પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરપ્રદેશનાં લખનૌમાં આજે ન્યુ અર્બન ઈન્ડિયા થીમ પર આયોજિત ત્રણ દિવસના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં 75000 લાભાર્થીઓ માટે મહત્વની જાહેરાત થઈ હતી.
દેશના આઝાદીના 75 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમા સરકાર દ્વારા મનાવવામાં આવી રહેલા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રિય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ન્યુ અર્બન ઈન્ડિયા થીમ પર આયોજિત ત્રણ દિવસના કાર્યક્રમનો મંગળવારે પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન થયું હતું.
પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરપ્રદેશનાં 75 જિલ્લાઓમાં રહેતા 75000 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના- અર્બન હેઠળ ડિજિટલ ચાવી સોંપી હતી. આ ઉપરાંત તેમણે લભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
આ કાર્યક્રમમાં કેન્દ્રિય શહેરી કરી મંત્રાલયના સચિવ દુર્ગાશંકર મિશ્રા અને મુખ્ય સચિવ ડો. રજનીશ ડૂબે સહિત અન્ય અધિકારીઑ કાર્યક્રમની તૈયારીઓની નિગરાની કરી રહ્યા છે.
ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન પહોંચ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લખનૌમાં આવેલા ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન પહોંચ્યા હતા. PM મોદી લખનૌમાં અર્બન કોંકલેવમાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રિય મંત્રી હરદીપ સિંહ પૂરી, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.
PM મોદીએ મજાકના સ્વરમાં લાભાર્થીઓ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે હવે તો તમારા ઘરે મહેમાનો વધી જશે માટે ખર્ચ પણ વધશે.
Lucknow: Prime Minister Narendra Modi interacts with the beneficiaries of Pradhan Mantri Awas Yojana - Urban (PMAY-U) houses in Uttar Pradesh, virtually pic.twitter.com/dBs6XQqFYk
આધુનિક સમયમાં યુપીના શહેરોમાં વિકાસ
આ દરમિયાન, કેન્દ્રીય સચિવે નિર્દેશ આપ્યો હતો કે સ્ટોલ એવી રીતે તૈયાર કરવા જોઈએ કે સ્ટોલના મુલાકાતીઓને કોઈ અસુવિધા ન થાય. વળી, આવવા -જવાના માર્ગમાં કોઈ પણ પ્રકારની અડચણ ન પડવી જોઈએ. તેમણે કહ્યું કે સ્ટોલમાં આધુનિક ટેકનીક એવી રીતે પ્રદર્શિત થવી જોઈએ કે જેથી પ્રેક્ષકો સમજી શકે કે આધુનિક સમયમાં યુપીના શહેરોમાં વિકાસમાં મોટો ફેરફાર થયો છે.
આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે પ્રધાનમંત્રીજીએ નવા ભારતનું સ્વપ્ન જોયું છે. લખનૌમાં અર્બન કોન્કલેવ થકી શહેર અને બીજા વિકસતા શહેરોનો ઝડપી વિકાસ થશે. જે દેશના ટ્રાન્સફોર્મેશનમાં મોટું યોગદાન આપશે
શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ કહ્યું હતું કે, રાષ્ટ્રીય, ઓલિમ્પિક અને આંતરરાષ્ટ્રીય ધોરણો પર આધારિત રમત સંકુલ ગોરખપુરના રામગતાલ તળાવ પર બનાવવામાં આવી રહ્યું છે, જે દેશમાં આ પ્રકારનું પ્રથમ હશે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. ફેવો રોબોટિક સ્ટોલના સંબંધમાં તેમણે કહ્યું કે આ ટેકનોલોજીની મદદથી બાંધકામના કામો સરળ બનશે અને મજૂરી ખર્ચ પણ ઓછો થશે.
કેન્દ્રિય મંત્રી હરદિપુરિએ કહ્યું હતું કે 2004 થી 2014 દરમિયાન કેન્દ્રિય યોજના પર 1 કરોડ 57 લાખ શહેરી ઇન્વેસ્ટમેન્ટ હતું અને હવે છ વર્ષ બાદ સાત ગણુ વધીને 11 કરોડ જેટલું વધી ગયું છે . યોગી મુખ્યમંત્રી બન્યા અગાઉ 2015 બાદ 20 મહિનામાં યુપીમાં માત્ર 20 હજાર આવાસ બન્યા હતા અને હવે 20 મહિનામાં અહી 20 લાખ સુધી આંકડો પહોંચ્યો છે.