ભારતમાં જી20ની અધ્યક્ષતાનાં લોગો, થીમ અને વેબસાઇટ લોન્ચ કર્યાં બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોગો અને થીમ થકી આપણે એક સંદેશો આપ્યો છે. 1 ડિસેમ્બરથી ભારત G20ની અધ્યક્ષતા કરશે. ભારત માટે આ ઐતિહાસિક અવસર છે.
ભારતની અધ્યક્ષતાનાં જી20નાં લોગો અને થીમનું લોન્ચિંગ
જી20ની અધ્યક્ષતાનો મોટો અવસર આવ્યો છે- પીએમ
વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચરની કરી વાત
પ્રધાનમંત્રી મોદીએ આજે ભારતની અધ્યક્ષતા ધરાવતી G20નાં લોગો, થીમ અને વેબસાઇટનું લોન્ચિંગ કર્યું. આ લોગો, થીમ અને વેબસાઇટ ભારતનાં સંદેશાઓ અને દુનિયા પ્રત્યે તેની વ્યાપક પ્રાથમિકતાઓનું પ્રતિબિંબ પૂરું પાડે છે. પીએમ મોદીએ કહ્યું કે 'ભારતની જી20 અધ્યક્ષતાનાં ઐતિહાસિક અવસર પર દેશવાસિઓને શુભેચ્છાઓ પાઠવું છું.'
'વસુધૈવ કુટુમ્બકમ'નો સંદેશ
'વસુધૈવ કુટુમ્બકમ' વિશ્વ પ્રતિ ભારતની કરૂણાનું પ્રતિક છે. આ લોગોમાં કમળનું ફુલ ભારતની પૌરાણિક ધરોહર, આપણી આસ્થા અને બૌધિકતાને ચિત્રિત કરે છે. જી20ની અધ્યક્ષતા માટેનો ભારતનો લોગો અને થીમ દુનિયાને સંદેશો પાઠવે છે.
भारत ने वन सन, वन वर्ल्ड, वन ग्रिड के मंत्र के साथ विश्व में अक्षय ऊर्जा क्रांति का आह्वान किया है। भारत ने वन अर्थ, वन हेल्थ के मंत्र के साथ वैश्विक स्वास्थ्य को मजबूत करने का अभियान शुरू किया है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/bkWbR1OXWl
વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચરની કરી વાત
પીએમએ કહ્યું કે ભારત એક તરફ વિકસિત દેશો સાથે ઘાઢ સંબંધ રાખે છે અને સાથે જ વિકાસશીલ દેશોનાં દ્રષ્ટિકોણમને પણ સારી રીતે સમજે છે, તેની અભિવ્યક્તિ કરે છે. આપણો પ્રયત્ન રહેશે કે વિશ્વમાં કોઇપણ ફર્સ્ટ વર્લ્ડ કે થર્ડ વર્લ્ડ ન હોય, માત્ર વન વર્લ્ડ હોય. ભારતને વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડનાં મંત્રની સાથે વિશ્વમાં નવી ઊર્જા ક્રાંતિનું આહવાન કર્યું છે. આજે પણ જી20માં આપણો મંત્ર વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર રહેશે.
દેશવાસિયોની મોટી ભૂમિકા રહી છે- પીએમ
પીએમ મોદીએ કહ્યું કે આજે આ લોગો લોન્ચ થયો છે તેનાં નિર્માણમાં પણ દેશવાસિયોની મોટી ભૂમિકા રહી છે. અમે લોગો માટે દેશવાસિઓ પાસેથી તેમનાં મુલ્યવાન સૂચનો માંગ્યા હતાં. આજે તે સૂચનો આટલાં મોટા વૈશ્વિક આયોજનનો ચહેરો બની રહ્યાં છે. આ લોગો અને થીમ થકી આપણે એક સંદેશો આપ્યો છે. યુદ્ધ માટે બુદ્ધનો સંદેશો છે. હિંસાનાં પ્રતિરોધમાં મહાત્મા ગાંધીએ જે સમાધાન આપ્યું છે. G20 થકી ભારત પોતાની વૈશ્વિક પ્રતિષ્ઠાને નવી ઊર્જા આપી રહ્યું છે.
જી20ની અધ્યક્ષતાનો મોટો અવસર આવ્યો છે- પીએમ
તેમણે કહ્યું કે G20નો આ લોગો ન કેવળ ચિહ્ન છે પરંતુ એક સંદેશો છે. એક ભાવનાં છે જે આપણી નસોમાં છે. આ એક સંકલ્પ છે જે આપણાં વિચારોમાં સમાવિષ્ટ છે. આઝાદીનાં અમૃતકાળમાં દેશની સામે આ જી20ની અધ્યક્ષતાનો કેટલો મોટો અવસર આવ્યો છે. આ દરેક ભારતવાસી માટે ગર્વની વાત છે.
ભારતને સમજવા માટે જિજ્ઞાસા છે- મોદી
તેમણે કહ્યું કે આજે વિશ્વમાં ભારતને જાણવા માટે, ભારતને સમજવા માટેની એક અભૂતપૂર્વ જિજ્ઞાસા છે. આજે ભારતનું એક નવાં આલોકમાં અધ્યયન કરવામાં આવી રહ્યું છે. આપણી વર્તનાનની સફળતાઓનું આકલન કરવામાં આવી રહ્યું છે. આપણા ભવિષ્યને લઇને અભૂતપૂર્વ આશાઓ પ્રગટ કરવામાં આવી રહી છે.