પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'નમો એપ' મારફતે દેશભરના ખેડૂતોને સંબોધિત કર્યા. આ દરમ્યાન પ્રધાનમંત્રીએ કહ્યુ કે અમારી સરકાર એ સુનિશ્ચિત કરવા માટે કેમ કરી રહી છે કે આપણા ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી થાય. આ માટે અમે જ્યા પણ આવશ્યકતા છે ત્યા સહાય કરી રહ્યા છીએ અમને ભારતના ખેડુતો પર વિશ્વાસ છે. ખેડૂતો આપણા અન્નદાતા છે તેઓ આપણને ભોજન આપે છે પશુંઓને ચારો આપે છે અને દરેક ઉદ્યોગોને કાચી સામગ્રી ઉપલબ્ધ કરાવે છે. દેશની ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો પુરો શ્રેય આપણા ખેડૂત ભાઈઓ અને બહેનોને જાય છે.
તેમણે અગાઉની સરકાર પર હમલો કરતા પોતાની સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે શરૂઆતથી જ દેશના ખેડુતોને તેમના નસીબ પર છોડવામાં આવ્યા હતા. આ વિચારને બદલવા માટે એક નિરંતર પ્રયાસની જરૂરિયાત હતી વૈજ્ઞાનિક પ્રયાસની જરૂરિયાત હતી અને અમે છેલ્લા 4 વર્ષોમાં જમીનના જાળવણી થી લઈ બજારમાં ઉપલબ્ધ કરાવવા સુધી વ્યાપક યોજનાઓ અંતર્ગત ભરચક પ્રયાસ કર્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે પહેલા ખાતર માટે લાંબી લાંબી લાઈનો લાગતી હતી. પરંતુ હવે ખેડુતોએ આરામથી ખાતર મળી જાય છે. આજે દેશના ખેડુતોને 100 ટકા નીમ કોટિંગ વાળુ યૂરિયા મળી રહ્યુ છે. અમારો પ્રયાસ છે કે ખેડુતોને ખેતીની સમગ્ર પ્રક્રિયામાં દર પગલે મદદ મળે એટલે કે વાવણી પહેલાથી વાવણી બાદ અને ધાન વાઢ્યા બાદ પણ. દેશના ખેડુતોને તેમની ઉપજ માટે સાચૂં મુલ્ય મળે આ માટે સરકારે નક્કી કર્યુ છે કે અધિસૂચિત પાક માટે MSP તેની કિંમત ઓછામાં ઓછી દોઢ ઘણી જાહેર કરવામાં આવશે.