પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય કેડેટ કોરની રેલીને સંબોધન કરતા દેશના યુવાનોને નવા ભારતની સંકલ્પના સમજાવી હતી.
પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય કેડેટ કોરની રેલીને સંબોધન કરતા કહ્યું કે, હાલના સમયમાં દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. અને જ્યારે એક યુવાન દેશ આ પ્રકારના ઐતિહાસિક અવસરનો સાક્ષી બને છે, તો તેના ઉત્સવમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. અહીં ઉત્સાહ હાલ કરિયપ્પા ગ્રાઉન્ડમાં જોઈ રહ્યો છું. મને ગર્વ છે કે, હું પણ આપની માફક એનસીસીનો સક્રિય કેડેટ રહ્યો છું. મને એનસીસીમાં જે ટ્રેનિંગ મળી, જે જાણવા-શિખવા મળ્યું, તેનાથી આજે દેશ પ્રત્યેની જવાબદારીઓ વહન કરવાની મને તાકાત મળે છે.
We all need to connect with the roots of India. We can change India's future with your determination and support. Drug addiction destroys the life of youngsters, we need to fight against this: PM Modi at NCC rally in Delhi pic.twitter.com/afEog1vGkq
તેમણે કહ્યું, આજે જ્યારે દેશ નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યો છે. ત્યારે દેશમાં એનસીસીને મજબૂક કરવા માટેના પ્રયાસો ચાલું છે. તેના માટે દેશમાં એક હાઈ લેવલ રિવ્યૂ કમિટીની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષોમાં અમે દેશના સરહદી વિસ્તારમાં 1 લાખ નવા કેડેટ્સ બનાવ્યા છે. હવે દેશની દિકરીઓ સૈનિક સ્કૂલોમાં એડમિશન લઈ રહી છે. સેનામાં મહિલાઓેને મોટી જવાબદારીઓ મળતી થઈ છે. એરફોર્સમાં દેશની દિકરીઓ ફાઈટર પ્લેન ઉડાવી રહી છે. ત્યારે હવે અમારે પ્રયત્ન છે કે, એનસીસીમાં પણ વધારે દિકરીઓ જોડાય.
ભારતને 2047 સુધી લઈને જવાનું છે
પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કકે, આજે આ સમયે જેટલા પણ યુવાન યુવતીઓ NCCમાં છે, NSSમાં છે. તેમાંથી મોટા ભાગના આ શતાબ્દીમાં જ જન્મ્યા છે. આપે પણ ભારતને 2047 સુધી લઈને જવાનો છે. એટલા માટે આપના પ્રયત્નો, આપના સંકલ્પ, એ સંકલ્પોની સિદ્ધી, ભારતની સિદ્ધી હશે. ભારતની સફળતા હશે. જે દેશનો યુવાન, રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે આગળ વધવા લાગે છે, તેને દુનિયાની કોઈ તાકાત રોકી શકતું નથી. આજે રતમના મેદાનમાં, ભારતની સફળતા તેનું એક મોટુ ઉદાહરણ છે.
We all need to connect with the roots of India. We can change India's future with your determination and support. Drug addiction destroys the life of youngsters, we need to fight against this: PM Modi at NCC rally in Delhi pic.twitter.com/afEog1vGkq
પીએમ મોદીએ કહ્યું, આઝાદીના અમૃતકાળમાં, આજથી લઈને આગામી 25 વર્ષ, આપને આપની પ્રવૃતિઓને, પોતાના કામને દેશના વિકાસની સાથે, દેશની અપેક્ષાઓ સાથે જોડવાની છે. તમામ યુવાનો, વોકલ ફોર લોકલના અભિયાનમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે. જો ભારતનો યુવાન નક્કી કરી લે કે, જે વસ્તુના નિર્માણમાં ભારતનું યોગદાન છે. ભારતનો પરસેવો છે, ભારતની મહેનત છે, તે જ ખરીદીશે. તો ભારતનું ભાગ્ય બદલાઈ જશે. આજે વધું એક ડિજીટલ ટેક્નોલોજી અને ઈન્ફર્મેશન સાથે જોડાયેલી સારી સંભાવના છે, તો બીજી બાજૂ અફવાઓને ખતમ પણ કરવાની છે.
અફવાઓને ખતમ કરવું જરૂરી
તેમણે કહ્યું કે, આપમા દેશમાં સામાન્ય માનવ, કોઈ પણ અફવાઓનો શિકાર ન બને તે જરૂરી છે. NCC કેડેંટ્સ તેના માટે એક જાગૃતિ અભિયાન શરૂ કરી શકે છે. જે સ્કૂલ કોલેજમાં NCC હોય, ત્યાં ડ્રગ્સ કેવી રીતે પહોંચી શકે, આપ કેડેટ્સ તરીકે ખુદ ડ્રગ્સ મુક્ત રહો અને સાથે સાથે પોતાના કેમ્પસને પણ ડ્રગ્સ મુક્ત રાખો. આપની સાથે જે NCC, NSSમાં નથી, તેમને પણ આ ખોટી આદત છોડવામાં મદદ કરો.