દિલ્હીમાં મંગળવારે દિવંગત પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની યાદમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું. જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં આયોજિત આ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુષમા સ્વરાજને યાદ કરતા કહ્યું કે એ એવા વિદેશમંત્રી હતા જેમણે પ્રોટોકોલને પીપુલ્સ કોલમાં બદલ્યો.
સુષ્મા સ્વરાજની યાદમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત ભારતીય જનતા પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા હાજર રહ્યા. સુષ્મા સ્વરાજે પોતાના કાર્યકાળમાં એ તમામ લોકોની મદદ કરી, જેમણે તેમની પાસે મદદ માંગી. એમણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પણ લોકોની ફરિયાદ સાંભળી અને તેનો ઝડપી નિકાલ કર્યો.
શ્રદ્ધાંજલિ સભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એમણે (સુષ્મા સ્વરાજ) પોતાના વિચારોને લઇને ઘણા દ્દઢ હતા અને એ વિચારોને આત્મસાત કરવા માટે હંમેશા કોશિશ પણ કરતી હતી. તેમના ભાષણ માત્ર પ્રભાવી જ નહોતા પરંતુ ઘણા પ્રેરણાદાયક પણ હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જે મંત્રાલયની જવાબદારી મળી, સુષમાજીએ તેની કાર્ય સંસ્કૃતિમાં મૂળભૂત બદલાવ કર્યા. વિદેશ મંત્રાલયને મોટાભાગે પ્રોટોકોલ સાથે જોડીને જોવામાં આવે છે. પરંતુ સુષ્માજીએ એક પગલુ આગળ વધીને તેને પીપુલ્સ કોલમાં બદલી નાંખ્યો. વિદેશ મંત્રાલયને એમણે લોક હિતેષી બનાવ્યું.
વડાપ્રધાન મોદીએ સુષ્મા સ્વરાજને યાદ કરતા કહ્યું કે, 'સુષ્માદીનું ભાષણ પ્રભાવી હોવાની સાથે-સાથે, પ્રેરક પણ હોતું હતું. સુષ્માજીના વક્તવમાં વિચારોની ઉંડાઇ દરેક અનુભવ કરતું હતું. જ્યારે અનુભવની ઉંચાઇ પણ દરેક વખતે નવા માનક પાર કરતી હતી. આ બંને હોવું એક સાધના બાદ શક્ય છે. વસુધૈવ કુટુંબકમને વિદેશ મંત્રાલય કેવી રીતે સિદ્ધ કરી શકે છે. એમણે વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમુદાયના લોકોના માધ્યમથી આ કરી બતાવ્યું.'