પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. કોંગ્રેસના મુખ્ય કાર્યાલયની સામે આકાર પામેલ નવું ગુજરાત ભવન સાત માળનું છે અને તેનું નામ 'ગરવી ગુજરાત ભવન' રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક નેતાઓ ખાસે ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, ગરવી ગુજરાત ભવનમાં VIP લોંજ છે. આ સાથે જ ગુજરાત ભવનમાં કુલ 79 રૂમ છે. બહુઉપયોગી હોલમાં એક સાથે 2000 જ્યારે ડાઈનિંગ હોલમાં 75 લોકો બેસી શકે છે. નવા ગુજરાત ભવનમાં ગુજરાતી વ્યંજનોનો સ્વાદ માણી શકાશે. હાલનું ગુજરાત ભવન કૌટિલ્ય માર્ગ પર છે અને 1400 વર્ગમીટરમાં બનેલું છે. ગરવી ગુજરાત ભવનના ઉદ્ઘાટન પછી પીએમ મોદીએ વિજ્ઞાન ભવનમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, હું ઘણા વર્ષો પછી અહીં ઘણા લોકોને જોઈ રહ્યો છું. કોઇપણ વ્યક્તિ આ ભવનનું ઉદ્યાટન કરી શકેત પરંતુ મને આ અવસર મળ્યો જેથી હું આપ સૌને મળી શકું.
જેનો શિલાન્યાસ હું કરું છું તેનું ઉદ્યાટન પણ હું જ કરું છું
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ગરવી ગુજરાત ભવન ગુજરાતના કરોડો લોકોની ભાવના, પરંપરા અને સંસ્કૃતિ માટે અનુકુળ તમામ સેવાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ ભવન ભલે મિની ગુજરાતનું મોડલ હોય પરંતુ ન્યૂ ઇન્ડિયાના વિચારને સ્પષ્ટ કરે છે, જેમાં આપણે આપણી સાંસ્કૃતિક વારસાને આપણી પરંપરાને આધુનિકતા સાથે જોડીને આગળ વધવાની વાત કરી છે. PM મોદીએ કહ્યું, હવે પ્રોજેક્ટનો સમયસર પૂર્ણ કરવાની આદત સરકારી સંસ્થાઓ અને સરકારી એજન્સીઓમાં જોવા મળી રહી છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે છાતી ઠોકીને કહેતો કે જેનો શિલાન્યાસ હું કરું છું તેનું ઉદ્ઘાટન પણ હું જ કરું છુ.
Located in the heart of Delhi, the Garvi Gujarat Sadan will further popularise aspects of Gujarat’s glorious culture! This Sadan has been completed before time and is an eco-friendly building too.
ગુજરાતીઓની આદત વિશે વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ગુજરાતી જો ગુજરાતમાં હોય તો શનિ-રવિ બહાર જમવા જાય અને મેક્સિકન, પંજાબી, સાઉથ ઇન્ડિય વાનગી શોધે અને જે તે ગુજરાત બહાર જાય તો ત્યાં ગુજરાતી વાનગી પહેલા શોધે. આ સાથે જ PM મોદીએ ગુજરાત મોડલનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે
પ્રધાનમંત્રી મોદી કહ્યું કે, ઘણા વર્ષોથી ગુજરાતનો વિકાસ દર 10 ટકા હતો. 6 વર્ષમાં ગુજરાતમાં મેડીકલ ક્ષેત્રે ઘણું કામ કરવામાં આવ્યું છે. ઉજ્જવલા યોજના અને પીએમ આવાસ યોજનાના અમલ બાદ ગુજરાત ઘણું આગળ રહ્યું છે.
વિશ્વના મોટા સામયિકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચર્ચા કરી રહ્યા છે, ખાસ કરીને પર્યટનથી સંબંધિત હોય. પીએમએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકારના કારણે અનેક અવરોધો દૂર થઈ છે. અમે 2024 માં દરેક ઘરમાં પાણી પહોંચાડવામાં ચોક્કસપણે સફળ થઈશું.
આવું છે 'ગરવી ગુજરાત ભવન'?
25 સપ્ટેમ્બર 2017ના દિવસે CM રૂપાણીએ શિલાન્યાસ કર્યો હતો. એક ગુજરાત ભવન કૌટિલ્ય માર્ગ પર છે જ્યારે આ બીજું અકબર રોડ પર બન્યું છે. અકબર રોડ અત્યાર સુધી કોંગ્રેસ મુખ્યાલયથી ઓળખાતો હતો. અકબર રોડ પર VIP લોકોના નિવાસ સ્થાન છે જ્યાં ગરવી ગુજરાત ભવન બન્યું છે. 131 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા પરંતુ તેનાથી ઓછા બજેટમાં બન્યું ભવન.
7 હજાર વર્ગ મીટર ક્ષેત્રમાં ફેલાયેલું છે આ ભવ્ય ભવન
ગુજરાત ભવનમાં ઈકો ફ્રેન્ડલી સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 7 હજાર વર્ગ મીટર ક્ષેત્રમાં ફેલાયેલું છે વૈભવી ગરવી ગુજરાત ભવન. નવી ઈમારત ગુજરાતની આધુનિકતા અને પરંપરા પર આધારિત છે. ગરવી ગુજરાત ભવનની ઈમારત કુલ 7 માળની છે અને સુંદર ડિઝાઈનથી બની છે. ભવનમાં હરિયાળી અને વોટર હાર્વેસ્ટિંગનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
21 મહિનામાં આકાર પામ્યું ગુજરાત ભવન
માત્ર 21 મહિનામાં નેશનલ બિલ્ડિંગ્સ કંસ્ટ્રક્શન કોર્પોરેશને ભવનનું નિર્માણ કર્યું. VIP લોંજ, બહુઉપયોગી હોલ સાથે ગરવી ગુજરાત ભવનમાં કુલ 79 રૂમ છે. બહુઉપયોગી હોલમાં એક સાથે 200 જ્યારે ડાઈનિંગ હોલમાં 75 લોકો બેસી શકે છે. નવા ગુજરાત ભવનમાં ગુજરાતી વ્યંજનોનો સ્વાદ માણી શકાશે. હાલનું ગુજરાત ભવન કૌટિલ્ય માર્ગ પર છે અને 1400 વર્ગમીટરમાં બનેલું છે. ગુજરાતની જરૂરિયાતો વધી એટલે 2 વર્ષ પહેલા નવા ભવનનો શિલાન્યાસ થયો. ભવન માટે જમીન કેન્દ્ર સરકારે આપી છે અને નિર્માણ ખર્ચ ગુજરાત સરકારે કર્યો.
ગુજરાત ભવનનું નિર્માણ આગરા અને ધૌલપુરના પથ્થરોથી કરવામાં આવ્યું છે. ભવનમાં અત્યાધુનિક 19 સ્યૂટ રૂમ, 79 રૂમ, બિઝનેસ હોલ અને કોંફ્રેસ હોલ છે. લાયબ્રેરી, યોગા સેન્ટર, જિમ્નેશિયમ, રેસ્ટોરાં અને ડાઈનિંગ હોલની સુવિધા પણ રાખવામાં આવી છે.