PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગદ્વારા સુરત ખાતે યોજાયેલી ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ધાટન કરાવ્યું હતું.
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો શુભારંભ
PM મોદીના હસ્તે વર્ચ્યુઅલી ઉદઘાટન
મોટી સંખ્યામાં ઉદ્યોગકાર, મુલાકાતીઓ પહોંચ્યા
2024 અને 2026 માટે પણ સ્થળના આયોજન નક્કી
મુખ્યમંત્રી પણ વડાપ્રધાનની સાથે વર્ચ્યુઅલી જોડાયા
PM મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેનદ્ર મોદીએ આજે ગુજરાતના સુરત ખાતે વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા "સરદારધામ" દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS)નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે PM મોદીએ જણાવ્યું હતું કે, ઘણા પરિચિત ચહેરાઓને જોઈને મને ખુબ આનંદ થયો.PM મોદીએ જણાવ્યું હતું કે, ભલે તમે કરોડોમાં રમતા હોય પણ આપણું મૂળ તો ખેતર છે.પામ તેલની આયત મુદ્દે પીએમ મોદી પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, શા માટે આપણે તેલનું આયાત કરવું પડે છે.? પામતેલ અને બીજા તેલનું ઉત્પાદન ગુજરાત કેમ નહી? પીએમ મોદીએ જણાવ્યું કે, મારી સામે 99 ટકા લોકો ખેડૂતાના દીકરા છે. તો ખેતીમાં આપણે કેમ આગળ ન વધી શકીએ. ઓર્ગેનિક ઉત્પાદનમાં આપણે કેમ આગળ ન વધી શકીએ ? આજે ગોબરમાંથી કેમ ગેસ ઉત્પાદન ન થઈ શકે ?
देश को जब आज़ादी मिली थी तब सरदार साहब ने जो कहा था कि भारत में संपदा की कोई कमी नहीं है। हमें बस अपने दिमाग और संसाधनों को इनके सदुपयोग के लिए लगाना होगा। आने वाले 25 सालों के लिए जब हम एक संकल्प के साथ निकले हैं तो हमें सरदार साहब की इस बात को भूलना नहीं चाहिए: प्रधानमंत्री pic.twitter.com/ViDmrYDMUn
દેશમાં MSME સેક્ટર નવા રોજગાર ખુબ ઝડપથી ઉભા કરે છે. : PM મોદી
કોરોના યુગના અભૂતપૂર્વ પડકારો છતાં, દેશમાં MSME ક્ષેત્ર આજે ઝડપથી વિકાસ કરી રહ્યું છે. લાખો કરોડો રૂપિયાની મદદ કરીને MSME ને લગતી લાખો નોકરીઓ બચાવી હતી અને આજે આ ક્ષેત્ર ઝડપથી નવી રોજગારીનું સર્જન કરી રહ્યું છે. જ્યારે દેશને આઝાદી મળી ત્યારે સરદાર સાહેબે કહ્યું હતું કે ભારતમાં સંપત્તિની કોઈ કમી નથી. આપણે ફક્ત આપણા મન અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે. જ્યારે આપણે આવનારા 25 વર્ષનો સંકલ્પ લઈને આવ્યા છીએ, ત્યારે આપણે સરદાર સાહેબની આ વાત ભૂલવી ન જોઈએ. આજે મુદ્રા યોજના દેશના તે લોકોને પોતાનો વ્યવસાય કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે, જેમણે ક્યારેય તેના વિશે વિચાર્યું પણ ન હતું. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની તે નવીનતા અને પ્રતિભા પણ યુનિકોર્નના સપનાને સાકાર થતા જોઈ રહી છે, જેણે ક્યારેય બહાર નીકળવાનો રસ્તો જોયો ન હતો. દેશવાસીઓ, જે શેરીમાં નાનો વેપાર કરે છે, તે પોતાને આજે ભારતની વિકાસ ગાથા સાથે જોડાયેલો અનુભવે છે. પ્રથમ વખત, શેરી વિક્રેતાઓને પણ PM સ્વાનિધિ યોજનામાંથી ઔપચારિક બેંકિંગ સિસ્ટમમાં ભાગીદારી મળી છે. તાજેતરમાં અમારી સરકારે આ યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે
પાટીદાર સમજે વિશ્વભરમાં પોતાનું પાણી બતાવ્યું છેઃ ભૂપેન્દ્ર પટેલ
સુરત ખાતે વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા "સરદારધામ" દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના ઉદ્ધાટન પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે સમિટને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સરદાર ધામ દ્વારા 5 લક્ષ્ય નક્કી કર્યા છે. પાટીદાર સમજે વિશ્વભરમાં પોતાનું પાણી બતાવ્યું છે. પાટીદાર સમજે છે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કાર્ય કરે છે.
