા. પ્લાસ્ટિક આપણા પશુઓના સ્વાસ્થ્ય માટે દુશ્મન પુરવાર થાય છે. આથી આપણે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો.'
વધુમાં PM મોદીએ વીજળીને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, 'હું જ્યારે 2001માં આવ્યો ત્યારે લોકો એમ કહેતા હતા કે સાહેબ સાંજે વાળું કરવા માટે તો વીજળી આપો. ગુજરાતમાં સાંજે વીજળી ન હોતી મળતી. આપણે જ્યોતિગ્રામ યોજનાનું અભિયાન ચલાવ્યું, આજે 20-22 વર્ષની જે દીકરા-દીકરીઓ હશે ને એને તો ખબર નહીં હોય કે અંધારુ કોણે કહેવાય અને ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના લાવ્યા અને જ્યોતિગ્રામ યોજનાએ ખાલી ગુજરાતના ઘરોમાં અજવાળું કર્યું, TV ચાલુ કરાય એટલું નહીં પણ અમારા ગામડામાં ડેરીને મિલ્કચિલિંગ ઉભા કરવામાં આ વીજળીએ મોટામાં મોટી મદદ કરી. જેના કારણે દૂધનું કનેક્શન વધ્યું અને દૂધ બગડતું બચ્યું. ગાડી લેવા આવે ત્યાં સુધી ચિલિંગ પ્લાન્ટમાં દૂધ સચવાઇ રહે અને એના કારણે વેસ્ટેજ પણ બચવા માંડ્યું. આ વીજળીની તાકાત છે કે જેના કારણે આ શક્ય બન્યું.'
आज साबर डेयरी का विस्तार हुआ है।
सैकड़ों करोड़ रुपए के नए प्रोजेक्ट यहां लग रहे हैं।
आधुनिक टेक्नॉलॉजी से लैस मिल्क पाउडर प्लांट और ए-सेप्टिक पैकिंग सेक्शन में एक और लाइन जुड़ने से साबर डेयरी की क्षमता और अधिक बढ़ जाएगी: PM @narendramodi
'આજે સાબર ડેરીનો વિસ્તાર થયો છે. અહીં સેંકડો કરોડના નવા પ્રોજેક્ટ્સ સ્થપાઈ રહ્યાં છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ મિલ્ક પાવડર પ્લાન્ટ અને એ-સેપ્ટિક પેકિંગ વિભાગમાં વધુ એક લાઇનનો ઉમેરો થતા સાબર ડેરીની ક્ષમતામાં હજુ અનેક ગણો વધારો થશે.'
देश में आज 10 हज़ार किसान उत्पादक संघ - FPOs के निर्माण का काम तेज़ी से चल रहा है।
इन FPOs के माध्यम से छोटे किसान फूड प्रोसेसिंग से जुड़ी, एक्सपोर्ट से जुड़ी वैल्यू और सप्लाई चेन से सीधे जुड़ पाएंगे।
इसका बहुत अधिक लाभ गुजरात के किसानों को भी होने वाला है: PM @narendramodi
આજે દેશમાં 10,000 ફાર્મર પ્રોડ્યુસર એસોસિએશનની રચનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે
PMએ જણાવ્યું કે, 'આજે દેશમાં 10,000 ફાર્મર પ્રોડ્યુસર એસોસિએશન (FPO) ની રચનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ FPO દ્વારા નાના ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ, વેલ્યુ લિન્ક્ડ એક્સપોર્ટ અને સપ્લાય ચેઈન સાથે સીધા જોડાઈ શકશે. જેનાથી ગુજરાતના ખેડૂતોને પણ અનેક ગણો ફાયદો થશે.'