બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi Inaugurates Ramanujacharya Statue

અનાવરણ / હૈદરાબાદમાં આજે 216 ફૂટ ઉંચી 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી'નું PM મોદી કરશે અનાવરણ, જોઈ લો પંચધાતુમાંથી બનેલી આ પ્રતિમાની ખાસિયાત

Last Updated: 10:49 AM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદી 11મી સદીના ભક્તિ શાખાના સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં આજે હૈદરાબાદમાં 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી' પ્રતિમાનું અનાવરણ કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.


પ્રધાનમંત્રી મોદી 11મી સદીના ભક્તિ શાખાના સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં આજે હૈદરાબાદમાં 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી' પ્રતિમાનું અનાવરણ કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી રાજ્યના પાટનચેરુમાં આંતરરાષ્ટ્રીય પાક સંશોધન સંસ્થાના અર્ધ શુષ્ક ઉષ્ણકટિબંધીય પરિસરનું પ્રવાસ કરીને સંસ્થાની 50મી વર્ષગાંઠ સમારંભનો શુભારંભ કરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, તેલંગણાના મુખ્ય સચિવ સોમેશ કુમાર અને ડીજીપી એમ મહેન્દ્ર રેડ્ડીએ પ્રધાનમંત્રીની મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ મોદી 216 ફૂટ ઉંચી સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા 11મી સદીના ભક્તિ શાખાના સંત શ્રી રામાનુજાચાર્યની યાદમાં બનાવામાં આવી છે. આ પ્રતિમા પંચધાતુમાંથી બનાવેલી છે. જેમાં સોના, ચાંદી, તાંબા, પીતળ અને જસતનું એક સંયોજન છે અને આ દુનિયામાં બેઠેલી અવસ્થામાં બનેલી સૌથી ઉંચી ધાતુની પ્રતિમાઓમાંની એક છે. 

 

 

પીએમઓના જણાવ્યા અનુસાર 54 ફૂટ ઉંચા આધાર ભવન પર આ પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. જેનું નામ ભદ્ર વેદી છે. તેમાં વૈદિક ડિજિટલ પુસ્તકાલય અને અનુસંધાન કેન્દ્ર, પ્રાચિન ભારતીય ગ્રંથ, એક થિયેટર, એક શૈક્ષણિક દીર્ઘા છે. જે સંત રામાનુજાચાર્યના કેટલાય કામોનું વિવરણ રજૂ કરે છે. આ પ્રતિમાનો પ્રોજેક્ટ શ્રી રામાનુજાચાર્ય આશ્રમના શ્રી ચિન્ના જીયાર સ્વામીએ કર્યો છે.

પીએમઓએ કહ્યું કે, કાર્યક્રમ દરમિયાન સંત રામાનુજાચાર્યની જીવન યાત્રા અને શિક્ષણ પર થ્રીડી પ્રેંજેટેશન મેપિંગ પણ રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી 108 દિવ્ય દેશમની સમાન મનોરંજનો પ્રવાસ કરશે જે, સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની ચારેતરફ આવેલું છે. શ્રી રામાનુજાચાર્યએ રાષ્ટ્રીયતા, લિંગ, નસ્લ, જાતિ અથવા પંથની પરવાહ કર્યા વગર દરેક માણસની ભાવનાની સાથે લોકોના ઉત્થાન માટે અથાક પ્રયાસો કર્યા હતાં.

સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીનું ઉદ્ધાટન, રામાનુજાચાર્યની હાલમાં 1000મી જયંતિ સમારંભ એટલે કે, 12 દિવસીય શ્રી રામાનુજાચાર્ય સહસ્ત્રબ્દી સમારંભનો એક ભાગ છે.  આ અગાઉ પ્રધાનમંત્રી પોતાની યાત્રા દરમિયાન જળવાયુ પરિવર્તન અનુસંધાન કેન્દ્રનું પણ ઉદ્ધાટન કરશે.

હૈદરાબાદના લગભગ 40 કિમી દુર આવેલા રામનગરમાં બની રહેલા આ મંદિરની આ છે  ખાસિયત

  • સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી અને રામાનુજાચાર્ય મંદિર 45 એકરમાં બની રહ્યુ છે. જેનું નિર્માણ 2014માંશરુ થયુ હતુ
  • મંદિરનું મુખ્ય ભવન લગભગ 1.5 લાખ સ્વેરફીટ વિસ્તારમાં બની રહ્યુ છે. જે 58 ફીટ ઉંચુ છે. જેના પર સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી રખાશે.
  • મંદિરમાં 25 કરોડના ખર્ચે ડાન્સિંગ ફુવારા લાગશે. જે સ્વામીની ગાથા કહેશે
  • મંદિરમાં દર્શનાર્થીઓને 5 ભાષામાં ઓડિયો ગાઈડ મળશે. અંગ્રેજી, હિંદી, તમિલ, તેલુગૂ સહિત એક બીજી ભાષા પણ હશે.
  • મંદિરમાં રામાનુજાચાર્યના સમગ્ર જીવનના ચિત્રો અને ઓડિયો બતાવાશે
  • દ. ભારતના સુપ્રસિદ્ધ 108 દિવ્ય દેશમની રેપ્લિકા પણ આ સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની ચારે બાજુ બનાવવામાં આવી રહી છે.
  • સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની ડિઝાઈન આર્કિટેક્ટ અને દ. ભારતીય ફિલ્મના ડાયરેક્ટ આનંદ સાઈએ તૈયાર કરી છે. તેણે કહ્યું આ માટે 2 વર્ષ લાગ્યા છે.
  • વૈષ્ણવ સંત રામાનુજાચાર્યનો જન્મ 1017 માં તમિલનાડુમાં થયો હતો. તે વિશિષ્ટાદ્વૈત વેદાંતના પ્રવર્તક હતા. કાંચીમાં તેમને આલવાર યમુનાચાર્યજી પાસેથી દિક્ષા લીધી હતી. સમગ્ર ભારતમાં ભ્રમણ કરી તેમણે વેદાંત અને વૈષ્ણવ ધર્મનું પ્રચાર કર્યો હતો.
  • રામાનુજાચાર્યએ વેદાંતા ઉપરાંત 7મી -10મી શતાબ્દીના રહસ્યવાદી અને ભક્તિમાર્ગી અલવાર સંતોથી ભક્તિના દર્શન, દક્ષિણના પંચરાત્ર પરમ્પરાને પાતના વિચારનો આધાર બનાવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Hyderabad PM modi PMO Ramanujacharya Statue statue of equality PM Modi
Pravin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