PM મોદીએ કહ્યું કે ભારત એક ભૂ-ભાગ નથી, પરંતુ આપણી સંસ્કૃતિની, સભ્યતાની, સદ્ભાવનાની એક અભિવ્યક્તિ છે. ભારતને ભૌગોલિક, સાંસ્કૃતિક, સામાજિક અને વૈચારિક રૂપે તોડવાનાં અનેક પ્રયાસો કરવામાં આવ્યાં પરંતુ ભારતને કોઈ પણ શક્તિ સમાપ્ત ન કરી શકી.
ભગવાન દેવનારાયણની 111મી જયંતિ સમારંભમાં જોડાયા PM
કહ્યું, એક યાત્રીનાં રૂપે આશીર્વાદ લેવા આવ્યો છું
ભારતની સૌભાગ્ય ધરતી પર પણ બોલ્યા પીએમ મોદી
રાજસ્થાનનાં ભીલવાડામાં ભગવાન દેવનારાયણની 111મી જયંતિ સમારંભમાં પ્રધાનમંત્રી જોડાયા હતાં અને જનતાને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું કે અહીંયા કોઈ PM નથી આવ્યો, હું સંપૂર્ણ ભક્તિભાવથી એક યાત્રીનાં રૂપે આશીર્વાદ લેવા આવ્યો છું. અત્યારે મને યજ્ઞશાળામાં પૂર્ણ આહુતિ આપવાનો જે સૌભાગ્ય મળ્યો છે તે મારા જેવા સામાન્ય વ્યક્તિને આજે તમારી વચ્ચે આવીને ભગવાન દેવનારાયણનો આશીર્વાદ લેવાનું પુણ્ય મળ્યું છે.
'ભારતને કોઈપણ શક્તિ સમાપ્ત કરી શકી નથી'
આ સાથે જ PMએ કહ્યું કે ભારત માત્ર એક ધરતીનો ભાગ નથી, પરંતુ આપણી સભ્યતાની, સંસ્કૃતીની, સદ્ભાવનાની, સંભાવનાની એક અભિવ્યક્તિ છે. દુનિયાની અનેક સભ્યતાઓ સમયની સાથે સમાપ્ત થઈ ગઈ, પરિવર્તનોની સાથે પોતાને ઢાળી ન શકી. ભારતને પણ ભૌગોલિક, સાંસ્કૃતિક, સામાજિક અને વૈચારિક રૂપે તોડવાનાં ઘણાં પ્રયાસો કરાયા છે. પરંતુ ભારતને કોઈપણ શક્તિ સમાપ્ત કરી શકી નથી.
India is not just a tract of land but also an expression of our civilisation, culture, harmony&possibilities. That is why India is laying the foundation of its glorious future. The biggest inspiration behind this is the power of our society, of crores of people of the country: PM pic.twitter.com/lDI6QDPOqO
વંચિત વર્ગને સશક્ત બનાવવાનાં પ્રયાસો
છેલ્લાં 8-9 વર્ષોથી દેશ સમાજનાં દરેક એવા વર્ગને સશક્ત બનાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે કે જે ઉપેક્ષિત રહ્યો છે, વંચિત રહ્યો છે. ભગવાન દેવનારાયણે જે રસ્તો દર્શાવ્યો છે, તે સૌના સાથ અને સૌના વિકાસનો છે. આજે દેશ એ જ માર્ગ પર ચાલી રહ્યું છે.
ખેડૂત અને ગૌસેવા પર બોલ્યાં PM
ખેડૂતોને આજે દરેક શક્ય મદદ મળી રહી છે. નાનો ખેડૂત સરકારની મદદ માટે તરસતો હતો તેને પણ પહેલીવાર PM ખેડૂત સમ્માન નિધિથી સીધી મદદ મળી રહી છે. ભગવાન દેવનારાયણે ગૌ સેવાને સમાજ સેવા અને સશક્તિકરણનું માધ્યમ બનાવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ગૌ સેવાનો ભાવ નિરંતર સશક્ત થયો છે.