પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂપિયા 6990 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.. રાજકોટ જિલ્લાને અમુલ પ્લાન્ટ સહિત કુલ રૂપિયા 4309 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. જ્યારે મોરબી જિલ્લામાં વડાપ્રધાન રૂપિયા 2738 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરી છે. તેમજ અન્ય જીલ્લાના રૂપિયા 663 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે.
રાજકોટ એરપોર્ટથી સભા સ્થળ સુધી પીએમ મોદીનો મેગા રોડ શો યોજાયો હતો. જેમાં ખુલ્લી જીપમાં સવાર થઈ પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. લોકોએ મોદી મોદીના નારાથી પ્રધાનમંત્રીને આવકાર્યા હતા. રાજકોટ શહેરમાં PM મોદીના રોડ શો માટે જુદા જુદા 67 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. જ્યાં રઘુવંશી, બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, આહીર સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટ અને મોરબીવાસીઓએ રોડ શો દરમિયાન ગરબા, યોગ અને નાસિક ઢોલ સાથે PM મોદીનું ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
6:PM
રાજકોટવાસીઓને શું થશે લાભ?
રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ, હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ, નાનામવા બ્રિજ, સાયન્સ મ્યૂઝિયમ, મેજર બ્રિજ સાથેનો 4-લેન પરાપીપળીયા રોડ , આરએમસી બાઉન્ડ્રી(જામનગર રોડ) થી AIIMS સુધીનો 6-લેન ડીપી રોડ અને. લોકાર્પણ કાર્યો કુલ રૂપિયા336 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જેતપુર-ગોંડલ-રાજકોટ 6 લેનના રોડને પહોળો કરવામાં આવશે. ગઢકા ખાતે અમુલનો પ્લાન્ટ, GIDC (નાગલપર, ખીરસરા-2, પીપરડી, તથા અન્ય જીઆઈડીસીઓ), રેલવેમાં પેસેન્જર સુવિધાઓ, ગોંડલ અને મચ્છુ-1ની રિમોડલીંગ વોટર સપ્લાય સ્કીમ, રાજકોટ શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નિર્મલા રોડ પર ફાયર સ્ટેશન, ભીમનગર બ્રિજ મોટા મવા બ્રિજને પહોળો કરવાની કામગીરી, ભાદર નદી પર એપ્રોન અને બન્ને તરફ સુરક્ષાની કામગીરી, કુંઢેચ ચેકડેમ પર રિપેર અને સુરક્ષાની કામગીરી અને વડલા ચેકડેમ નિર્માણ, મોવિયા-શિવરાજગઢ રોડ અને ખાંભલા-વાજડી-વેજાગામ રોડ સહિતના તેમજ અન્ય કાર્યો સામેલ છે. કુલ રૂપિયા5762 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
#WATCH गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने राजकोट हवाईअड्डे से रेस कोर्स ग्राउंड तक रोड शो किया। इस दौरान उन्होंने लोगों का अभिवादन स्वीकार किया। pic.twitter.com/u6lgpOvy6W
રોડ રસ્તાને લગતા કામોની જાહેરાત
રાજકોટમાં રેલવે સહિત પંચાયત, સહકાર, સ્વાસ્થ્ય અને રોડને લગતા વિવિધ 649 કરોડના વિકાસકાર્યોની જાહેરાત કરવામાં આવશે. જેમાં રેલવેમાં રાજકોટ-જામનગર સ્ટેશન રિડેવલપમેન્ટ, મકાનસર ગતિ શક્તિ ટર્મિનલ, ગોંડલમાં ટેક્નોલોજી હબ સેન્ટર, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ રોડનો વિકાસ, ગોમતા-નિલખા-ભાદર ડેમ રોડ પહોળો કરવાની કામગીરી, લિલખા-દેવલા-સુલતાનપુર રોડને પહોળો કરવાની કામગીરી, રંગપર પાસે નદી પરના પુલનું પુન:નિર્માણ, રાજકોટમાં ચિલિંગ અને ઓટોમેશન ડેરી પ્લાન્ટનું વિસ્તરણ તેમજ વિસામણ અને ભરૂડીમાં 66 કેવી સબસ્ટેશનનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ઢેબર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે.
મોરબીને આપશે વિકાસકાર્યોની ભેટ
મોરબીમાં મેડીકલ કોલેજ, મોરબી-હળવદ રોડ તથા મોરબી-જેતપર રોડને ચાર લેન કરવાની કામગીરી, નવી જિલ્લા કોર્ટ બિલ્ડિંગ, સરકારી ક્વાર્ટર અને ઓફિસર્સ રહેણાકો તેમજ ટંકારામાં નવી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવાના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સિવાય વાંકાનેર-નવલખી રેલવે લાઇન પર રેલવે ઓવરબ્રિજ નિર્માણની જાહેરાત કરવામાં આવશે.
19-21 ઓક્ટોબર દરમિયાન રાજકોટમાં અર્બન હાઉસિંગ કોન્ક્લેવ યોજાશે
રાજકોટના શાસ્ત્રી મેદાનમાં 19 થી 21 ઓક્ટોબર દરમિયાન અર્બન હાઉસિંગ કોન્ક્લેવ યોજાશે. આ કોન્ક્લેવમાં વિશ્વભરના ટેક્નોલોજી પ્રદાતાઓ, અન્ય રાજ્યોના શહેરી વિકાસ મંત્રી, સચિવો તેમજ અધિકારીઓ ,કોન્ટ્રાક્ટર્સ, શૈક્ષણિક સંસ્થાઓ, આર્કિટેક્ટ, સ્થાનિક કારીગરો અને અન્ય પ્રોફેશનલ્સ સામેલ થશે. અહીં બાંધકામને લગતી ટેક્નોલોજી વિશેની માહિતી, તેના પ્રશ્નો અંગે ચર્ચા અને અન્ય બાબતો વિશે સંવાદ કરવામાં આવશે. સ્થાનિક લોકો પણ અહીં ટેક્નોલોજીને લગતું પ્રદર્શન નિહાળી શકશે.
આવતીકાલે PM મોદીના પ્રવાસનો બીજો દિવસ
બીજા દિવસે (20મી ઓક્ટોબરે) સવારે કેવડિયા ખાતે મિશન લાઇફનું લોકાર્પણ કરશે, વડાપ્રધાનશ્રી બપોરે 12 કલાકે કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે તાપી જિલ્લાના વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે. એટલુ જ નહિ, વડાપ્રધાન દરિયાઈપટ્ટી પરના કોસ્ટલ હાઈવેના સુધારણા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાઓમાં કુલ 270 કિમીથી વધુના હાઇવેને આવરી લેવામાં આવશે.