રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે વિદાય સમારંભનું આયોજન કરાયું
PM નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 5:30 વાગ્યાથી દિલ્હીની હોટેલ અશોકામાં વિદાય લેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે વિદાય રાત્રિભોજનનું આયોજન કર્યું છે. આજે દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ જશે. જેમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની ઐતિહાસિક જીત લગભગ નક્કી છે. આજે સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ થયા બાદ હવે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે.
PM Narendra Modi is hosting a farewell dinner for outgoing President Ram Nath Kovind tomorrow 5:30 pm onwards at Hotel Ashoka in Delhi. pic.twitter.com/NhPtHp8zD7
NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની તરફેણમાં ઘણા વોટ પડ્યા છે. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે. નોંધનિય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. જેને લઈ હવે નવા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેશે.