અસમ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ તરફથી પીએમ મોદીએ આજે મોરચો સંભાળ્યો હતો અને બંગાળ અને અસમ બે રાજ્યોમાં તાબડતોબ રેલીઓને સંબોધિત કરી. શનિવારે અસમના ચબુઆમાં રેલીમાં પીએમ મોદીએ ભાવનાત્મક અપીલ કરી નાંખી છે.
એક ચાવાળો જ તમારા દર્દને નહીં સમજે તો બીજું કોણ સમજશેઃ PM
#WATCH: "..Ek chaiwala, aapke dard ko nahi samjhega toh kaun samjhega.. I assure you that NDA govt will accelerate the efforts to further improve the quality of life for tea garden workers," says Prime Minister Narendra Modi in Chabua#AssamAssemblyPollspic.twitter.com/qWExloyBMW
પીએમ મોદીએ ભાવુક અપીલ કરતાં કહ્યું કે એક ચાવાળો જ તમારા દર્દને નહીં સમજે તો બીજું કોણ સમજશે? પીએમએ કહ્યું કે હું તમને આશ્વસ્ત કરું છું કે NDA સરકાર ચા બગીચામાં કામ કરનારા શ્રમિકોના સારા જીવન માટે પ્રયાસ કરશે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ તે પાર્ટી આઠે મળી ગઈ છે જે અસમની સંસ્કૃતિ અને વિરાસત માટે ખતરો છે. અસમના દરેક ક્ષેત્રનો વિકાસ એ જ સરકારની પ્રાથમિકતા છે. અમે રાજ્યની સંસ્કૃતિ અને વિરાસતને સુરક્ષિત રાખવા પ્રત્યે સંકલ્પિત છે. કોંગ્રેસ તો અસમની જનતાથી દૂર જતી રહી છે.
આસામમાં PM મોદીએ કર્યા કોંગ્રેસ પર પ્રહાર
પીએમ મોદીએ ચા પર ફરી એકવાર ટૂલકિતનો સંદર્ભ લઈને કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું કે મને તે જોઈને દુખ થયું છે કે જે કોંગ્રેસ પાર્ટીએ દેશ પર 50-55 વર્ષ સુધી રાજ કર્યું તે એવા લોકોના સમર્થનમાં આવી ગઈ જે ભારતની ચાની છવિને બરબાદ કરવા માંગતા હતા. શું તમે આવી પાર્ટીને માફ કરશો? તેમને સજા મળવી જોઈએ કે નહીં?
પીએમ મોદીએ કહ્યું કે અસમની ચાને બદનામ કરવાની ટૂલકિતને સર્ક્યુલેટ કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીએ ટૂલકિટ બનાવનારા લોકોનું સમર્થન કર્યું અને તે બાદ હવે અસમમાં આવીને વોટ માંગવાનું સાહસ કરી રહ્યા છે. શું આપણે ભૂલી શકીએ છે?