કોરોના અને ઓમિક્રોનના વધતી ચિંતા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત અને કુવૈતનો પ્રવાસ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
ઓમિક્રોન અને કોરોનાના વધતા કેસ વચ્ચે મોટા સમાચાર
PM મોદીએ રદ્દ કર્યો વિદેશ પ્રવાસ
ફેબ્રુઆરીમાં ગોઠવાઈ શકે છે રિશિડ્યૂલ
પ્રધાનમંત્રી મોદી આ બંન્ને રાષ્ટ્રોનો પ્રવાસ (PM Narendra Modi UAE-Kuwait Visit) 6 જાન્યુઆરીના રોજ કરવાના હતા. સાઉથ બ્લોકના સૂત્રો પ્રમાણે,ઓમિક્રોનના વધતા કેસોને કારણે પ્રવાસ રિશિડ્યૂલ કરવો પડ્યો છે. સંભવત: ફેબ્રુઆરીમાં ફરીવાર પ્રવાસ ગોઠવવામાં આવી શકે છે.
Prime Minister Narendra Modi's visit to UAE postponed. PM Modi was scheduled to visit the UAE on Jan 6: Sources
કોરોનાવાયરસનું ઓમિક્રોન વેરિયન્ટ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકા અને યુરોપ આનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. યુએસમાં, ઓમિક્રોન વેરિઅન્ટે હવે ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લીધું છે અને આ 58 ટકા કેસ પાછળ આ વેરિઅન્ટનો હાથ છે. તે જ સમયે, યુકેમાં ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપી પ્રસારને કારણે, કોવિડ -19 કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે. ભારતમાં સ્થિતિ નિયંત્રણમાં છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 800 ઓમિક્રોન કેસ નોંધાયા છે. આ નવા પ્રકારને સૌપ્રથમવાર દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરે ઓળખવામાં આવ્યો હતો.
મુસાફરો માટે અમલી બન્યા કડક નિયમો
સોમવારે, યુએઈમાં 1,732 નવા કોરોનાવાયરસના કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મૃત્યુ થયું હતું. દેશમાં કોવિડ-19ના ઝડપી પ્રસાર બાદ અબુ ધાબીએ પ્રવાસીઓ માટે નિયમો કડક બનાવ્યા છે. અબુ ધાબીની ઈમરજન્સી, ક્રાઈસીસ એન્ડ ડિઝાસ્ટર કમિટી અનુસાર, જે વ્યક્તિઓને રસી આપવામાં આવી છે તેઓએ તેમના મોબાઈલ-ફોન હેલ્થ એપ પર ગ્રીન સ્ટેટસ હોવું જરૂરી છે, જ્યારે કે જેમણે રસી લીધી નથી તેમણે 30 ડિસેમ્બરથી યુએઈમાં પ્રવેશવા માટે તેમને નેગેટિવ પીસીઆર ટેસ્ટની જરૂર પડશે. UAEમાં અત્યાર સુધીમાં 7.5 લાખ કોરોના કેસ નોંધાયા છે, જ્યારે 2160 લોકોના મોત થયા છે.
ભારતમાં ઓમિક્રોનની સ્થિતિ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9,195 કોરોનાનાં નવા કેસ આવ્યા હતા. જે ગઇકાલની સંખ્યા કરતાં 44.6 ટકા વધારે છે. વેકસીનેશન અભિયાન અંતર્ગત આજ સુધીમાં 143.15 કરોડ લોકો વેક્સિનના ડોઝ લઈ ચૂક્યા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા હાલ 77,002 છે અને રિકવરી રેટ 98.40 % છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 7,347 દર્દીઓ રિકવર થયા હતા. જેની સંખ્યા વધીને 3,42,51,292 થઈ ગઈ છે. અમે છેલ્લા 24 કલાકમાં 302 દરીઓના મોત થયા હતા. જે સંખ્યા વધીને હવે 4,80,592 થઈ ગઈ છે.
એક્ટિવ કેસની સંખ્યા
છેલ્લા 24 કલાકમાં ઉત્તરપ્રદેશમાં કોરોનાનાં 80 નવા કેસ આવ્યા હતા અને તેના કારણે હવે ઉત્તરપ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા 392 થઈ ગઈ છે. સામે ગુજરાત રાજ્યમાં કોરોનાના 394 કેસ નોંધાયા હતા. અને એક્ટિવ કેસની સંખ્યા 1420 છે
સામે ગુજરાત રાજ્યમાં કોરોનાના 394 કેસ નોંધાયા હતા. અને એક્ટિવ કેસની સંખ્યા 1420 છે. તો પણ ગુજરાતને કોરોના પ્રભાવિત રાજ્ય જાહેર કરવામાં નથી આવ્યું. જેના કારણે ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ સામે કેટલાક પ્રશ્નો ઊભા થાય એવી સંભાવના છે. ગુજરાતનાં 1420 દર્દીઓ પૈકી 16 દર્દીઓ વેન્ટિલેટર પર રખાયા છે એટલે કે ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છે.