બ્રેકિંગ ન્યુઝ
VTV / PM Modi Inaugurates Ramanujacharya Statue
Last Updated: 10:49 AM, 5 February 2022
પ્રધાનમંત્રી મોદી 11મી સદીના ભક્તિ શાખાના સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં આજે હૈદરાબાદમાં 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી' પ્રતિમાનું અનાવરણ કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી રાજ્યના પાટનચેરુમાં આંતરરાષ્ટ્રીય પાક સંશોધન સંસ્થાના અર્ધ શુષ્ક ઉષ્ણકટિબંધીય પરિસરનું પ્રવાસ કરીને સંસ્થાની 50મી વર્ષગાંઠ સમારંભનો શુભારંભ કરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, તેલંગણાના મુખ્ય સચિવ સોમેશ કુમાર અને ડીજીપી એમ મહેન્દ્ર રેડ્ડીએ પ્રધાનમંત્રીની મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ મોદી 216 ફૂટ ઉંચી સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા 11મી સદીના ભક્તિ શાખાના સંત શ્રી રામાનુજાચાર્યની યાદમાં બનાવામાં આવી છે. આ પ્રતિમા પંચધાતુમાંથી બનાવેલી છે. જેમાં સોના, ચાંદી, તાંબા, પીતળ અને જસતનું એક સંયોજન છે અને આ દુનિયામાં બેઠેલી અવસ્થામાં બનેલી સૌથી ઉંચી ધાતુની પ્રતિમાઓમાંની એક છે.
ADVERTISEMENT
Schedule of PM Shri @narendramodi's public programs on 5th Feb 2022 in Hyderabad.
— BJP (@BJP4India) February 4, 2022
Watch on
• https://t.co/ZFyEVlesOi
• https://t.co/vpP0MIos7C
• https://t.co/lcXkSnOnsV
• https://t.co/jtwD1z7qAc pic.twitter.com/4XrJxauPzM
પીએમઓના જણાવ્યા અનુસાર 54 ફૂટ ઉંચા આધાર ભવન પર આ પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. જેનું નામ ભદ્ર વેદી છે. તેમાં વૈદિક ડિજિટલ પુસ્તકાલય અને અનુસંધાન કેન્દ્ર, પ્રાચિન ભારતીય ગ્રંથ, એક થિયેટર, એક શૈક્ષણિક દીર્ઘા છે. જે સંત રામાનુજાચાર્યના કેટલાય કામોનું વિવરણ રજૂ કરે છે. આ પ્રતિમાનો પ્રોજેક્ટ શ્રી રામાનુજાચાર્ય આશ્રમના શ્રી ચિન્ના જીયાર સ્વામીએ કર્યો છે.
પીએમઓએ કહ્યું કે, કાર્યક્રમ દરમિયાન સંત રામાનુજાચાર્યની જીવન યાત્રા અને શિક્ષણ પર થ્રીડી પ્રેંજેટેશન મેપિંગ પણ રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી 108 દિવ્ય દેશમની સમાન મનોરંજનો પ્રવાસ કરશે જે, સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની ચારેતરફ આવેલું છે. શ્રી રામાનુજાચાર્યએ રાષ્ટ્રીયતા, લિંગ, નસ્લ, જાતિ અથવા પંથની પરવાહ કર્યા વગર દરેક માણસની ભાવનાની સાથે લોકોના ઉત્થાન માટે અથાક પ્રયાસો કર્યા હતાં.
સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીનું ઉદ્ધાટન, રામાનુજાચાર્યની હાલમાં 1000મી જયંતિ સમારંભ એટલે કે, 12 દિવસીય શ્રી રામાનુજાચાર્ય સહસ્ત્રબ્દી સમારંભનો એક ભાગ છે. આ અગાઉ પ્રધાનમંત્રી પોતાની યાત્રા દરમિયાન જળવાયુ પરિવર્તન અનુસંધાન કેન્દ્રનું પણ ઉદ્ધાટન કરશે.
હૈદરાબાદના લગભગ 40 કિમી દુર આવેલા રામનગરમાં બની રહેલા આ મંદિરની આ છે ખાસિયત
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.