કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને લઇને થ્રી પીની થીયરી જણાવી હતી. કર્ણાટક પરિણામ બાદ પીએમ મોદી દ્વારા કોંગ્રેસ માટે ઉપયોગ PPP ની પરિભાષા સાચી સાબિત થઇ છે. કારણ કે હવે કોંગ્રેસના હાથથી કર્ણાટક પણ નિકળી ગયું છે અને ભાજપ સત્તા પર આવે એવું દેખાઇ રહ્યું છે.
વાસ્તવમાં પીએમ મોદીએ કર્ણાટક ચૂંટણીમાં રેલી દરમિયાન કોંગ્રેસને થ્રી પી પાર્ટી જણાવી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે 15 મે કર્ણાટક ચૂંટણીના પરિણામ આવશે અને ત્યાર બાદ કોંગ્રેસ PPPમાં જ રહેશે. PPPની પરિભાષા જણાવતાં પીએમ મોદીએ કહ્યું હતું કે હવે કોંગ્રેસ પોંડિચેરી પંજાબ અને પરિવાર પૂરતી મર્યાદિત રહી જશે અને આ એમનું અત્યાર સુધી કરેલા કામનો પુરાવો હશે.
Come 15th May the Indian National Congress will become the PPP Congress (Punjab Puducherry and Parivar Congress).
એ સમયે પીએમ મોદીના થ્રી પી પાર્ટી વાળા નિવેદનો પર કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ પલવાર કર્યો હતો. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે ભાજપ પહેલાથી થ્રી પી પાર્ટીનો પુરસ્કાપ મેળવીને બેઠી છે. જવાબમાં સિદ્ધારમૈયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે એ લોકતંત્રમાં થ્રી પી વાળી ફોર્મૂલાને માને છે. ઓફ ધ પીપલ બાય ધ પીપલ ફોર ધ પીપલ...એટલે કે જનતાનું જનતા માટે. જ્યારે તમારી પાર્ટીનો 3 પી નો મતલબ છે પ્રિઝન એટલે જેલ પ્રાઇસ રાઇઝ અને પકોડા પાર્ટી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસની સતત હાર થઇ રહી છે. કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ જો કોંગ્રેસમા ખાતામાં કોઇ રાજ્ય આવે છે તો એ એક માત્ર પંજાબ છે.