પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે ત્યારે પ્રધાનમંત્રીએ જામનગરમાં અંબાણી પરિવાર સાથે મુલાકાત કરી કરી હતી. આ મુલાકાત દરમિયાન કેટલાક મહત્વના વિષયો પર વાતચીત થઈ હતી.
PM મોદીને મળ્યો અંબાણી પરિવાર
જામનગરમાં કરી મુલાકાત
સર્કિટ હાઉસમાં થઈ મુલાકાત
જામનગરના મહેમાન બનેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્કિટ હાઉસ ખાતે અંબાણી પરિવાર સાથે મુલાકાત કરી હતી. જામનગર સર્કિટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મુકેશ અંબાણી, અનંત અંબાણી સહિતના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. જો કે, સમગ્ર મુલાકાત મામલે સ્થાનિક વહીવટી તંત્ર કે ખાનગી સૂત્રો દ્વારા વધુ કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. નોંધનીય છે કે, આજે અંબાણી પરિવારના મુકેશ અંબાણીનો જન્મદિવસ પણ છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 19, 2022
જામનગરના રાજવી પરિવારને પણ મળ્યા પ્રધાનમંત્રી
જણાવી દઇએ કે, જામનગરના રાજવી પરિવારના મોભી જામ સાહેબ શત્રુશલ્ય સિંહજી તથા અન્ય પરિવારજનો સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. બંને મહાનુભાવ વચ્ચે વચ્ચે 15 મિનિટ વાતચીત થઈ. આ વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ આયુર્વેદ યુનિવર્સિટીના નિર્માણમાં રાજવી પરિવારના યોગદાનને તથા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં રાજવી પરિવાર દ્વારા કરેલી મદદને બિરદાવી હતી.
WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનું થવાનું છે ખાતમુહૂર્ત
જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનું ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદીના હસ્તે આજે ભૂમિપૂજન કરાશે. કેન્દ્ર સરકાર અને WHOના સહયોગથી આ કેન્દ્ર ચલાવવામાં આવશે. 35 એકર જમીનમાં 250 મિલિયન ડોલરના ખર્ચે સેન્ટર ઉભુ કરવામાં આવશે. આ સેન્ટર દુનિયાનું પહેલું એવું સેન્ટર હશે કે જેમાં પરંપરાગત ધોરણે આયુર્વેદ દવાઓ બનાવવામાં આવશે. પારંપરિક દવાઓના સંશોધનથી 180 દેશોને લાભ મળશે.વર્ષ 2024 સુધી સેન્ટરનું કામ પૂર્ણ કરવાનું આયોજન છે.
WHOના મહાનિર્દેશક રહેશે ઉપસ્થિત
ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનના ખાતમુહૂર્તને લઇને તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે ખાસ બે ડોમ તૈયાર કરાયા છે. લગભગ 2 હજાર લોકો ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત WHOના મહાનિર્દેશક ડૉ.ટ્રેડ્રોસ પણ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથ પણ ખાસ હાજરી આપશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા તથા આયુષ વિભાગના કેન્દ્રીય મંત્રી સર્વાનં સોનોવાલ પણ હાજર રહેશે.
2020માં આ સેન્ટર બનાવવાની થઇ હતી જાહેરાત
મહત્વનું છે કે થોડા સમય અગાઉ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર શરુ કરવાનો નિર્ણય લેવાયો હતો.. 2020માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતમાં ગ્બોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત કરી હતી તે માટે ભારત સરકાર સાથે કરાર પણ થયા હતા. જામનગરમાં શરુ થનાર આ સેન્ટર દુનિયાનું પહેલું એવું સેન્ટર હશે કે જેમાં પરંપરાગત ધોરણે આયુર્વેદ દવાઓ બનાવવામાં આવશે.
જામનગરમાં બનશે પરંપરાગત દવાઓ
આ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ અને ભારત સરકાર વચ્ચે એક કરાર કરાયો છે. સત્તાવાર નિવેદનમાં કહેવાયું કે જામનગરમાં શરુ થનાર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર તથા બીજી પહેલને કારણે ભારતને પરંપરાગત દવાઓ બનાવવામાં મોટી મદદ મળશે.
લોકોને મળશે પરંપરાગત દવાઓ
જામનગરમાં શરુ થનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર દુનિયાનું પહેલું આવું સેન્ટર હશે અને તેમાં પરંપરાગત દવાઓ બનાવાશે અને લોકોને સસ્તા દરની દવાઓ મળી રહેશે.
દુનિયાનું પહેલું ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર હશે
ભારતમાં વિશ્વના પ્રથમ ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત ડબ્લ્યુએચઓ દ્વારા ૨૦૨૦ માં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ વખતે આયુષ મંત્રાલયને 3050 કરોડ રૂપિયા આપ્યા છે. તે વિશ્વનું પ્રથમ અને એકમાત્ર ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, ખાસ કરીને આયુર્વેદ હશે. આની સીધી અસર દેશમાં પારંપરિક ચિકિત્સા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે તેમાં રોકાણમાં પણ જોવા મળશે. આ આયુર્વેદને માત્ર એક સારો તબીબી વિકલ્પ જ નહીં બનાવે, પરંતુ વૈશ્વિક તબીબી ક્ષેત્રે પણ ભારતને તેની પોતાની વિશેષ ઓળખ બનાવશે.