PM મોદીએ ગુરુવારે મોડી રાતે વીડિયો કોન્ફરન્સની મદદથી માઈક્રોસોફ્ટના સહસંસ્થાપક અને બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ બિલ ગેટ્સે વાત કરી. બંનેની વચ્ચે કોરોના મહામારીની વૈશ્વિક અસર પર અડધો કલાક વાત કરી. સાયન્ટિફિક ઈનોવેશન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પણ ચર્ચાનો વિષય રહ્યા હતા.
PM મોદી અને બિલ ગેટ્સની વચ્ચે થઈ વાતચીત
સાયન્ટિફિક ઈનોવેશન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રહ્યા ચર્ચાનો વિષય
કોરોના મહામારી અને વૈશ્વિક અસરને લઈને થઈ ચર્ચા
PM મોદીએ આ સમયે ગેટ્સ ફાઉન્ડેશનને ફક્ત ભારતમાં દુનિયાના અનેક અન્ય ભાગમાં થયેલા સ્વાસ્થ્ય સંબંધી કામની પ્રશંસા થઈ રહી છે. તેઓએ બિલ ગેટ્સના સૂચન માંગ્યા હતા કે કઈ રીતે ભારતની ક્ષમતાઓને દુનિયાના ફાયદાને માટે સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે.
Had an extensive interaction with @BillGates. We discussed issues ranging from India’s efforts to fight Coronavirus, work of the @gatesfoundation in battling COVID-19, role of technology, innovation and producing a vaccine to cure the pandemic. https://t.co/UlxEq72i3L
PM મોદીએ સરકારના કામનો ઉલ્લેખ કર્યો. તેઓ કહ્યું કે મહામારીના સમયમાં કઈ રીતે ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવામાં આવી રહી છે. આ સિવાય તેઓએ લોકોની ઈમ્યૂનિટી વધારવા માટે આયુર્વેદ દવાઓની પણ મદદ લીધી હતી. સ્વચ્છતા પર પણ ભાર મૂક્યો હતો. તેઓએ કહ્યું કે આ દરેક ચીજોએ કોરોના મહામારીથી લડવામાં મજબૂતી મેળવી છે.
PM મોદીએ બિલ ગેટ્સને જણાવ્યું છે કે ભારતમાં લોકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગને સ્વીકાર્યું છે. સાથે જ માસ્ક પહેરવાથી લઈને લોકડાઉનના નિયમોનું પાલન કરવા માટે લોકોનો સહયોગ પણ મળ્યો છે. જેના કારણે કોરોના સંક્રમણને રોકવામાં મોટી સફળતા મળી છે.