પીએમ મોદી વિશેષ કાર્યક્રમ 'પરિક્ષા પે ચર્ચા' દ્વારા પરીક્ષા વિશે તૈયારી કરવા માટેની યુક્તિઓ જણાવશે અને આ સાથે જ વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડ પરીક્ષાનો ડર દૂર કરશે.
શિક્ષકો અને વિદ્યાર્થીઓને તણાવ ન થાય તે માટે PM મોદી આપશે ટિપ્સ
આજે એટલે કે 27 જાન્યુઆરી, 2023 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો સાથે વાતચીત કરી રહ્યા છે. પીએમ મોદીનો વિશેષ કાર્યક્રમ પરિક્ષા પે ચર્ચા 2023 આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાઇ છે. જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લીધો છે.
પીએમ મોદીનું સંબોધન
એક કરતાં વધુ ભાષાઓ શીખોઃ પીએમ મોદી
ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. આપણી પાસે સેંકડો ભાષાઓ છે. આ આપણી સમૃદ્ધિ છે. સંચાર એ એક મહાન શક્તિ છે. આપણે આપણા કોઈપણ પડોશી રાજ્યની ભાષા શીખવી જોઈએ.દુનિયાની સૌથી પ્રાચીન ભાષા ધરાવનાર દેશને ગર્વ હોવો જોઈએ કે નહીં? શું તમે જાણો છો કે આપણી તમિલ ભાષા વિશ્વની સૌથી જૂની ભાષા છે. આપણી પાસે આટલી મોટી અમાનત છે તે ગૌરવની વાત છે. જેટલી સરળતાથી બીજી વસ્તુ આવડે છે એમ બીજી ભાષા પણ સરળતાથી આવવી જોઈએ.
ઘરની અંદર 'નો ટેકનોલોજી ઝોન' બનાવો
પરિવાર એટલા નાના થઈ ગયા છે, એક જ ઘરમાં બધા બેઠા અને એકબીજાને વૉટ્સએપ પર મેસેજ કરે છે, પહેલા તો લોકો બસ-ટ્રેનમાં ગપ્પાં મારતા હતા, હવે એવું નથી કરતાં. ઘરમાં એક એવો એરિયા નક્કી કરી નાંખો કે ત્યાં નો ટેક્નોલૉજી ઝોન, તમે જુઓ ધીરે ધીરે જીવન જીવવાનો આનંદ શરૂ થઈ જશે
દિવસમાં કેટલાક કલાક ટેક્નોલૉજીથી ઉપવાસ લઈ શકો?
PM મોદી એ કહ્યું કે ગેજેટ આપણને ગુલામ બનાવી દે છે, REELSમાંથી તમે બહાર નથી આવતા, હું ઘણો એક્ટિવ છું પણ તમે જોયું હશે મારા હાથમાં ભાગ્યે જ ક્યારેક ફોન હશે, કારણ કે તેનો મેં સમય નક્કી કરેલો છે। પહેલાના સમયમાં બાળકો આરામથી ઘડિયા બોલતા, વિદેશના લોકોને ખૂબ આશ્ચર્ય થતું, હવે ધીરે ધીરે કેવા હાલ થઈ ગયા છે. હવે બાળકો ક્ષમતા ગુમાવી રહ્યા છે. હવે તો ગૂગલથી પણ એક સ્ટેપ આગળ જતું રહ્યું છે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, એક ચેટમાં જ દુનિયાભરની માહિતી મળી જાય છે. હું આગ્રહ કરું છું કે શું તમે દિવસમાં કેટલાક કલાક ટેક્નોલૉજીથી ઉપવાસ લઈ શકો?
