યુરોપ પ્રવાસેથી પાછા આવ્યાં બાદ પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીમાંં હીટવેવ મેનેજમેન્ટ અને ચોમસાની તૈયારીને લઈને એક મોટી બેઠક કરી હતી.
યુરોપના પ્રવાસેથી આવતાની સાથે PM મોદી એક્શનમાં
હીટવેવ મેનેજમેન્ટ અને ચોમાસાની તૈયારીને કરી મોટી બેઠક
અધિકારીઓને આપ્યાં જરુરી આદેશ
પીએમ મોદી બીજી પણ ઘણી બેઠકો કરવાના છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દેશોના વિદેશ પ્રવાસ બાદ દિલ્હી પરત ફર્યા છે. ત્યારે વિદેશ પ્રવાસ કરીને દિલ્હી પરત ફર્યા બાદ પીએમ મોદી તુરંત એક્શનમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદીએ હીટવેવ અને ચોમાસાની તૈયારીને લઈને અધિકારીઓ સાથે એક મોટી બેઠક કરી હતી તથા તૈયારીની સમિક્ષા કરી હતી. વિદેશ પ્રવાસેથી પરત ફરતાની સાથે જ PM મોદી દેશના વિવિધ ભાગોમાં કાળઝાળ ગરમીનો સામનો કરવા અને ચોમાસાને લગતી તૈયારીઓનો હિસાબ લેવા આજે (ગુરુવારે) એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી. સરકારી સૂત્રોએ આ અંગેની માહિતી આપી છે. તેઓએ કહ્યું કે, વડાપ્રધાન મોદી યુરોપિયન દેશોની ત્રણ દિવસની મુલાકાતથી પરત ફર્યા બાદ દિવસમાં લગભગ 7થી 8 બેઠકો કરવાના છે. તમને જણાવી દઈએ કે, દેશના ઘણાં ભાગોમાં ગરમીનો પારો સતત ઝડપથી વધી રહ્યો છે અને ઘણાં શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. જો કે દિલ્હી-NCRમાં ગઈ કાલે વરસાદ થતા લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી.
#WATCH | PM Modi today chaired a meeting to review preparations for heatwave management and monsoon preparedness. pic.twitter.com/ou1O9mQJt7
વડાપ્રધાન મોદી 3 દિવસથી પેન્ડિંગ પડેલા કામને ઝડપથી પૂર્ણ કરવા માટે તેઓ તાબડતોબ 7થી 8 મીટિંગ કરશે. જેમાં અનેક મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતા છે.
PM Narendra Modi is scheduled to arrive in Delhi today from his visit to 3 European nations & immediately attend office. Later, he'll hold 7-8 meetings during the day & also chair an important review meeting for the preparedness of the monsoon season and heatwave: GoI Sources pic.twitter.com/AoN7Ja742F
દેશમાં હાલના દિવસોમાં કોલસાનું સંકટ વધારે ઘેરી બની રહ્યું છે. ત્યારે હવે આ મુદ્દે ખુદ પીએમ મોદી પણ ધ્યાન આપી રહ્યાં છે. વિદેશ યાત્રા પરથી પરત ફર્યા બાદ પીએમ મોદી સંબંધિત મંત્રાલય સાથે મહત્વની બેઠક કરી શકે છે. જો કે, આ પહેલાં રેલવે મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. કોલસાના પરિવહન માટે રેલવેએ પોતાના 86 ટકા ખુલ્લા ડબ્બાને તૈનાત કરી દીધા છે. રેલવેએ પરિવહનમાં તેજી લાવવા માટે ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં 122 સ્થળો પર ત્રણથી પાંચ રેલવેને એકસાથે ચલાવવા એક નવા જ પ્રકારના અભિગમનો ઉપયોગ કર્યો છે.
Prime Minister Narendra Modi returns to Delhi after concluding his three-day visit to three European countries. pic.twitter.com/7gh74cejBD
PM મોદીએ નાર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે કરી હતી મુલાકાત
વડાપ્રધાન મોદી તેમના યુરોપ પ્રવાસના બીજા દિવસે કોપનહેગન પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તેમના ડેનિશ સમકક્ષ મેટ્ટે ફ્રેડરિકસેન સાથે વાતચીત કરી અને બંને દેશો વચ્ચે વેપાર અને પર્યાવરણીય મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે ઔપચારિક રીતે અનેક કરારો પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યાં. તેમની મુલાકાતના ત્રીજા દિવસે PM મોદીએ નોર્વે, સ્વીડન, આઇસલેન્ડ, ફિનલેન્ડ અને ડેનમાર્કના વડાપ્રધાનો સાથે બીજી ભારત-નાર્ડિક સમિટમાં હાજરી આપી હતી.