પ્રધાનમંત્રી મોદીએ રવિવારે તેમના નિવાસસ્થાન અમિત શાહ અને રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું.
અમિત શાહ અને રાજનાથ સિંહ પ્રધાનમંત્રી મોદીને મળ્યાં
રવિવારે પીએમ આવાસ પર યોજાઈ બેઠક
કેબિનેટ વિસ્તરણ અંગ ચર્ચા થઈ હોવાની સંભાવના
કેબિનેટ વિસ્તરણ અને ફેરબદલ અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા
સૂત્રોના જણાવ્યાનુસાર બેઠકમાં પીએમ મોદીએ સંભવિત કેબિનેટ વિસ્તરણ અને જમ્મુ કાશ્મીરની રાજકીય સ્થિતિ વિશે ચર્ચા કરી હોવાની શક્યતા છે. જોકે રાજકીય જાણકારોના જણાવ્યાનુસાર આ બેઠક કેબિનેટ વિસ્તરણ અથવા ફેરબદલ માટે પણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ચાલુ મહિનાની શરુઆતમાં મોદીએ અલગ અલગ ક કેન્દ્રીય મંત્રીઓ સાથે લગભગ પાંચ બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, બેઠકમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણ અને પીયુષ ગોયલે પણ હાજર રહ્યાં હતા.
રાજનાથે જમ્મુના રાજ્યપાલ મનોજ સિંહા સાથે કરી મુલાકાત
પ્રધાનમંત્રી મોદીની બેઠક પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહા તથા લદ્દાખના ઉપરાજ્યપાલ આરકે માથુરની સાથે મુલાકાત કરી હતી.
રાજધાની દિલ્હીમાં 24 મીએ પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં થનારી બેઠક માટે જમ્મુ કાશ્મીરના 14 નેતાઓને દિલ્હી આવવાનું આમંત્રણ અપાયું છે.
આ 14 નેતાઓને પ્રધાનમંત્રીએ 24 મી દિલ્હી બોલાવ્યા
પ્રધાનમંત્રીએ જે 14 નેતાઓને બેઠક માટે દિલ્હી બોલાવ્યાં છે તેમાં ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ, ફારુક અબ્દુલા, તેમના પુત્ર ઉમર અબ્દુલા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ તથા પીડીપી નેતા મહેબૂબા મુફતી, પૂર્વ ઉપમુખ્યમંત્રી કોંગ્રેસ નેતા તારાચદ, પીપીપી લીડર હુસેન બેગ ભાજપ નેતા નિર્મલ સિંહ તથા કવિન્દ્ર ગુપ્તા, સીપીઆઈ નેતા મોહમ્મદ યુસુફ તારાગામી, જમ્મુ કાશ્મીર અપની પાર્ટી ચીફ અલ્તાફ બુખારી, પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન, પેન્થર્સ પાર્ટીના ભીમસિંહ સામેલ છે.
બેઠકમાં કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના અનેક મુદ્દા પર ચર્ચા કરશે
આ જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરી શકે છે. વર્ષ 2019માં કલમ 370 ને ખતમ કરવા પર ઉભી થયેલી રાજનીતિક અવરોધને સમાપ્ત કરવા માટે પીએમનું આ પહેલુ મોટું પગલું છે. જમ્મુ કાશ્મીરના એક વરિષ્ઠ નેતાએ એક ચેનલને જણાવ્યું કે અમે આવનારા અઠવાડિયે એક બેઠક અંગે સૂચિત કરવામાં આવ્યા છે. જોકે અમે ઔપચારિક નિમંત્રણની રાહ જોઈ રહ્યા છીએ.
સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરને વિભાજીત કરવાની અફવા બિલકુલ પાયાવિહોણી છે અને આવું કંઈ પણ થવાનું નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી ચર્ચા ચાલી રહી છે કે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે છે અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાળવી રાખવામાં આવી શકે. એટલુ જ નહીં સાઉથ અને નોર્થ કાશ્મીરને અલગ તથા શ્રીનગરને અલગ કરવાની પણ અફવા ફેલાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે સર્વપક્ષીય બેઠક કાશ્મીરની જનતાના હિતમાં રાજકીય પ્રક્રિયાને સ્થાપિત કરવાની દિશામાં ભરવામાં આવેલું મોટું પગલું છએ. સરકાર કાશ્મીરમાં આ વર્ષના અંત સુધઈમાં તમામ પક્ષોના સહયોગથી પ્રક્રિયા પૂરી કરી લેવા માંગે છે સાથે વર્ષના અંત સુધીમાં અથવા તો પછી આગામી વર્ષના માર્ચ સુધીમાં વિધાનસભાની ચૂંટણી કરાવવા માંગે છે.