રાજ્યોને 15 દિવસ એડવાન્સમાં કોરોનાની વેક્સિન આપવાની વાત કરી
સ્થાનિક કન્ટેનમેન્ટ ઝોન, આક્રમક ટેસ્ટિંગ પર મૂક્યો ભાર
સ્થાનિક કન્ટેનમેન્ટ ઝોન, આક્રમક ટેસ્ટિંગની જરુર
મીટિંગમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોરોના સામેની લડાઈમાં જિલ્લાધિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તમે ફિલ્ડ કમાન્ડર્સ છો. જો તમને પોલિસીમાં કોઈ ફેરફારની જરુર લાગતી હોય તો તમે બેધડક તમારા વિચારો વ્યક્ત કરી શકો છો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્થાનિક કન્ટેનમેન્ટ ઝોન, આક્રમક ટેસ્ટિંગ અને લોકોને સાચી તથા સંપૂર્ણ માહિતી આપવી ખૂબ જ જરુરી છે.
ગ્રામીણ અને દુરદરાજના વિસ્તાર પર વધારે ધ્યાન આપવું પડશે
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણે કોરોનાની બીજી લહેરમાં ગ્રામીણ અને દુરદરાજના વિસ્તાર પર વધારે ધ્યાન આપવું પડશે. કોરોનાની સામે લડવાનો સૌથી મજબૂત રસ્તો વેક્સિનેશન છે. મોદીએ ઉમેર્યું કે રાજ્યોને 15 દિવસ એડવાન્સમાં કોરોનાની વેક્સિન આપવા અંગેના પ્રયાસો ચાલુ છે અને તેને કારણે તેઓ આગોતરુ આયોજન કરી શકશે. આપણે વેક્સિનેશન સંબંધિત તમામ ખોટી માન્યતા તથા ભ્રમણાઓ દૂર કરી નાખવી પડશે.
PM મોદીએ મંગળવારે વધુ સંક્રમિત 100 ગામડાના DM સાથે સીધો સવાંદ કર્યો
કોરોનાની બીજી લહેર ભારતમાં ફેબ્રુઆરી મહિનાથી ચાલી રહી છે જેના કારણે કરોડો લોકો સંક્રમિત થયા છે. લાખો લોકો તેનાથી મોતને ભેટયા છે. હવે આ બીજી લહેર ભારતના દરેક ગામોમાં પણ પહોંચી ગઈ છે. ગામડાના લોકો પણ આ સંક્રમણનો ભોગ બન્યા છે. આ સ્થિતિની સમીક્ષા કરવા માટે PM મોદીએ મંગળવારે વધુ સંક્રમિત 100 ગામડાના DM સાથે સીધો સવાંદ કર્યો હતો, અને સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ તે ચર્ચામાં હાજર રહ્યા હતા.
હવે દરેક ગામ કોરોના મુક્ત કરવા માટે સમગ્ર દેશના જિલ્લાઓમાં ચાલી રહ્યા છે અભિયાન
દેશના ઘણા જિલ્લાઓ એવા છે જે હાલ કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયા છે. એવામાં ગામડાના લોકો પણ કોરોના સામે લડાઈ લડી રહ્યા છે, એવામાં સ્થાનિક પ્રશાસનની જવાબદારી વધી જાય છે. એના કારણે જ PM મોદીએ ગામડામાં કેવી રણનીતિ બનાવી છે તેના પર મંથન કરી રહ્યા છે. આ ચર્ચામાં કર્ણાટક, બિહાર, ચંડીગઢ, ઉત્તરાખંડ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ, અને દિલ્હીના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ત્યાં હાલત કેવી છે તેની સમીક્ષા કરી હતી. બાકીના જિલ્લાઓના DM સાથે 20 મે ના રોજ ચર્ચા કરશે.