પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ધાટન કર્યુ છે. આ સેન્ટર મહાત્મા ગાંધીને સમર્પિત કરવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી મોદીએ આ માટે સૌથી પહેલા 10 એપ્રિલ 2017ના રોજ ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ પુરા થવા પર કરી હતી. આ કેન્દ્રમાં આવેલા સભાગૃહમાં ભાવિ પેઢીને સ્વચ્છ ભારત મિશનની સફળ યાત્રાના દર્શન થશે.
PM મોદીએ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું કર્યું ઉદ્ધાટન
'ગંદકી ભારત છોડો' આપણું અભિયાનઃ પીએમ મોદી
દેશને કમજોર બનાવનારી બુરાઈઓ ભારત છોડેઃ પીએમ મોદી
RSK પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીએ ત્યાં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી અને કેન્દ્રનું અવલોકન કર્યું. RSKમાં સ્થિત સભાગૃહમાં પ્રધાનમંત્રીએ 'દર્શક 360 ડિગ્રી'નો અનન્ય ઓડિયો-વિઝ્યુલ કાર્યક્રમ જોયો, જેમાં ભારતની સ્વચ્છતાની કહાની એટલે કે દુનિયાના ઇતિહાસમાં લોકોની આદતોમાં ફેરફાર લાવવા માટે સૌથી મોટા અભિયાનની યાત્રા દેખાઇ ગઇ.
દેશને કમજોર બનાવનારી બુરાઈઓ ભારત છોડેઃ પીએમ મોદી
વિદ્યાર્થીઓને સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, દેશને નબળી કરતી ખામીઓ અને ગંદકી ભારત છોડો, તેનાથી વધુ બીજુ શું સારુ હોય. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે જ તેમણે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. તેમની આ અભિયાનમાં દેશના અનેક લોકો જોડાયા હતા. હવે તે મિશનને મોદી ખુબ પોત્સાહન આપી રહ્યા છે.
देश को कमजोर बनाने वाली बुराइयां भारत छोड़ें, इससे अच्छा और क्या होगा।
इसी सोच के साथ बीते 6 साल से देश में एक व्यापक भारत छोड़ो अभियान चल रहा है।
गरीबी- भारत छोड़ो !
खुले में शौच की मजबूरी- भारत छोड़ो !
पानी के दर-दर भटकने की मजबूरी- भारत छोड़ो: PM @narendramodi
રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું લોકાર્પણ ઘણી મોટી પ્રાસંગિક ઘટનાઃ પીએમ મોદી
પીએમએ કહ્યું કે, રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું લોકાર્પણ ઘણી મોટી પ્રાસંગિક ઘટના છે. કેન્દ્ર બાપુના સ્વચ્છાગ્રહ પ્રતિ 130 કરોડ ભારતીયોની શ્રદ્ધાંજલિ છે, કાર્યાંજલિ છે. ભારતના ઈતિહાસમાં 8 ઓગસ્ટનો દિવસ અતિ મહત્વનો છે. આજના જ દિવસે 1942માં ગાંધીની આગેવાની આઝાદી માટે ગાંધીએ આંદોલન શરૂ કર્યુ હતું. ગાંધીજીએ આંદોલન શરૂ કર્યુ હતું, અંગ્રેજો ભારત છોડોનો નારો આપ્યો હતો.
પીએમએ વધુમાં કહ્યું કે, શહેરથી લઈને ગામડા સુધી, સ્કૂલથી લઈને ઘર સુધી, સાફ સફાઈનું ધ્યાન રાખો. ગતવર્ષે તમામ ગામે ખુલ્લામાં શૌચ કરવાથી મુક્તિની જાહેરાત કરી હતી. સ્વચ્છતાના ચેમ્પિયનમાં તમે મહત્વની ભૂમિકા અદા કરી શકશો.
મહત્વનું છે કે, મોદીએ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રમાં સ્વચ્છ ભારત મિશન પર શોર્ટ ફિલ્મ નિહાળી હતી. દેશભરમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે વીડિયો બનાવ્યો છે.