PM નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં રાયસીના ડાયલોગ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. જણાવી દઈએ કે આ પ્રોગ્રામની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી.
આજે PM મોદી રાયસીના ડાયલોગનું ઉદ્ઘાટન કરશે
દુનિયાના 90 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે
આર્જેન્ટિનાના વિદેશમંત્રી અને નાઈજીરીયાના વિદેશમંત્રી ભારત પહોચ્યાં
આજથી વિશ્વના કેન્દ્રમાં ભારત રહેશે. આજે PM મોદી રાયસીના ડાયલોગનું ઉદ્ઘાટન કરશે. જેમાં દુનિયાના 90 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. EU પ્રેસિડેન્ટ, ફિલિપિન્સના વિદેશમંત્રી ભારત પહોચ્યાં છે. આર્જેન્ટિનાના વિદેશમંત્રી, નાઈજીરીયાના વિદેશમંત્રી, સ્લોવેનિયાના વિદેશમંત્રી પણ ભારત પહોચ્યાં છે. પુર્તગાલ, પોલેન્ડ, નેધરલેન્ડના વિદેશમંત્રી પણ ભારત આવશે.
લિથુઆનિયા, નોર્વે અને આર્મેનિયાના વિદેશમંત્રી પણ ભારત આવશે. આ વખતે આયોજિત થનારી રાયસીના ડાયલોગ કાર્યક્રમની આ 7મી ઇવેન્ટ હશે, જેમાં ઘણા દેશો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લેશે.
વર્ષ 2016 માં શરૂ થયેલ રાયસીના ડાયલોગ વિચાર અને ચર્ચા માટે એક મહત્વપૂર્ણ મંચ બની ગયો છે. તે માત્ર ભારતની કૂટનીતિ જ નહીં પરંતુ વૈશ્વિક કૂટનીતિના નિષ્ણાંતો, સંશોધકો અને રાજનેતાઓને પણ એક મંચ પર લાવવા માટે કામ કરી રહી છે. છેલ્લાં 2 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન વર્ચ્યુઅલ રીતે કરવામાં આવતું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 25 એપ્રિલે રાયસીના ડાયલોગ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યાં છે. આ મંચ દ્વારા વિશ્વભરના દિગ્ગજ સૈનિકો વિશ્વ સમક્ષના વર્તમાન પડકારો અંગે ચર્ચા કરશે.
PM Modi to inaugurate 7th edition of Raisina Dialogue today
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલ એટલે કે આજ રોજ સોમવારે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યાં છે. આ કાર્યક્રમમાં વિશ્વભરના 90 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાં 25 દેશોના વરિષ્ઠ મંત્રીઓ સામેલ થશે. વિદેશ મંત્રાલય અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત, માત્ર મુખ્ય દેશોની સરકારો જ નહીં પરંતુ સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ જેવી સંસ્થાઓના લોકો પણ ભાગ લેશે.
જાણો શું હશે થીમ?
રાયસીના ડાયલોગની આ વર્ષે થીમ ટેરા નોવાઃ ઇંપૈસંડ, ઇંપસેંટ અને ઇંપેરિલ્ડ રહેશે. તમને જણાવી દઈએ કે પૃથ્વીનું સૌથી જૂનું નામ ટેરા નોવા છે અને આ નામની થીમ પાછળનો હેતુ પૃથ્વીને એક નવા દ્રષ્ટિકોણથી જોવાનો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ થીમ પાછળ 6 મુખ્ય થીમ છે, જેની આસપાસ ઈવેન્ટ કેન્દ્રિત હશે.