આ મહાનુભવો રહ્યા હાજર
સરદાર ધામ આયોજિત સુરત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં રાજકીય આગેવાનો સહિત ઉદ્યોગપતિઓ અને દેશ વિદેશના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુસોત્તમ રૂપાલા, ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પટેલ અને અનુપ્રિયા પટેલ ઉપસ્થિત રહેશે. તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, બિઝનેસમેનો અને દેશ-વિદેશમાંથી અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં છે. આ સમિટમાં ખુદ CM પણ હાજર રહેવાના હતાં. પરંતુ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ગુજરાત પ્રવાસના કારણે CM ભૂપેન્દ્ર પટેલનો આજનો સુરત પ્રવાસ રદ્દ કરાયો છે. તેઓ પણ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં હાજરી આપવાના હતાં. આથી વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી જોડાશે.
બિઝનેસ સમિટમાં 950 સ્ટોલ
સરસાણા ખાતે 30 હજાર ચોરસ મીટરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે.જેમાં આશરે 950સ્ટોલ છે. આઇટી, ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, રબર, ડાયમંડ અને ટેક્સ્ટાઇલ સહિતના 15થી વધુ સેક્ટરના સ્ટોલ છે. મહિલા ઉદ્યોગકારો તેમજ કૃષિ અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સ્ટોલમાં 50 ટકા રાહત આપવામાં આવી છે.
વેપાર ઉદ્યોગનો વિકાસ કરવાનો હેતુ
સરદારધામના પ્રમુખે જણાવ્યું હતું કે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય મિશન-2026 હેઠળ રાજ્યમાં વેપાર ઉદ્યોગનો વિકાસ અને નવા ઉદ્યોગ સાહસિકોને તક મળે તેમજ રોજગારી સર્જન કરવાનો છે. યુવા ઉદ્યોગ સાહસિકોને ગ્લોબલ પ્લેટફોર્મ મળે તે સમિટનો મુખ્ય ધ્યેય છે. સમિટ દરમિયાન અગ્રણી પાટીદાર 10 હજાર જેટલા ઉદ્યોગકારો આવશે તેમજ દેશ-વિદેશના વિવિધ વિષયોના જાણકાર સેમિનારમાં સંબોધન કરશે.
સુરત ખાતે યોજાઈ રહેલા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ આજે વડાપ્રધાન હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2024માં રાજકોટમાં યોજાશે અને ત્યારબાદ 2026માં અમેરિકામાં યોજાશે. આ પહેલા પ્રથમ બે કોન્ફરન્સ અનુક્રમે 2018 અને 2020માં ગાંધીનગરમાં યોજાઈ હતી, મહત્વનું છે કે, આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન દર બે વર્ષે થાય છે. PMOના જણાવ્યાં અનુસાર, આ GPBS-2022 ની મુખ્ય થીમ "આત્મનિર્ભર ગુજરાત અને ભારત માટે આત્મનિર્ભર સમુદાય" રાખવામાં આવી છે.