જમ્મુ-કાશ્મીરને પ્રધાનમંત્રી મોદીએ શનિવારે મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના લોન્ચ કરી હતી. આ અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુવાહાટીથી વીડિયો કોન્ફરન્સિગના માધ્યમથી જોડાયા હતા.
જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર સરકારની મોટી ભેટ
કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના PM મોદીએ કરી લોન્ચ
પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીને કર્યા યાદ
આ કાર્યક્રમમાં કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપ રાજ્યપાલ મનોજ સિંહા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લોન્ચિં બાદ પ્રધાનમંત્રી મોદીએ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે- આજે જમ્મુ-કાશ્મીર માટે ઐતિહાસિક દિવસ છે. આજથી જમ્મુ-કાશ્મીરમાં લોકો આયુષ્યમાન યોજનાનો લાભ ઉઠાવી શકશે.
પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીને કર્યા યાદ
Jammu and Kashmir has won Mahatma Gandhi's vision of 'gram swaraj': PM Narendra Modi on DDC elections, during his address at the launch of Ayushaman Bharat PM-JAY SEHAT scheme for residents of J&K https://t.co/k16LxNiQLR
તેમણે વધુમાં આ જણાવ્યું કે, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને યાદ કરતા હતા કે તેઓ જમ્મુ-કાશ્મીને ખૂબ પસંદ કરે છે. તેમણે માનવતા અને કાશ્મીરિયત જેવા નારાઓએ આપણને પ્રેરણા આપી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- જમ્મુ-કાશ્મીર પ્રશાસના લોકોનો વિશ્વાસ મજબૂત કર્યો છે. અહીં પારદર્શી ચૂંટણી યોજવી એ ગર્વની વાત છે.
જનતા માટે છોડી ખુરશી
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે, મહાત્મા ગાંધીએ ગ્રામ સ્વરાજનો નારો આપ્યો છે. અમે તેમના સપનાને પૂર્ણ કર્યા છે. તેમણે એવું પણ કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીરમાં સરકારનો હિસ્સો હતા પરંતુ સરકારનો સાથે છોડી દીધો કારણ કે, અમે પંચાયતી રાજની સંસ્થાઓને મજબૂત કરવા માગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે, પંચાયતી રાજ સંસ્થાનો માટે પણ ચૂંટણી યોજાય અને અમે ખુરશી પ્રજા માટે છોડી દીધી.
There was a time, we were a part of the Jammu and Kashmir government but we broke the alliance. Our issue was that panchayat elections should be held and people be given their due rights to choose their representatives: PM Narendra Modi pic.twitter.com/OAsb9WjRda
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, દિલ્હીમાં ઘણા લોકો છે જેઓ મને કોસતા છે, મારી સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, જુઓ કે જમ્મુ-કાશ્મીરમાં સફળતાપૂર્વક ચૂંટણી યોજાઇ છે. જે લોકો મને લોકશાહી પર ભાષણ આપે છે તેઓએ યાદ રાખવું જોઈએ કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ પુડુચેરીમાં પંચાયતની ચૂંટણીઓ યોજાઇ નથી.
શાહે કહ્યું - નવા યુગની શરૂઆત
આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના દરેક વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે. દરેક કાશ્મીરીઓ આ યોજનાનો લાભ લઈ શકશે. આ માટે, 229 સરકારી હોસ્પિટલો અને 35 ખાનગી હોસ્પિટલોની સૂચિબદ્ધ કરવામાં આવી છે. તેમણે એલજી મનોજ સિંહાને યશ આપ્યો અને કહ્યું કે પીએમ મોદી હંમેશા કહે છે કે વિકાસ ભૂમિ સ્તરે પહોંચવો જોઈએ.
તાજેતરની ડીડીસીની ચૂંટણી અંગે શાહે કહ્યું હતું કે ડીડીસીની ચૂંટણીમાં લોહીનો એક ટીપું પણ વહેવાયો ન હતો. ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાઇ હતી. શાહે કહ્યું, ડીડીસીની ચૂંટણી બાદ વિકાસ ગામડે પહોંચશે, ઘરે પહોંચશે. કેન્દ્ર સરકારના નાણાં હવે જમ્મુ-કાશ્મીર સરકારને બદલે જિલ્લા વિકાસ પરિષદમાં જશે, જેથી તેઓ આ વિસ્તારના વિકાસ માટેના માર્ગમેપનું કામ કરશે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર વિકાસને વેગ મળ્યો છે અને તે શાંતિનો અનુભવ કરી રહ્યો છે.