વિરોધ પક્ષના લોકો સાઇકોલૉજી જાણે છે
વડા પ્રધાને કહ્યું કે વિપક્ષના લોકો સાઇકોલૉજી જાણે છે, તેથી તેઓ જાણીજોઈને એવી વસ્તુ બનાવે છે કે અમે અમારો વિષય છોડી દઈએ એટલે એમને જવાબ આપવાનું શરૂ કરીએ. આપણે ફક્ત આપણા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ટીકા કરવી મુશ્કેલ કાર્ય છે. આવી સ્થિતિમાં લોકો શોર્ટકટ અપનાવે છે અને આક્ષેપો કરે છે. આ બંને વચ્ચે ઘણો તફાવત છે. આપણે આરોપો પર ધ્યાન ન આપવું જોઈએ પણ ટીકાને આપણે જરૂરી ગણવી જોઈએ. ટીકાકારો આદતપૂર્વક આવું કરે છે. તેઘરમાં ટીકા ન નથી થતી એ દુર્ભાગ્યની વાત છે. ઘરમાં ટીકા માટે તમારે તમારા શિક્ષકોને મળવું પડશે, તમારે અવલોકન કરવું પડશે. આવી ટીકા ઉપયોગી છે.
તમે વિપક્ષ અને મીડિયાની ટીકાનો સામનો કેવી રીતે કરશો?
પીએમએ આ જવાબ આપ્યો 'હું સિદ્ધાંતમાં માનું છું કે સમૃદ્ધ લોકશાહી માટે ટીકા સારી પ્રથા છે.'
સ્માર્ટ વર્ક અને હાર્ડ વર્ક વચ્ચે શું પસંદ કરવું?
આ સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, 'તમે બધાએ તરસ્યા કાગડાની વાર્તા તો સાંભળી જ હશે, જેમાં કાગડો કાંકરા નાખીને પાણી પીવે છે. શું તે તેની મહેનત હતી કે સ્માર્ટવર્ક? કેટલાક લોકો હાર્ડલી સ્માર્ટવર્ક કરે છે જ્યારે કેટલાક લોકો સ્માર્ટલી હાર્ડવર્ક કરે છે. આ આપણે કાગડા પાસેથી શીખવાનું છે.
મિકેનિકના ઉદાહરણ દ્વારા સમજાવી વાત
વડાપ્રધાને કહ્યું કે એકવાર એક વ્યક્તિની કાર બગડી. કલાકો સુધી ધક્કા ખાઈ રહ્યા હતા પરંતુ વાહન ચાલુ થયું ન હતું. તેણે મિકેનિકને બોલાવ્યો જેણે 2 મિનિટમાં કાર ઠીક કરી અને 200 રૂપિયાનું બિલ બનાવ્યું. વ્યક્તિએ કહ્યું કે 2 મિનિટના 200 રૂપિયા કેવી રીતે કામ કરે છે. મિકેનિકે કહ્યું કે 200 રૂપિયા 2 મિનિટ માટે નહીં પરંતુ 20 વર્ષના અનુભવ માટે છે.
પરીક્ષામાં નકલથી બચવા માટે પીએમનો મંત્ર
પીએમ મોદીએ કહ્યું કે, 'ઘણા એવા ટીચર હોય છે જે ટ્યુશનમાં ભણાવે છે અને તેના સ્ટુડન્ટના સારા નંબર આવે એ માટે આવૈ નકલ પદ્ધતિને વધારો આપે છે. ઘણા વિદ્યાર્થીઓ જેટલું ભણે તેના કરતાં વધારે સમય તો નકલની પદ્ધતિ શોધવામાં લગાવી દે છે, નાના અક્ષરની કાપલી બનાવે છે, જેટલી ક્રિએટિવિટી આમાં બતાવે છે એટલી ભણવામાં બતાવે તો નકલ કરવાની જરૂર ન પડે.'
ટાઈમ મેનેજમેન્ટને લઈને પીએમની શીખ
પીએમ મોદીએ કહ્યું કે, ' આપણે પસંદિતા વિષય પર સૌથી વધુ સમય વિતાવીએ છીએ અને પછી જએ વિષય છૂટી જાય છે એનો ભાર વધવા લાગે છે. એટલા માંતે અઘરા વિષયમાં સૌથી પહેલા અને એ પછી પસંદિતા વિષય આર સમય વિતાવો. આવી જ રીતે એક પછી એક એમ ન ગમતા અને ગમતા વિષયને સમય આપો.' આગળ પીએમ એ કહ્યું કે, 'તમે ક્યારેય તમારી માતાને કામ કરતાં જોઈ છે? મા દિવસભરના દરેક કામનું ટાઈમ મેનેજમેન્ટ સૌથી સારી રીતે કરે છે. મા પાસે સૌથી વધુ કામ હોય છે પણ તેનું ટાઈમ મેનેજમેન્ટ એટલું સારું હોય છે કે દરેક કામ સમયસર થઈ જાય છે.'
પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ બાળકો સામે સંબોધન શરૂ કરતાં કહ્યું કે, 'દરેક યુવા મારી પરીક્ષા લે છે અને મને એ પસંદ છે.' આગળ પીએમ મોદીએ કહ્યું કે 'માતા-પિતા બહાર જાય છે અને તેમના બાળકો વિશે મોટી મોટી વાતો કરે છે. પણ પછી પાછા આવીને તેમના બાળકો પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. આવી સ્થિતિમાં શું આપણે આ દબાણ લેવું જોઈએ? શું તમને દિવસભર જે કહેવામાં આવે આવશે તે સાંભળતા રહેશો કે તમે તમારી અંદર જોશો? ક્રિકેટમાં લોકો સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાની બૂમો પાડતા રહે છે તો શું જનતાની માંગ પર ખેલાડી ચોગ્ગા-છગ્ગા ફટકારે છે? ખેલાડી માત્ર બોલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આજે એટલે કે 27 જાન્યુઆરી, 2023 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો સાથે વાતચીત કરી રહ્યા છે. પીએમ મોદીનો વિશેષ કાર્યક્રમ પરિક્ષા પે ચર્ચા 2023 આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાઇ છે. જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લીધો છે.આ સિવાય દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીનું 'પરીક્ષા પે ચર્ચા' જોઈ રહ્યા છે. પીએમ મોદી આજના આ કાર્યક્રમ દ્વારા પરીક્ષા વિશે તૈયારી કરવા માટેની યુક્તિઓ જણાવશે અને આ સાથે જ વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડ પરીક્ષાનો ડર દૂર કરશે.
આ વર્ષે 20 લાખ જેટલા સવાલ PM મોદી પાસે પહોંચ્યા
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં લગભગ 20 લાખ પ્રશ્નો આવ્યા છે, જેને NCRT દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ 20 લાખ પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ ફેમિલી પ્રેશર, સ્ટ્રેસ મેનેજમેન્ટ, અયોગ્ય માધ્યમથી બચવા, સ્વાસ્થ્ય અને કેવી રીતે ફિટ રહેવું, કારકિર્દીની પસંદગી વગેરે જેવા વિષયો પરથી પ્રશ્નો પૂછ્યા છે. પ્રધાને કહ્યું કે આ કાર્યક્રમ માટે 155 દેશોએ નોંધણી કરાવી છે.
The 6th edition of 'Pariksha Pe Charcha' 2023, PM Modi's interaction with students, teachers, and parents, to begin at 11am at Talkatora Stadium in Delhi pic.twitter.com/umcz1Y3NT8
પરિક્ષા પે ચર્ચા એ એક અનોખો કાર્યક્રમ છે
પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ નું આયોજન દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ પહેલા કરવામાં આવે છે. જણાવી દઈએ કે વર્ષ 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં પીએમ મોદીએ દેશના બાળકો, શિક્ષકો અને માતા-પિતા અને વાલીઓ સાથે વાતચીત કરી હતી. નોંધનીય છે કે આ વર્ષે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે ગયા વર્ષ કરતા બમણાથી વધુ છે.
પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમનું શિક્ષણ મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર, ફેસબુક અને ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને આ સિવાય શિક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ education.gov.in પર લાઈવ પ્રસારણની લિંક્સ છે. ખાસ જણાવી દઈએ કે PPC 2023 સ્પર્ધાના વિજેતાઓને વડાપ્રધાન મોદી સાથે વાર્તાલાપ કરવાની તક મળશે.