YUVA સ્કીમનો ઉદ્ધેશ ભારતીય વિરાસત, સંસ્કૃતિ અને જ્ઞાનને આગળ વધારવા માટે 30 વર્ષથી ઓછી ઉંમરના લેખકો માટે એક પુલ બનાવવાનો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી યોજના
ત્રીસ વર્ષથી ઓછી ઉંમરના લોકો લઈ શકશે ભાગ
આ યોજનાનું નામ YUVA છે
ઘણા લોકોને વાંચવા લખવાનો શોખ હોય છે. તેમાંથી અમુક લોકો લેખક પણ બનવા ઈચ્છતા હોય છે. પરંતુ ઉચીત પ્લેટફોર્મ ન મળવાના કારણે તેમની આ ઈચ્છા પુરી નથી થઈ શકતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક યોજના લોન્ચ કરી છે જેમાં જો તમારી ઉંમર 30 વર્ષથી ઓછી છે તો તમે તેમાં ભાગ લઈ શકો છો. કેન્દ્ર સરકારની આ યોજનાનું નામ YUVA છે. તેના દ્વારા યુવા લેખકોને લેખન દ્વારા ભારતીય વિરાસત અને ઈતિહાસને આગળ વધારવાનો મોકો આપવામાં આવશે. આ યોજના હેઠળ પસંદ કરવામાં આવેલા લેખકોને દર મહિને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી આપી જાણકારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિષે ટ્વીટ કરતા કહ્યું કે આ યોજનાનો ઉદ્દેશ ભારતીય વિરાસત, સંસ્કૃતિ અને જ્ઞાનને આગળ વધારવા માટે 30 વર્ષથી ઓછી ઉંમરના લેખકોનો એક સમુહ બનાવવાનો છે. આ યોજના યુવકોને લેખન દ્વારા દેશના બૌદ્ધિક ડિસકોર્સમાં યોગદાન આપવા માટે એક સારો અવસર આપે છે.
Here is an interesting opportunity for youngsters to harness their writing skills and also contribute to India's intellectual discourse. Know more... https://t.co/SNfJr7FJ0Vpic.twitter.com/rKlGDeU39U
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટર પર એક લિંક પણ શેર કરી છે. જેમાં યોજના વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 યુવાનોને સશક્ત બનાવવા અને ઈકોસિસ્ટમ બનાવવા પર જોર આપે છે. જેનાથી તે ભવિષ્યની નેતૃત્વ ભુમિકાઓ માટે તૈયાર થઈ શકે.
દર મહિને આપવામાં આવશે 50 હજાર
આ યોજના વિષે સરકારના ટ્વીટર એકાઉન્ટ, 'માયજીઓવીહિંદી'એ જણાવ્યું કે યોજના હેઠળ 75 પસંદ કરેલા લેખતોને 50 હજાર રૂપિયા મહિનાની છાત્રવૃત્તિ પણ આપવામાં આવશે. જણાવી દઈએ કે આ યોજના હેઠળ આવા લેખતોનું એક પુલ બનાવવામાં આવશે. જેમની ઉંમર 30 વર્ષથી ઓછી છે અને તે ભારતીય સંસ્કૃતિ, સાહિત્યને વિશ્વસ્તર પર મુકવા માટે તૈયાર હોય. તેને દેશની બહાર અન્ય પ્લેટફોર્મ્સ પર ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય વિશે બાકી લોકોને જાણકારી મળી શકશે.