વડાપ્રધાન મોદીએ આજે ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલયને દેશને સમર્પિત કરી. પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી આ વિશ્વવિદ્યાલય અને ભવનનું ઉદ્ઘાટન કર્યું.
પીએમ મોદીએ ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ કૃષિ વિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું
વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી વિશ્વવિદ્યાલય અને ભવન દેશને સમર્પિત
અમારું લક્ષ્ય ખેડૂતોને ઉત્પાદકની સાથે સાથે ઉદ્યમી બનાવવાનો છે : પીએમ મોદી
આજે એક નવી ગર્જનાની જરૂર
વડાપ્રધાન મોદીએ આજે ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલયને દેશને સમર્પિત કરી. પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી આ વિશ્વવિદ્યાલય અને ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે એક સમયે રાણી લક્ષ્મીબાઈએ બુંદેલખંડની ધરતી પર ગર્જના કરી હતી કે હું મારી ઝાંસી નહીં આપું. આજે એક નવી ગર્જનાની જરૂર છે. મારી ઝાંસી અને મારું બુંદેલખંડ આત્મનિર્ભર અભિયાનને સફળ બનાવવા માટે પૂરી તાકાત લગાવી દેશે. એક બાવો અધ્યાય લખશે. તેમાં એક મોટી ભૂમિકા કૃષિ ક્ષેત્રની હશે.
આત્મનિર્ભર ભારતનો લક્ષ્ય ખેડૂતોને એક ઉત્પાદકની સાથે સાથે ઉદ્યમી પણ બનાવવાનો
પીએમ મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતનો લક્ષ્ય ખેડૂતોને એક ઉત્પાદકની સાથે સાથે ઉદ્યમી પણ બનાવવાનો છે. જયારે ખેડૂત અને ખેતી ઉદ્યોગોના રૂપમાં આગળ વધશે ત્યારે મોટા સ્તર પર ગામમાં અને ગામની આસપાસ રોજગાર અને સ્વરોજગારનાં અવસર ઉભા થઇ શકશે. પીએમ મોદીએ કહ્યું કે કૃષિથી જોડાયેલા શિક્ષા અને તેની પ્રેક્ટિકલ એપ્લીકેશનને સ્કૂલ પર સ્તર સુધી લઇ જવાની જરૂર છે. પ્રયત્ન છે કે ગ્રામીણ સ્તર પર મિડલ સ્કૂલ લેવલમાં જ કૃષિનો વિષય બતાવવામાં આવે.
Modern technology is helping deal with the challenges related to agriculture. One example of it was how the government used technology to minimize damage caused by locust attack in about 10 States recently: PM Modi pic.twitter.com/YJ4moKfLPk
It is important to take education related to agriculture and its practical application to schools. The effort is to introduce agriculture as a subject at middle school level in villages: PM Narendra Modi pic.twitter.com/o24TbMjS6X
નોંધનીય છે કે આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ જોડાયા હતા. અહેવાલ અનુસાર આ વિશ્વવિદ્યાલય 127 કરોડ રૂપિયાના ખર્ચ બાદ ભવન બન્યું છે જ્યારે 29 કરોડ રૂપિયાથી પ્રશાસનિક ભવન અને અને 16 કરોડ રૂપિયાના ખર્ચે છાત્રાવાસ બનાવવામાં આવ્યા છે. આ પહેલા આ કેન્દ્રીય વિદ્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ પહેલા પણ ઘણીવાર નક્કી કરવામાં આવ્યો પરંતુ વિવિધ કારણોસર દર વખતે કાર્યક્રમ ટાળવામાં આવ્યો.