ગુજરાત પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરથી મોડી સાંજે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી ઈન્દિરા બ્રીજ સુધી બંધ કારમાં તેમનો રોડ શોડ યોજાયો હતો અને ત્યારબાદ તેઓ ગાંધીનગર જવા રવાના થયાં હતા.
અમદાવાદમાં PM મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રીનો રોડ શો પૂર્ણ
ગાડીમાં બેઠા-બેઠા જ ઝીલ્યું અભિવાદન
બંન્ને પ્રધાનમંત્રી ગાંધીનગર જવા રવાના
ગુજરાત આવેલ બંને પ્રધાનમંત્રીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એરપોર્ટ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધ કારમાં જ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ શો પૂર્ણ કરી ગાંધીનગર રવાના થયા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 19, 2022
ટૂંકા રોડ શો બાદ બંન્ને પ્રધાનમંત્રી ગાંધીનગર જવા રવાના
ઉલ્લેખનીય છે કે, રોડ શોમાં લોકોની લાઈનો જોવા મળી હતી. મોદી એરપોર્ટથી લોકોનું કારમાં બેસીને જ અભિવાદન ઝીલતાં ગાંધીનગર રાજભવન રવાના થયા હતા. ત્યારબાદ મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ પણ અમદાવાદમાં રોડ શો કરી સ્થાનિકોનું અભિવાદન ઝીલીને ગાંધીનગર જવા નીકળ્યા હતા.
જામનગર ખાતે WHOના સહયોગથી પ્રાચીન ચિકિત્સા દવાઓના કેન્દ્રની સ્થાપના થવા જઇ રહી છે.ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન નામથી આકાર પામનારુ આ કેન્દ્ર જામનગર જ નહીં પણ વિશ્વ ફલક પર એક નામના મેળવશે વિશ્વભરના મોટાભાગના દર્દીઓ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.ત્યારે જામનગરમાં પ્રધાનમંત્રી મોદીએ GCTMનું ખાતમૂહુર્ત કર્યું હતું.
પીએમ મોદીનું કમિટમેન્ટ જોરદાર: ડૉ.ટ્રેડ્રોસે, WHO ચીફ
WHOના મહાનિર્દેશક ડૉ.ટ્રેડ્રોસે સંબોધનની શરૂઆત ગુજરાતીથી કરી હતી. અને કહ્યું હતું કે નમસ્કાર કેમ છો બધા..ગુજરાતમાં આવીને મને બહુ મજા આવી, મારે ભારત સાથે જૂનો નાતો છે, મને હાઈસ્કૂલમાં ભારતીય શિક્ષકોએ શિક્ષણ આપ્યું, બોલિવૂડ ફિલ્મો જોઈને જ હું મોટો થયો છું.GCTMની મદદથી વિશ્વને અનેક ફાયદાઓ થશે. આ કામ માટે મોદી અને તેમની સરકારને ધન્યવાદ આપું છું. પીએમ મોદીનું કમિટમેન્ટ જોરદાર છે, આ કામ માટે તમારો ધન્યવાદ. ભારત દુનિયાને દવા પહોંચાડશે અને દુનિયાભરના દેશો હવે ભારત આવશે.
દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતાની ખાતરી મળશે
ત્યારે આ કેન્દ્રમાં WHO સાથે સંકળાયેલ 140 ઉપરાંત દેશની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિનો સમન્વય કરવામાં આવશે.સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો વધુ ફેલાવો થાય તેવા પ્રયાસ કરવામાં આવશે.જામનગર ખાતે આયુર્વેદ યુનિવર્સિટી પહેલાથી જ ઉપલબ્ધ છે ત્યારે આ પહેલથી આગામી સમયમાં ભારતની પ્રાચીન ઉપચાર પદ્ધતિ વિશ્વમાં ખ્યાતી મેળવશે.
PM મોદીને મળ્યો અંબાણી પરિવાર
જામનગરના મહેમાન બનેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્કિટ હાઉસ ખાતે અંબાણી પરિવાર સાથે મુલાકાત કરી હતી. જામનગર સર્કિટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મુકેશ અંબાણી, અનંત અંબાણી સહિતના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. જો કે, સમગ્ર મુલાકાત મામલે સ્થાનિક વહીવટી તંત્ર કે ખાનગી સૂત્રો દ્વારા વધુ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. નોંધનીય છે કે, આજે અંબાણી પરિવારના મુકેશ અંબાણીનો જન્મદિવસ પણ છે.