સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં પીએમ મોદી અને અન્ય નેતાઓએ મહાત્મા ગાંધીજી પર સંયુક્ત રાષ્ટ્ર ટપાલ ટિકિટ જાહેર કરી. આ ટપાલ ટિકિટ સમકાલીન વિશ્વમાં મહાત્મા ગાંધીની પ્રાસંગિકતા નામના કાર્યક્રમમાં જાહેર કરવામાં આવી. આ પહેલા પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓની હાજરીમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં ગાંધી સોલાર પાર્કનું પણ ઉદ્ઘાટન કર્યું.
મહાત્મા ગાંધીની 150મી જયંતી વર્ષ ઉજવવા યોજાયો કાર્યક્રમ
માર્ટિન લૂથર કિંગ-મંડેલાની નીતિઓ-વિચારધારાઓ પણ ગાંધીજીના દ્રષ્ટિકોણ આધારિત
આશાનું કિરણ અને અંધારામાં રોશની જેવા હતા મહાત્મા ગાંધી
USA: Prime Minister Narendra Modi and other leaders also launched a United Nations (UN) postage stamp of Mahatma Gandhi, at the programme 'Relevance of Mahatma Gandhi in the Contemporary World' at the UN headquarters. https://t.co/uNJaOBT4oopic.twitter.com/ns8OZEVMBq
ગાંધીજીએ તેમને પણ પ્રેરણા આપી જેઓ તેમને કદી મળ્યાં નહોતાઃ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસર પર કહ્યું કે ગાંધીજીએ એ લોકોને પણ પ્રેરણા આપી જેઓ તે કદી મળ્યા નહી. માર્ટિન લ્યૂથર કિંગ અને નેલ્સન મંડેલાની નીતિ અને વિચારધારા મહાત્મા ગાંધીના દ્રષ્ટિકોણ પર આધારિત હતી.
અંધારામાં રોશનીની જેમ હતા મહાત્મા ગાંધીઃ શેખ હસીના
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યું કે ગાંધીજી એક સાચા દેશભકત, રાજનીતિજ્ઞ અને સંત હતા. તેમણે પોતાનું જીવન માનવ જાતિ માટે સમર્પિત કરી દીધુ. તેઓ આશાનું કિરણ અને અંધારામાં પ્રકાશ જેવા હતા.
ગાંધીજી દુનિયાભરમાં શાંતિના પ્રતિકઃ યુએન મહાસચિવ
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંતોનિયો ગુતારેસ પોતાના સંબોધનમાં મહાત્મા ગાંધીને 20મી સદીના મહાન વ્યક્તિત્વ, દુનિયામાં શાંતિના પ્રતિક બતાવ્યાં. ગુતારેસે ગાંધીજીની જયંતી પરના આ કાર્યક્રમ આયોજિત કરવા બદલ પીએમ મોદી અને ઇન્ડિયન મિશનને ધન્યવાદ કહ્યું.