કોરોના વાયરસને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા ગંભીર છે. તેઓ દરેક તે ઉપાયો અપનાવી લેવા માગે છે જેનાથી કોવિડ-19ના સંક્રમણથી દેશને બચાવી શકાય. આ વાયરસના સંક્રમણને રોકવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમનું પાલન છે. આના કારણે પ્રધાનમંત્રીએ દેશના 21 દિવસોના લૉકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે પીએમ મોદીએ દેશના રેડિયો જૉકી સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. જેમાં સમભાવ ગ્રુપના TOP FMની RJ પણ જોડાઈ હતી.
PM મોદીએ દેશભરના RJ સાથે લૉકડાઉનના હાલ જાણ્યા
સમભાવ ગ્રુપના TOP FMની RJ પણ જોડાઈ
TOP FMના પોરબંદર સ્ટેશનથી RJ જ્હાનવી જોડાઈ
પ્રધાનમંત્રી સારીરીતે સમજે છે કે લૉકડાઉન જેવા નિર્ણય ત્યારે જ સફળ થશે જ્યારે આમાં જનતાની 100 ટકા ભાગીદારી હશે. આના કારણે પ્રધાનમંત્રી દરેક પ્રકારે લોકોને લૉકડાઉન દરમિયાન ઘરોમાં રહેવા માટે પ્રેરિત કરે છે.
આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશભરના રેડિયો સ્ટેશનોના રેડિયો જૉકી (RJ) સાથે વાત કરી. પીએમ જાણે છે કે આજના સમયમાં રેડિયો ટેલીવિઝનથી ઘણુ બળવાન જનસંસારનું માધ્યમ છે. રેડિયોની પહોંચ સમાજના ઉચ્ચથી લઇને સૌથી નિમ્ન કક્ષા સુધી છે. તેઓ જાણે છે કે જો રેડિયોથી સતત લોકોના ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવશે તો આનું સારુ પરિણામ સામે આવી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના અલગ અલગ શહેરોથી રેડિયો પ્રસ્તુતિ કરનારા RJ સાથે વાત કરી. આ દરમિયાન પીએમએ RJને કોવિડ 19 અંગે જાગૃત કર્યા. સાથે જ તેમણે અપીલ કરી કે તેઓ પોતાના રેડિયો શો દ્વારા દેશવાસીઓને આ વૈશ્વિક મહામારી અંગે જણાવે.
સાથે જ એમ પણ જણાવવા કહ્યું કે દેશની જનતાને સમજવો કે લૉકડાઉન દરમિયાન શું શું સાવધાનીઓ રાખવી. પીએમએ એકવાર ફરીથી સમજાવ્યા કે ખુદ, પરિવાર, સમાજ, દેશ, દુનિયા તમામને કોરોના વાયરસથી બચાવવાનો એક માત્ર ઉપાય છે- સોશિયલ ડિસ્ટેન્સિંગ.
આ વાતચીત દરમિયાન આરજેએ પોત-પોતાના શહેરોની હાલની પરિસ્થિતિથી પ્રધાનમંત્રીને અવગત કરાવ્યા. તેમણે જણાવ્યું કે, તેમના શહરોમાં લોકો કઇ રીતે લૉકડાઉનના નિયમોનું પાલન કરી રહ્યા છે. આ બહાને કેટલાક RJએ પોતાના પર્સનલ અનુભવ પણ પીએમ સાથે શેર કર્યા.
TOP FMના પોરબંદર સ્ટેશનથી RJ જ્હાનવી જોડાઈ
PM મોદીએ દેશભરના RJ સાથે લૉકડાઉનના હાલ જાણ્યા હતા. આ દરમિયાન સમભાવ ગ્રુપના TOP FMની RJ પણ જોડાઈ હતી. TOP FMના પોરબંદર સ્ટેશનથી RJ જ્હાનવી પણ જોડાઈ હતી.
RJ સાથે પીએમ મોદીની થયેલ વાતચીતના કેટલાક અંશનો વીડિયો
ન્યૂઝ એજન્સી ANIએ RJ સાથે પીએમ મોદીની થયેલ વાતચીતના કેટલાક અંશનો વીડિયો પણ શેર કર્યો છે. બેંગલુરૂથી RJ દિશા ઓબરાયે જણાવ્યું કે તેમના શહેરમાં માહોલ ઘણો સારો છે. હવામાન સારુ છે. લોકો પોત-પોતાના ઘરોમાં છે. લોકોનું મનોબળ ઘણું ઉંચું છે. દિશાએ કોરોના સંક્રમણને રોકવા માટે ભારત સરકાર તરફથી કરવામાં આવી રહેલા પ્રયાસોને પણ વખાણ્યા હતા.
ત્યારે BIG FMની RJ ઋચા અનિરૂદ્ધે પ્રધાનમંત્રીને જણાવ્યું કે આ સમયે તમામ RJ ઘરેથી જ શો રેકોર્ડ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે તેમના માં ના કહેતી હતી છતા પણ સવાર-સાંજ ફરવા નિકળી પડતી હતી, પરંતુ પીએમ મોદીની અપીલ બાદ તે પણ ઘરે રહે છે. ઑલ ઇન્ડિયા રેડીયો તરફથી ઓપી રાઠોડ અને રેડ એફએમથી આરજે રોનકે પણ પીએમ મોદી સાથે વાત કરી.
Today I had an extensive interaction with Radio Jockeys from different parts of India. Radio has a major role to play in spreading awareness on ways to fight COVID-19. I shared some ideas on how the radio can do so and also heard their innovative ideas. https://t.co/zWV17FXpEu