PM Modi એ આજે Balrampur ખાતે 9800 કરોડની સરયૂ પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર CDS Bipin Rawat ને પણ યાદ કર્યા હતા.
આજે બલરામપુરમાં PM MODI
સરયૂ નહેર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો
9800 કરોડનો પ્રોજેક્ટ
43 વર્ષ બાદ સ્વપ્ન સાકાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બલરામપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં સરયુ નહેર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.
સરયુ કેનાલ પ્રોજેક્ટનું સ્વપ્ન આખરે 43 વર્ષ બાદ સાકાર થયું છે. આ 808 કિલોમીટર લાંબી નહેર યોજનાનો લાભ ગોંડા, બલરામપુર, બહરાઈચ, શ્રાવસ્તી સહિત નવ જિલ્લાના ખેડૂતોને મળશે. તેનાથી લાખો ખેડૂતોને ફાયદો થશે.
PM મોદીનાં અખિલેશ યાદવ પર પ્રહાર
PM મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે અગાઉ મહિલાઓ ઘરથી બહાર નીકળતા ડરતી હતી. અગાઉની સરકારમાં માફિયાઓ ફાવી ગયા હતા અને હવે તેઓ ડરે છે. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર મહિલાઓ માટે કામ કરે છે માટે અમે આવાસ યોજનામાં મહિલાના નામે ઘર આપ્યા હતા. તેમના ઘરોમાં ગેસ કનેક્શન, વીજળી અને શૌચાલય જેવી બેઝિક જરૂરિયાત ઊભી કરાવી. અખિલેશ યાદવની જૂની સરકાર અંગે તેમણે કહ્યું હતું કે તેમનું કામ માત્ર ફિટ કાપવાનું એટલે કે ઉદ્ઘાટનો કરવાનું છે અમે તે બધા કામ પૂરા પણ કરીએ છીએ.
पहले की सरकारें माफिया को संरक्षण देना, बाहुबलियों को बढ़ावा देना और जमीनों पर अवैध कब्जा करवाती थीं लेकिन आज योगी की सरकार माफिया की सफाई में जुटी है, गरीब, दलित, पिछड़े और आदिवासी सभी को सशक्त करने में जुटी है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/WGgjvUE8eA
હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જનરલ બિપિન રાવતનાં ગઈ કાલે અંતિમ સંસ્કાર થયા હતા. આજે બલરામપુર ખાતે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે એક સૈનિક જ્યાં સુધી સેનામાં હોય છે ત્યાં સુધી એ માત્ર સૈનિક નથી રહેતો. તેનું આખું જીવન એક યોદ્ધાનું જીવન હોય છે. તે પળેપળ શિસ્ત અને દેશના ગૌરવને સમર્પિત હોય છે. તેમણે કહ્યું હતું કે દેશ આજે દુખી છે પણ આપણે ગતિ અને પ્રગતિ ન રોકી શકીએ. તેઓ (Bipin Rawat) જ્યાં પણ હશે ત્યાંથી ભારતને આગળ વધતાં અને પ્રગતિ કરતાં જોશે. આપણે હજુ વધારે સશક્ત અને સમૃદ્ધ બનવાનું છે.
પૂર્વાંચલની 5 નદીઓને જોડીને તૈયારી કરવામાં આવ્યો છે સરયૂ નહેર પ્રોજેક્ટ
પૂર્વાંચલની 5 નદીઓને જોડીને તૈયારી કરવામાં આવેલ સરયૂ નહેર પરિયોજના પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક હતો. પ્રોજેક્ટના ઉદ્ધાટનની પહેલા પીએમ મોદીએ એમ કહેતા આ પ્રોજેક્ટનું મહત્વ સમજાવ્યું કે જે પ્રોજેક્ટ 4 દશકાથી અટકેલો હતો. તેને અમે 4 વર્ષમાં પુરો કરી દીધો છે. આ પૂરો પ્રોજેક્ટ 9800 કરોડ રુપ્યામાં તૈયાર કરવામાં આવ્યો છે. જે યૂપીના 7 જિલ્લામાં ખેડૂતો માટે વરદાન સાબિત થઈ શકે છે. પ્રોજેક્ટના ઉદ્ધાટન માટે પીએમ મોદી બપોરે 1 વાગે બલરામ પુર પહોંચશે. પ્રોજેક્ટના ઉદ્ધાટ બાદ પીએમ મોદી એક રેલીને સંબોધિત કરશે.
4 દશકથી અધૂકો પ્રોજેક્ટ 4 વર્ષમાં પુરો
સરયૂ નહેર નેશનલ પ્રોજેક્ટના ઉદ્ધાટનની પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી ગત સરકારો પર નિશાન સાધ્યું હતુ. તેમણે લખ્યું કે તમને જાણીને આશ્ચર્ય થશે કે સરયૂ નહેર પ્રોજેક્ટ પર કામ 1978માં શરુ થયું હતું. પરંતુ 4 દશકો સુધી પરિયોજના પૂરી ન થઈ. ખર્ચ વધતો ગયો અને લોકોની હેરાનગતિ વધતી ગઈ. 4 દશકોમાં અધૂરા પ્રોજેક્ટને અમે 4 વર્ષમાં પુરો કર્યો છે.
PM Narendra Modi reviews the Saryu Nahar National Project that he will inaugurate in Balrampur shortly. pic.twitter.com/gbAtWpM0xU
જે પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન છે તે 9 હજાર 800 કરોડનો પ્રોજેક્ટ છે. જેમાં 4 વર્ષમાં 4 હજાર 600 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. જેમાંથી 14 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધશે અને 29 લાખ ખેડૂતોને ફાયદો મળશે. પ્રોજેક્ટમાં ઘાઘરા, સરયૂ, રાપ્તી, બાણગંગા અને રોહિન નદીઓને જોડવામાં આવી છે. જેમાંથી 318 કિમી લાંબી મુખ્ય નહેર અને 6 હજાર 600 કિમી લિંક નહેર બનાવાઈ છે. પીએમઓના મુજબ આ પ્રોજેક્ટ 1978માં શરુ કરવામાં આવ્યો હતો અને 2015 સુધી આ અધૂરો રહ્યો. 2016માં આ પ્રોજેક્ટને પીએમ મોદીએ કૃષિ સિંચાઈ યોજનામાં નાંખ્યો અને તેનું કામ ઝડપથી થયું.