પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ પૂર્વી સમર્પિત માલવહન ગલિયારાના 'ન્યૂ ભાઉપુર-ન્યૂ ખુર્જા' ખંડનું ઉધ્ધાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવી ઉદ્ધાટન કર્યું.
આ ગલિયારાનું 351 કિલોમીટર લાંબી ન્યુ ભાઉપુર-ન્યૂ ખૂર્જા ખંડ ઉત્તર પ્રદેશમાં આવેલ છે, અને 5,750 કરોડના રુપિયાની કિંમતથી બનાવામાં આવેલ છે. આ ખંડ હાલ કાનપુર-દિલ્હી મુખ્ય લાઇન પરથી ભીડ ઓછી કરશે અને તે ભાગમાં ટ્રેન ઝડપથી ચાલી શકશે.
સરકારી સંપતિઓને નુકસાન ના પહોંચાડો
પીએમ મોદીએ કહ્યું કે જો રાજકીય દળોની સ્પર્ધા કરવાની હોય તો ઇન્ફ્રાસ્ટ્રકચરની ક્વોલિટી, સ્પીડ અને સ્કેલ પર ચર્ચા થવી જોઇએ. કેટલાંક આંદોલન અને પ્રદર્શનોમાં દેશની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે છે, આ સંપત્તિ કોઇ સરકાર અથવા પાર્ટીની નથી, પરંતુ તમારી જ છે. એવામાં જો કોઇ સંપત્તિને નુકસાન થાય છે, તો ગરીબને નુકસાન થાય છે.
આ દરમિયાન એક સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આ આઝાદી પછીનો સૌથી મોટો રેલ પ્રોજેક્ટ છે. આજ દિવસ સુધી ભારતીય રેલવેના ગૌરવશાળી ભૂતકાળને 21મી સદીની નવી ઓળખ આપનાર છે. ભારત અને ભારતીય રેલવનું સામર્થ્ય વધારનારું છે. આજે આપણે આઝાદી પછી સૌથી મોટુ અને આધુનિક રેલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ જમીન પર ઉતરતા જોઇ રહ્યાં છીએ.
These freight corridors will play a major role in making India self-reliant. Be it traders, farmers or consumers, everyone will be benefitted from these: PM Narendra Modi https://t.co/EvONX19Be2pic.twitter.com/QvxQbiRLfd
પીએમ મોદીએ કહ્યું કે પ્રયાગરાજમાં ઓપરેશન કંટ્રોલ સેન્ટર પણ નવા ભારતના નવા સામર્થ્યનું પ્રતિક છે. આ દુનિયાનું શ્રેષ્ઠ અને આધુનિક કંટ્રોલ સેન્ટરમાંથી એખ છે. જેમાં મેનેજમેન્ટ અને ડાટા સાથે જોડાયેલ ટેકની છે જે ભારતમાં જ તૈયાર થયેલી છે.
શ્રેષ્ઠ કનેક્ટિવીટી દેશની પ્રાથમિકતા છે
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ફ્રેટ કોરિડોર ભારતને આત્મનિર્ભર બનાવામાં પ્રમુખ ભુમિકા નિભાવશે. વેપાર થશે, ખેડૂતો હોય કે ગ્રાહક દરેકને તેનો લાભ મળશે.
પીએમ મોદીએ કહ્યું આપણે ત્યાં યાત્રી ટ્રેન અને માલગાડીઓ બંને એક જ પાટા પર ચાલી રહી છે. માલગાડીની ગતિ ધીમી હોય છે. એવામાં માલગાડીઓને રસ્તા આપવા માટે યાત્રી ટ્રેનોને સ્ટેશન પર રોકવામાં આવે છે. જેના કારણે પ્રવાસી ટ્રેન પણ મોડી ચાલતી હોય છે અને માલગાડી પણ.
મોદીએ કહ્યું કે આજે જ્યારે ભારત દુનિયાની સૌથી મોટી આર્થિક તાકાત બનીવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે શ્રેષ્ઠ કનેક્ટિવીટ દેશની પ્રાથમિકતા છે. આ વિચાર સાથે 6 વર્ષથી દેશમાં આધુનિક કનેક્ટિવિટીના દરેક પહેલુ પર ફોક્સની સાથે કામ કરવામાં આવી રહ્યું છે.
પૂર્વી ભારતને આ ફ્રેટ કોરિડોર નવી ઉર્જા આપનાર
પીએમ મોદીએ કહ્યું કે વિશેષ રીતે ઔદ્યોગિકતામાં પાછળ રહી ગયેલા પૂર્વી ભારતને આ ફ્રેટ કોરિડોર નવી ઉર્જા આપનાર છે. તેનો અંદાજે 60 ટકા ભાગ ઉત્તર પ્રદેશમાં છે, એટલા માટે યુપીના દરેક નાના-મોટા ઉદ્યોગોને લાભ થશે.