પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદમાં વર્લ્ડની બીજી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી દેશને સમર્પિત કરી છે.
વિશ્વની બીજા નંબરની સૌથી મોટી પ્રતિમા
216 ફૂટ ઉંચી છે સંત રામાનાજુનમની પ્રતિમા
1800 ટનથી વધુ પંચ ધાતુનો મૂર્તીના નિર્માણમાં થયો ઉપયોગ
સોનું,ચાંદી,તાંબુ,પિત્તળ,ઝિંકથી બની છે પ્રતિમા
પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદમાં વર્લ્ડની બીજી મોટી પ્રતિમા અને સમાનતાનો સંદેશ આપતી સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી પ્રતિમા દેશને સમર્પિત કરી છે. સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી ખુલ્લી મૂકતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ વિશેષ પૂજા અર્ચના કરી હતી.
Telangana | Prime Minister Narendra Modi will shortly inaugurate the 216-feet tall 'Statue of Equality' commemorating the 11th-century Bhakti Saint Sri Ramanujacharya
શું છે સ્ટેચ્યુ ઓફ ઈક્વેલિટી
સ્ટેચ્યુ ઓફ ઈક્વેલિટી પ્રતિમા 11મી સદીના ભક્તિ શાખાના સંસત શ્રી રામાનુજાચાર્યની યાદીમાં બનાવાઈ છે. સ્ટેચ્યુ ઓફ ઈક્વેલિટી પંચ ધાતુઓમાંથી બનેલી છે જે માં સોના, ચાંદી, તાબું, પીત્તળ અને જસ્તાનું સંયોજન છે. આ પ્રતિમા દુનિયાની બીજી ઊંચી ધાતુની પ્રતિમા છે. આ પ્રતિમાની ઊંચાઈ 216 ફૂટ છે. તથા તે પંચધાતુમાંથી બનાવાઈ છે. તે 54 ફૂટ ઊંચા આધાર ભવન પર સ્થાપિત છે.તેમાં વૈદિક ડિઝિટલ લાઈબ્રેરી, પ્રાચીન ભારતીય ગ્રંથ, એક થીએટર, એક શૈક્ષણિક ગેલેરી છે.
કોણ છે સંત શ્રી રામાનુજાચાર્ય
સંત શ્રી રામાનુજાચાર્ય 11મી સદીના ભક્તિ શાખાના સંત છે અને તેમની સ્મૃતિમાં 216 ફૂટ ઊંચા ઓફ સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી બનાવાઈ છે.
આ પ્રતિમાનું 9 અંક સાથે ખાસ કનેક્શન
સંત રામાનુજાચાર્યના જન્મના 1,000 વર્ષ પૂરા થવા પર 'સમાનતાની પ્રતિમા'નું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રતિમાની ઊંચાઈ 216 ફૂટ છે. હવે તમને અહીં જણાવી દઈએ કે આ પ્રતિમાનો 9 નંબર સાથે ઊંડો સંબંધ છે. જો તમે 216 ના અંકો ઉમેરો, તો 2+1+6 બરાબર 9. 9ને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે અને સનાતન પરંપરામાં તેને શુભ અંક પણ માનવામાં આવે છે.
1000 કરોડના ખર્ચે 'સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી'નું નિર્માણ
'સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી' મેગા પ્રોજેક્ટ પાછળ ૧૦૦૦ કરોડનો ખર્ચ થયો છે. પ્રતિમા બનાવવામાં 1800 ટનથી વધુ પંચ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પાર્કની આસપાસ 108 દિવ્યેશમ કે મંદિર બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનમાં પથ્થરના સ્તંભો ખાસ કોતરવામાં આવ્યા છે.
Telangana | Prime Minister Narendra Modi inaugurates the 216-feet tall 'Statue of Equality' commemorating the 11th-century Bhakti Saint Sri Ramanujacharya in Shamshabad pic.twitter.com/dxTvhQEagz
સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીના ઉદ્ધાટન પહેલા ICRISATને સંબોધન કર્યું પીએમ મોદીએ
સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીના ઉદ્ધાટન પહેલા હૈદરાબાદમાં ICRISATના કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ક્લાઈમેટ ચેલેન્જના પડકારોમાંથી આપણા ખેડૂતોને બચાવવા માટે ફ્યુસન પર અમારુ વિશેષ ધ્યાન છે. દેશના 80 ટકા નાના ખેડૂતો પર અમારુ ધ્યાન છે. આ 80 ટકા ખેડૂતોને અમારા સપોર્ટની જરુર છે. 2022-23ના બજેટ પર કુદરતી ખેતી અને ડિઝિટલ એગ્રીકલ્ચર પર ધ્યાન અપાયું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હાલમાં દેશના 80 ટકા નાના ખેડૂતોને સરકારના સપોર્ટની જરુર છે અને સરકાર તેમને સપોર્ટ પૂરો પાડી રહી છે. ક્લાઈમેટ ચેન્જથી ખેડૂતોને બચાવવાનું સરકારનો ધ્યેય છે. તથા તેમને જરુરી માહિતી પણ પૂરી પાડવી છે.