પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુર્ભાગ્યથી આઝાદી પછી આપણી જે ટૈક્સ વ્યવસ્થા રહી તેને બદલવા માટે જેટલા પ્રયત્નો કરવા જોઈએ તે નથી થયા. તેમણે જૂના સમયનો ઉલ્લેખ કરતા કહ્યું કે ત્યારે ટેક્સ આપનારા અને ટેક્સ ક્લેક્ટર બન્નેનો સંબંધમાં બહુત રસ્સા ખેંચી હતી અને આને શોષિત અને શોષક તરીકે જોવામાં આવી રહ્યું છે.
રિટર્ન 99.75 ટકા કોઈ વાંધા વગર સ્વીકારવામાં આવે છે
ટેક્સ પેયર અને ટેક્સ કલેક્ટર વચ્ચે વિશ્વસ્નીયતા માટે પારદર્શિતા હોવી જોઈએ
રિફંડ માટે મહિનાઓ સુધી રાહ ન જોવી પડે
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે સામાન્ય જનતા પાસેથી તે ટેક્સ લે છે તો કોઈ પણ તકલીફ ન થાય પરંતુ જ્યારે દેશના પૈસા નાગરિકો પાસે પહોંચે તો લોકોને તેનો ઉપયોગ પોતાના જીવનમાં અનુભવાય. તેમણે આ વાતો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બુધવારે ઓડિશાના કટકમાં આયકર અપીલીય ન્યાયાધિકરણના કાર્યાલય સહ આવાસીય પરિસરના ઉદ્ધાટનના પ્રસંગે કરી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ તથા ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ સામિલ હતા.
પીએમની માનીએ તો આજનો ટેક્સપેયર પૂરી ટેક્સ વ્યવસ્થામાં બહું મોટા ફેરફાર અને પારદર્શિતાનો સાક્ષી બનેલો રહ્યો છે. જ્યારે તેને રિફંડ માટે મહિનાઓ સુધી રાહ ન જોવી પડે. કેટલાક અઠવાડિયામાં તેને રિફંડ મળે છે તો તેને પારદર્શિતાનો અનુભવ થાય છે. જ્યારે તે જોવે કે વિભામાં પોતે જૂના વિવાદોને ઉકેલ્યા છે તો તેને પારદર્શિતાનો અનુભવ થાય છે.
જ્યારે ફેસલેસ અપીલની સુવિધા મળે છે ત્યારે તે ટેક્સ ટ્રાન્સપરેન્સી અને વધારે અનુભવે છે. જ્યારે તે જોવે છે કે ઈનકમ ટેક્સ ઓછો થઈ રહ્યો છે ત્યારે તે ટેક્સ ટ્રાન્સપરન્સી અનુભવે છે. પીએમે ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે વાદળ વરસે છે તો તેને લાભ આપણને બધાને અનુભવાય છે. પરંતુ જ્યારે વાળદ બને છે તો સૂર્ય પાણીને શોસે છે. તેનાથી કોઈને તકલીફ નથી થતી. આ રીતે શાસન પણ હોવું જોઈએ.
આજે દેશ ટેક્સ ટેરેરિઝમને પાછળ છોડી આગળ વધી રહ્યો છે. ટેક્સ ટ્રાન્સપરન્સી દેખય છે. કેમ કે અમે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના અપ્રોચ સાથે આગળ વધતા રહ્યા છે.
પીએમએ કહ્યું કે તેમની સરકાર નિયમોને રિફોર્મ કરી રહી છે. જેમાં ટેક્નોલોજીની મદદની સાથે ટેક્સ એડમિનિસ્ટ્રેશનના માઈન્ડસેટને પણ ટ્રાન્સફોર્મ કરી રહ્યા છે. આજે ભારત દુનિયાના એ દેશોમાં છે જ્યાં ટેક્સપેયરના અધિકારો અને કર્તવ્ય બન્નેને codify કરવામાં આવ્યા છે. તેમને કાયદાકીય માન્યતા આપી છે. ટેક્સ પેયર અને ટેક્સ કલેક્ટર વચ્ચે વિશ્વસ્નીયતા માટે પારદર્શિતા હોવી જોઈએ.
હવે સરકારનો વિચાર એ છે કે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ થઈ રહ્યા છે, તેના પર પહેવા પૂરી રીતે વિશ્વાસ કરો. એના પરિણામ છે કે આજે દેશમાં જે રિટર્ન ફાઈલ થાય છે તેમાં 99.75 ટકા કોઈ વાંધા વગર સ્વીકારવામાં આવે છે.