પ્રયાગરાજઃ રાયબરેલીમાં હુંકાર ભર્યા બાદ પ્રધાનમંત્રી પ્રયાગરાજમાં પહોંચ્યાં છે. અહીંયાં તેઓએ કુંભ મેળાં માટે બનાવેલ કન્ટ્રોલ રૂમનું ઉદ્ઘાટન કર્યુ છે. ત્યાં બીજી બાજુ તેઓની સાથે રાજ્યપાલ રામ નાઇક અને સીએમ યોગી હાજર છે. સંગમ નગરીમાં પહોંચીને પીએમ મોદીએ મંત્રોચ્ચારણ વચ્ચે માં ગંગાની આરતી કરીને દુગ્ધાભિષેક કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તીર્થરાજ પ્રયાગમાં કુંભ માટે કેન્દ્ર અને પ્રદેશ સરકાર તરફથી કરવામાં આવી રહેલ હજારો કરોડ રૂપિયાનાં ખર્ચવાળાં વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવા પહોંચ્યાં. સાથે કુંભની તૈયારીઓનું પણ નિરીક્ષણ કરશે.
પ્રયાગરાજ બન્યાં બાદ પહેલી વાર રવિવારનાં રોજ મોદીની આ એક દિવસની પહેલી મુલાકાત છે. મોદી કોંગ્રેસનાં સશક્ત ગઢ રાયબરેલીથી ત્રણ હેલિકોપ્ટરોનાં કાફલામાં નૈનીનાં અરેલ ક્ષેત્ર સ્થિત ડીપીએસ મેદાન પર બનેલ હેલીપેડ પર અંદાજે 2 કલાકે ઉતર્યાં. પ્રધાનમંત્રીની આગેવાની મહાપોર અભિલાષા નન્દી ગુપ્તાએ કરી.
ત્યાર બાદ પીએમ મોદી ઝૂંસીનાં અદાવામાં લોકોને સંબોધિત કરશે. અહીંયાં તેઓ અંદાજે 4048 કરોડ રૂપિયાની 366 પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ દરેક પરિયોજનાઓ પર કામ કુંભ મેળા 2019ને ધ્યાનમાં રાખીને જ થઇ રહેલ છે.