ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સેના વચ્ચે થયેલી અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. જ્યારે કેટલાક જવાનો આ અથડામણમાં ઘાયલ થયાં હતા. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ઘાયલ જવાનો સાથે મુલાકાત કરી હતી.
ઘાયલ જવાનોની મુલાકાતે પહોંચ્યા PM મોદી
આખું વિશ્વ તમારા પરાક્રમથી વાકેફ હોવાની જવાનોને કરી વાત
PM મોદીએ હોસ્પિટલની મુલાકાત લઈ જવાનોની હિંમત વધારી હતી. આ સાથે જ જવાનો સાથે વાતચીત કરતા PMએ કહ્યું કે, આખુ વિશ્વ તમારા પરાક્રમથી વાકેફ છે. એ માતાઓને નમન જેમણે તમને જન્મ આપ્યો છે. હું વીર જવાનોની માતાઓને માથુ ઝૂકાવીને વંદન કરું છું.
આજે લદ્દાખની મુલાકાતે પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનને કડક સંદેશ આપવા માટે નીમૂ આર્મી કેમ્પ પહોંચી ગયા હતા. PM નરેન્દ્ર મોદી ભારતીય સેનાના જવાનોની હિંમત વધારવા પહોંચી ગયા હતા અને તેમણે ચીનને કડક ભાષામાં સંદેશ આપ્યો છે.
11,000 ફૂટની ઉંચાઈ પર જવાનોને PM મોદીએ કર્યું સંબોધન
11,000 ફૂટની ઉંચાઈ પર જવાનોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ચીન વિસ્તારવાદી નીતિ બંધ કરે. સમગ્ર વિશ્વમાં હવે વિસ્તારવાદ ખતમ થયો છે તમામ દેશ હવે વિકાસવાદમાં રસ દાખવી રહ્યું છે.
કોઈપણ દેશને વિસ્તારવાદની જીદ હશે તો વિશ્વમાં કોઈ દિવસ શાંતિ સ્થપાશે નહીં અને ઈતિહાસ સાક્ષી છે કે આ પ્રકારની તાકાતનો કાયમ વિનાશ થયો છે. મોદીની આ મુલાકાતથી ચીનના પેટમાં બળશે તે નક્કી છે. પરંતુ ભારતીય જવાનો માટે આ ક્ષણ સૌથી મહત્વની માનવામાં આવી રહી છે કે યુદ્ધ જેવા માહોલમાં દેશના પ્રધાનમંત્રી તેમની સાથે સમય પસાર કરીને તેમને હિંમત આપી હતી.