દિલ્હી ખાતે PMનાં નિવાસ સ્થાને ગુજરાત ભાજપનાં સાંસદો સાથે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં PMએ સાંસદોને સરકારની યોજના જનતા સુધી પહોંચાડવા માટેની સૂચના આપી.
વડાપ્રધાને ગુજરાત ભાજપના સાંસદો સાથે કરી બેઠક
સરકારની યોજના જનતા સુધી પહોંચાડવા અપાઇ સૂચના
આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં પણ તમામ સાંસદોને અપાઇ સૂચના
પીએમ મોદીએ ગુજરાત ભાજપના સાંસદો સાથે પોતાના નિવાસસ્થાન (7 LKM) એ બેઠક કરી હતી. જ્યાં તેઓએ ગુજરાત ભાજપના લોકસભા અને રાજ્યસભાના સાંસદોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ સરકારની યોજના જનતા સુધી પહોંચાડવા માટેની સૂચના ગુજરાતનાં સાંસદોને આપી હતી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ તેમના નિવાસસ્થાને ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સાંસદો સાથે સંવાદ કર્યો તથા જનહિત માટે કેન્દ્ર સરકારના દરેક પ્રયાસોને જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું. pic.twitter.com/S19En382wj
તો બીજી બાજુ દિલ્હીનાં આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં પણ આજે ભાજપની સંસદીય દળની બેઠક યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સહિત ભાજપના તમામ સાંસદો હાજર રહ્યાં હતાં. એ દરમિયાન પણ પીએમ મોદીએ સાંસદોને ક્ષેત્રમાં જઈને જનતા સુધી સરકારી યોજનાઓ વિશે જાણકારી આપવા જણાવ્યું હતું.
PM એ સાંસદોને આપ્યો આ સ્પેશિયલ ટાસ્ક
બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ તમામ સાંસદોને કહ્યું કે, તેઓ લોકોની વચ્ચે જાય અને સરકારની યોજનાઓથી જનતાને જાગૃત કરે. વાસ્તવમાં, 6ઠ્ઠી એપ્રિલે પાર્ટી પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. એ સિવાય 14 એપ્રિલે બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જયંતિ પણ છે ત્યારે આવી સ્થિતિમાં પીએમ મોદીએ સાંસદોને લોકોની વચ્ચે જઈને જનતાને સરકારી યોજનાઓથી વાકેફ કરવાનો નિર્દેશ આપ્યો છે.
Delhi | Prime Minister Narendra Modi arrives at Ambedkar International Centre for BJP Parliamentary party meeting
BJP President JP Nadda, Defence Minister Rajnath Singh and Union Home Minister Amit Shah also present pic.twitter.com/CCSPNo0FXB
પીએમ મોદીએ કહ્યું - 'આપણે ગરીબો માટે કામ કરીએ છીએ'
પીએમ મોદીએ કહ્યું કે, 'આપણે ગરીબો માટે કરીએ છીએ, સરકારી કલ્યાણની જે યોજનાઓ છે તેને લોકો સુધી પહોંચાડવી જોઈએ. સાંસદોને જણાવ્યું કે, અમે તમામ પૂર્વ મુખ્યમંત્રીઓના મ્યુઝિયમ બનાવી રહ્યાં છીએ. અમે આ પ્રકારની રાજનીતિ નથી કરતા. અમે તમામ પૂર્વ વડાપ્રધાનીઓના યોગદાનનું સન્માન કરીએ છીએ. આ દરમિયાન PMએ રાશન વિતરણ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જેને કેન્દ્રએ અમુક સમય માટે લંબાવી છે.
14 દિવસ પહેલાં પણ યોજાઈ હતી એક બેઠક
જણાવી દઈએ કે, પાંચ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ 15મી માર્ચે બીજેપી સંસદીય દળની બેઠક પણ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના નેતાઓએ 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કર્યું હતું. પંજાબ સિવાયના ચાર રાજ્યો (ગોવા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મણિપુર) માં ભાજપે જીત મેળવી હતી. પાર્ટીએ સંગઠનને વધુ મજબૂત કરવાની વાત પણ કરી હતી.
आज की बैठक में बीजेपी संसदीय दल ने प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के विस्तार के लिए पीएम मोदी जी का आभार व्यक्त किया। पीएम और बीजेपी अध्यक्ष ने हम सभी को कहा है कि 6 से 14 अप्रैल के बीच में हम सामाजिक न्याय के लिए जगह-जगह बैठकें करे: केंद्रीय मंत्री अर्जुन राम मेघवाल https://t.co/kyHeFssDnGpic.twitter.com/oJWxcRjWGe
કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે બેઠક વિશે કહ્યું હતું કે, બેઠકમાં ભાજપ સંસદીય દળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તરણ માટે પીએમ મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય 6થી 14 એપ્રિલ દરમિયાન સામાજિક ન્યાયના મુદ્દા પર જાહેર સભાઓ તેમજ પરિષદોનું આયોજન કરીને લોકોને સરકારી યોજનાની જાણકારી આપવાનો હતો.