ભારીત જનતા પાર્ટી ફરી એક વાર હૈદરાબાદમાં પોતાની રણનીતિ સેટ કરવા માટે થઈને મહેનત કરી રહી છે, જેને લઈને ભાગ્યલક્ષ્મી મંદિરના નામ પર શહેરનું નામ બદલીને સાઉથના રાજ્યના એન્ટ્રી મારવાનું વિચારી રહી છે.
હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક થઈ
ફરી એક વાાર હૈદરાબાદનું નામ બદલવાનો મુદ્દો ચગ્યો
પીએમ મોદીએ ભાગ્યનગર નામનો કર્યો ઉલ્લેખ
ભાજપની તાકાત તેલંગણામાં પહેલા કરતા વધી રહી છે. નગર નિગમની ચૂંટણી બાદ તેમાં ઔર વધારો થયો છે. આજ કારણ છે કે, ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી આ રાજ્યને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની રણનીતિ તૈયાર કરી રહી છે. ભાજપ રાષ્ટ્રીય કારોબારીની બે દિવસીય બેઠક જે હૈદરાબાદમાં થઈ તે આ રણનીતિનો જ ભાગ છે. રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં પ્રધાનમંત્રી મોદી પણ પહોંચ્યા અને તેમણે અહીં પરિવારવાદ તથા તૃષ્ટિકરણની રાજનીતિ પર બરાબરના પ્રહારો કર્યા હતા. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદને ભાગ્યનગર પણ કહ્યું. આમ તો RSS પહેલાથી જ હૈદરાબાદને ભાગ્યનગર કહેતું આવ્યું છે. તો વળી હૈદરાબાદ મ્યુનિસિપલ ઈલેક્શનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને પછી ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદનું નામ ભાગ્યનગર કરવાનો ઉલ્લેખ કર્યો હતો, જેની ખૂબ ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ એક વાર ફરીથી ભાગ્યનગર કહેતા તેની ચર્ચાઓ શરૂ થઈ છે.
ભાગ્યનગરની ચર્ચા કેમ વારંવાર થાય છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવાર હૈદરાબાદને ભાગ્યનગર કહ્યું હતું. જો કે, આ કંઈ પ્રથમ મોકો નથી. ફેબ્રુઆરી મહિનામાં આ વર્ષે પ્રધાનમંત્રી મોદી શ્રીરામાનુજાચાર્યની સ્મૃતિમાં 216 ફુટ ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, હું ભાગ્યનગરમાં છું. રવિવારે ફરી એક વાર પીએમ મોદીએ પોતાના સંબોધનમાં હૈદરાબાદને ભાગ્યનગર કહ્યું. પીએમ મોદીએ કહ્યું કે, સરદાર પટેલે અહીંથી એક ભારતનો નારો આપ્યો હતો. મોદીએ ભાગ્યનગર કહ્યા બાદ ફરીથી તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું ભાજપ સત્તામાં આવશે તો હૈદરાબાદનું નામ ભાગ્યનગર કરવામાં આવશે ? આમ તો આરએસએસ હંમેશા હૈદરાબાદને ભાગ્યનગર કહેતું આવ્યું છે. નિગમ ચૂંટણી દરમિયાન પ્રચાર કરવા પહોંચેલા સીએમ યોગી આદિત્યનાથે પણ કહ્યું હતું કે, ભાજપ સત્તામાં આવશે તો શહેરનું નામ બદલીને ભાગ્યનગર કરી દેવામાં આવશે.
ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા યોગી આદિત્યનાથ
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા માટે હૈદરાબાદ પહોંચેલા સીએમ યોગી આદિત્યનાથ ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા. જ્યાં ભાજપની તેલંગણા યુનિટ પણ મંદિરમાં જઈને પ્રચાર પ્રસારની શરૂઆત કરી હતી. યોગીએ 2020માં હૈદરાબાદની નગર નિગમની ચૂંટણીમાં ખૂબ પ્રચાર કર્યો હતો. ભાગ્યલક્ષ્મી મંદિરમાં ભૂમિ વિવાદ પણ કેન્દ્રમાં રહેલો છે. ભાજપે ભાગ્યલક્ષ્મી મંદિરને ચૂંટણીનો મુદ્દો બનાવીને અહીંથી મંદિરના નિર્મણાની વાત કરી હતી. આ મંદિરમાં આરએસએસ ચીફ મોહન ભાગવત અને અમિત શાહ પણ દર્શન કરી આવ્યા છે.
આ મંદિરના નામ પર હૈદરાબાદનું નામકરણ કરવાની માગ ભાજપ કરતી આવી છે. ભાજપના નેતાઓ દાવો કરે છે કે, હૈદરાબાદનું નામ પહેલા ભાગ્યનગર જ હતું. ગોલકોંડાના કુતુબ શાહી વંશના 5માં સુલ્તાન મુહમ્મદ કુલી કુતુબ શાહે તેનું નામ બદલીને ભાગ્યનગરમાંથી હૈદરાબાદ કરી દીધું. સીએમ યોગી આદિત્યનાથ પહેલા પણ પોતાના ભાષણમાં તેનો ઉલ્લેખ કરી ચુક્યા છેય તેમણે યુપીમાં તો ફૈઝાબાદનું નામ અયોધ્યા, ઈલાહાબાદનું નામ પ્રયાગરાજ અને હૈદરાબાદનું નામ ભાગ્યનગર કેમ ન થઈ શકે તેવો સાવલ પણ પૂછ્યો હતો.
હૈદરાબાદ કે ભાગ્યનગર...નામને લઈને એકમત નથી
ત્યારે સવાલ એ થાય કે શું હૈદરાબાદનું નામ ભાગ્યનગર હતું. આખરે તેની સચ્ચાઈ શું છે. તેને લઈને પણ લોકોમાં અલગ અલગ મત અને વાતો છે. 1816માં બ્રિટિશ નાગરિક તરફથી હૈદરાબાદનો નક્શો તૈયાર કરવામાં આવ્યો હતો, તેના પર હૈદરાબાદ, ભાગ્યનગર અને સાથે જ ગોલકુંડાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. નક્શામાં ત્રણેય નામોનો ઉલ્લેખ હતો. ભાજપ તરફથી કહેવાય છે કે, ભાગ્યલક્ષ્મી મંદિરના નામ પર ભાગ્યનગર નામ હોવું જોઈએ. તો વળી અમુક ઈતિહાસ કારોનું માનવું છે કે, જૂની જે તસ્વીરો છે, જેમાં ચારમીનારની બાજૂમાં કોઈ મંદિર હોવાના સંકેતો કે અવશેષો નથી. અમુક લોકોનું કહેવુ છે કે, સહેરમાં બગીચાઓ ખૂબ વધારે હતા, તેથી તેનું નામ બાગનગર હતું. જ્યારે અમુક ઈતિહાસકારોનું માનવું છે કે, કુતુબ શાહને ભાગમતી નામની નર્તકી સાથે પ્રેમ હતો, અને જ્યારે આ શહેર વસાવ્યું તો, તેનું ભાગમતી નામ પર ભાગ્યનગર રાખવામાં આવ્યું. આગળ જતાં તેનું નામ બદલીને હૈદર મહલ અને પછી હૈદરાબાદ થયું.