રાજસ્થાનના પુષ્કરના બ્રહ્માજીના મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ પીએમ મોદીએ અજમેરમાં એક જનસભાને સંબોધિત કરીને કોંગ્રેસને ચાબખા માર્યાં હતા.
રાજસ્થાનના અજમેર પીએમ મોદીને જનસભાને સંબોધિત કરી
કોંગ્રેસને લીધી બરોબરની અડફેટે
કોંગ્રેસને દરેક યોજનામાં 85 ટકા કમિશન ખાનાર પાર્ટી ગણાવી
રાજસ્થાનમાં 2023ના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. પીએમ મોદીએ છ મહિના પહેલા અત્યારથી ભાજપ વતી પ્રચાર શરુ કરી દીધો છે. પીએમ મોદીએ રાજસ્થાનમાં મહાજનસંપર્ક અભિયાનની શરુઆત કરીને સૌથી પહેલા પુષ્કરના બ્રહ્માના મંદિરમાં પૂજા કરી ત્યાર બાદ અજમેરમાં એક રેલીને સંબોધિત કરી હતી.
Cong guaranteed eradicating poverty 50 yrs ago, but they betrayed the poor; their strategy is to mislead poor: PM Modi at Ajmer rally
કોંગ્રેસ સરકારમાં પીએમની ઉપર પણ એક સુપરપાવર હતી
અહીં કોંગ્રેસને ટાર્ગેટ પર લેતા પીએમ મોદીએ કહ્યું કે, તમે બધા 2014 પહેલાની દેશની સ્થિતિથી વાકેફ છો. આ પહેલા શહેરોમાં દરરોજ હુમલા થતા હતા. મહિલાઓ પર ઘણા અત્યાચાર થયા હતા. કોંગ્રેસ સરકારમાં પીએમની ઉપર પણ એક સુપરપાવર હતી. પીએમ મોદીનો ઈશારો સોનિયા ગાંધી સામે હતો.
ભારત ઝડપથી 'અત્યંત ગરીબી'ને સમાપ્ત કરવાની દિશામાં
પીએમ મોદીએ કહ્યું કે, 2014માં જનતાના એક મતથી વિકાસ નક્કી થયો હતો. તેના પરિણામે આજે સમગ્ર વિશ્વમાં ભારતના વિકાસના વખાણના વખાણ થઇ રહ્યા છે. આજે, વિશ્વના વધતા જતા નિષ્ણાતો કહી રહ્યા છે કે, આજે ભારત ઝડપથી 'અત્યંત ગરીબી'ને સમાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ પરિવર્તન એક વોટથી આવ્યું છે.
#WATCH | PM Narendra Modi says, "...Achievements of India, success of the people of India is not digestible to a few people. India got a new Parliament building. Are you not proud of the new Parliament?... But Congress & some other parties like it threw mud of politics at… pic.twitter.com/jzSSPpF9Kq
ગરીબો સાથે કોંગ્રેસે કર્યો મોટો દગો
પીએમ મોદીએ કહ્યું કે 50 વર્ષ પહેલા કોંગ્રેસે આ દેશમાં ગરીબી હટાવવાની ગેરંટી આપી હતી. કોંગ્રેસનો ગરીબો સાથેનો આ સૌથી મોટો દગો છે. ગેરંટી આપવી આ પાર્ટીની જૂની આદત છે. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસની નીતિ રહી છે - ગરીબોને છેતરો, ગરીબોને તરસ્યા બનાવો. રાજસ્થાનની જનતાએ પણ ઘણું સહન કર્યું છે.
2014 में आप लोगों ने कई साल बाद केंद्र में एक स्थिर सरकार बनाई। भाजपा ने आपके हर आदेश की मर्यादा रखी है। मगर 5 साल पहले आपने राजस्थान में भी एक जनादेश दिया था और बदले में राजस्थान को क्या मिला, अस्थिरता और अराजकता। यहां 5 साल से मंत्री, विधायक और मुख्यमंत्री आपस में लड़ने में ही… pic.twitter.com/uJBq6tQJhw
85 ટકા કમિશન સાથે કોંગ્રેસ
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણ દરમિયાન રાજીવ ગાંધીના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે જો સરકાર 1 રૂપિયો
મોકલતી હોય તો 85 ટકા પૈસા ખવાઈ જાય છે અને 15 ટકા જ જનતાના હાથમાં આવે છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના 85 ટકા કમિશનની આદત જૂની છે. આ વાત ખુદ કોંગ્રેસ નેતાએ ખુલ્લા મંચ પરથી સ્વીકારી હતી.
લૂંટવામાં કોંગ્રેસ કોઈની સાથે નથી કરતી ભેદભાવ
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે લૂંટની વાત આવે છે ત્યારે કોંગ્રેસ કોઇની સાથે ભેદભાવ નથી કરતી. કોંગ્રેસ દેશના દરેક નાગરિકને ... ગરીબો, શોષિતો, આદિવાસીઓ, લઘુમતીઓ, મહિલાઓ અને વિકલાંગો બધા જ સમાન રીતે લૂંટ્યાં છે.