પ્રધાનમંત્રી મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘ સાથે હાઇલેવલ મીટિંગ કરી છે, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા
દિલ્હીમાં પીએમ મોદી એક્શનમાં
રક્ષામંત્રી અને ગૃહમંત્રી સાથે કરી બેઠક
આગામી સત્રને લઈને થઈ ચર્ચા
સંસદમાં શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે અને હાલમાં જ કૃષિ કાયદાને રદ્દ કરતાં બિલ પસાર કરવામાં આવ્યા છે. આ સત્રમાં ભારત સરકાર 26 બિલોને પાસ કરાવવા માંગે છે ત્યારે વિપક્ષ કોઈ ભોગે માનવા માટે તૈયાર નથી.
Prime Minister Narendra Modi holds meeting with top ministers including Rajnath Singh, Amit Shah and Narendra Singh Tomar in Parliament to discuss strategy for the ongoing winter session pic.twitter.com/cTmliLMeAA
પ્રધાનમંત્રી મોદીએ કયા મુદ્દે કરી ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે શિયાળુ સત્ર મુદ્દે હાઇલેવલ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘ, ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંઘ તોમર હાજર હતા. આ બેઠકમાં આગામી સત્રમાં કઈ રણનીતિ પર કામ કરવામાં આવે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સિવાયના પણ અમુક ખાસ મુદ્દાઓ પર પ્રધાનમંત્રીએ સૂચનો આપ્યા હોય તેવી પૂરેપૂરી શક્યતા છે.
કૃષિ કાયદા રદ્દ
છેલ્લા એક વર્ષથી જે કામ કરવા માટે સરકાર પાસે માંગ કરવામાં આવી રહી હતી, તે ગઇકાલે જ સંસદનાં પહેલા દિવસે જ કરવામાં આવ્યું છે. ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરતો બિલ સંસદમાંથી પસાર કરવામાં આવ્યું હતું. જોકે વિપક્ષી પાર્ટીઓએ આમાં પણ ભયંકર હંગામો કર્યો હતો. રાહુલ ગાંધી સહિતનાં નેતાઓ માંગ કરી રહ્યા છે કે સરકાર ચર્ચા કર્યા વગર કાયદાઓને રદ્દ ન કરી શકે.
12 સાંસદો કરાયા સસ્પેન્ડ
આ સિવાય ગઇકાલે જ લોકસભા અને રાજ્યસભામાં જુદી જુદી પાર્ટીઓના 12 સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મુદ્દે પણ વિપક્ષી પાર્ટીઓ લાલચોળ થઈ છે અને આજે પણ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ વિરોધમાં મીટિંગ કરી હતી.