દેશમાં એક તરફ જ્યાં ખેડૂતો પોતાની માંગો પર આંદોલન કરી રહ્યા છે ત્યાં પીએમ મોદીએ આજે દેશના નવ કરોડ ખેડૂત પરિવારોને પીએમ કિસાન સમ્માન યોજના હેઠળ રકમ ટ્રાન્સફર કરાવી અને દેશના છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ પણ કરવા જઈ રહ્યા છે.
આંદોલન સામે કેન્દ્રનો કાઉન્ટર પ્લાન : નવા કરોડ ખેડૂતોને મળી ભેટ
પીએમ કિસાન સમ્માન યોજના હેઠળ 18 હજાર કરોડ રૂપિયાની મદદ
છ રાજ્યોના ખેડૂતો સાથે પીએમ મોદીનો સીધો સંવાદ
ખેડૂતોને મોદી મંત્ર, દેશભરના ખેડૂતોને આપ્યો સંદેશ
'સમ્માન સંવાદ'
પીએમ મોદીએ આજે દેશના નવ કરોડ ખેડૂતોને ખાતામાં સીધા જ નાણાં ટ્રાન્સફર થતી સ્કીમ હેઠળ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 18000 હજાર કરોડ રૂપિયાની આર્થિક સહાય આપી. સાથે સાથે પીએમ મોદીએ દેશના છ જુદા જુદા રાજ્યોના ખેડૂતો સાથે ચર્ચા પણ કરવા જઈ રહ્યા છે.
પીએમ મોદીએ આજે દેશના ખેડૂતોને 18 હજાર કરોડ રૂપિયાની ભેટ આપી જેમાં આજને આજે જ દેશના નવ કરોડ ખેડૂતોના ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
PM Narendra Modi releases Rs 18,000 crore as the next instalment under the Pradhan Mantri Kisan Samman Nidhi scheme to over 9 crore farmers pic.twitter.com/3vxIAvgwF3
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ખૂબ જ પાવન દિવસ છે અને આજે ખેડૂતોને જે નિધિ આપવામાં આવી છે તેના કારણે એક સારો અવસર પણ બન્યો છે. પીએમ મોદીએ આજે દેશભરના લોકોને નાતાલ, ગીતા જયંતી અને મોક્ષદા અગિયારસ પર શુભકામનાઑ પણ આપી.
પીએમ મોદીએ પૂર્વ પીએમને યાદ કરતાં કહ્યું કે અટલજીએ પણ પોતાનું આખું જીવન ગીતા અનુસાર જ રાખ્યું અને ગીતાના સંદેશ પર જ ચાલતા રહ્યા. તેમણે દેશના લોકોના વિકાસને પ્રાથમિકતા આપી હતી. રાષ્ટ્રજીવનમાં સાર્થક ફેરફાર કરવા માટે કામ અટલજીએ કર્યું.
પીએમ મોદીએ કહ્યું કે હવે દિલ્હીથી દેશના ગરીબ માટે જે પૈસા નીકળે છે તે સીધા જ તેના ખાતામાં જાય છે અને કોઈ પૈસા ખોટા હાથમાં જતાં નથી. આજે દેશના નવ કરોડથી વધારે ખાતામાં 18 હજાર કરોડથી વધારે રકમ જમા કરવામાં આવી છે અને આ યોજના શરૂ થઈ છે ત્યારથી એક લાખ દસ હજાર કરોડ રૂપિયાની વધારે પૈસા ખેડૂતોના ખાતામાં પહોંચી ગઈ છે અને આ જ તો ગુડ ગવર્નન્સ છે.
બંગાળ સરકાર પર જોરદાર નિશાન
પીએમ મોદીએ કહ્યું કે મને આજે એક વાતનો અફસોસ પણ છે કે દેશના બધા જ રાજ્યના ખેડૂતો આ યોજનાથી જોડાયેલી છે પણ એક માત્ર પશ્ચિમ બંગાળના લાખો ખેડૂતો લાભ નથી લઈ શકતા કારણ કે બંગાળની સરકાર પોતાના કારણોથી જ્યાં રાજ્ય સરકારને તો કોઈ ખર્ચો પણ નથી કરવાનો તો પણ રાજ્ય સરકાર અડચણ પેદા કરી રહી છે. ત્યાંની સરકાર બધુ અટકાવીને બેસી ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે જે લોકોએ 30-30 વર્ષ સુધી બંગાળ પર રાજ કરતાં હતા અને મમતાજીના 15 વર્ષ જૂન ભાષણ સાંભળશો તો ખ્યાલ આવી જશે કે તે સમયે કઈ રીતે સરકારો ચલાવી રહ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે જે લોકો પંજાબ આવીને આંદોલન કરી રહ્યા છે તે પ. બંગાળમાં કેમ કોઈ આંદોલન નથી કરી રહ્યા. દેશની જનતા આ ખેલને જાણે છે અને જે આજે વિપક્ષમાં છે તે કેમ ચૂપ છે. જે નેતાઑ આ રાજકીય પ્રવાહમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છે પણ દેશે તે લોકોને જોઈ લીધા છે.
કડક શબ્દોમાં વિપક્ષને સંદેશ
પીએમ મોદીએ કડક શબ્દોમાં કહ્યું કે આ એ જ લોકો છે જે દેશમાં વર્ષો સુધી સત્તામાં રહ્યા છે અને તેમની નીતિઑના કારણે સૌથી વધારે બરબાદ ખેડૂતો જ થયા. નાના ખેડૂતોને બેન્કમાંથી પૈસા ન હતા મળતા કારણ કે તેમની પાસે તો ખાતું જ ન હતું. નાના ખેડૂતોને પાણી, વીજળી મળતી ન હતી અને તે ગરીબ ખેડૂત જે પેદા કરતો હતો તેને વેચવામાં પણ હાલત ખરાબ થઈ જતી હતી. દેશવાસીઑને યાદ અપાવવા માંગુ છું કે આ ખેડૂતોની સંખ્યા દસ કરોડથી પણ વધારે છે, જે વર્ષો સુધી સત્તામાં રહ્યા તેમણે માત્ર વાયદા કર્યા અને ભૂલાવી દીધા. ગરીબ ખેડૂત વધારેને વધારે ગરીબ થતાં રહ્યા.
પીએમ મોદીએ આંદોલન કરી રહેલા લોકોમાં જે આવી ગયા છે તેમની સરકાર કેરળમાં છે પણ તે રાજ્યમાં તો APMC જ નથી. તો આ બધી પાર્ટીઑ તે રાજ્યમાં કેમ જતી નથી ? પીએમ મોદીએ કહ્યું કે દેશના લોકોએ તમને ઓળખી લીધા છે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે અમે સત્તામાં આવ્યા ત્યારે ખેડૂતો માટે સાત લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા અને હવે તે વધીને 14 લાખ કરોડ થઈ ગયા છે જેથી દેશના ખેડૂતોને આરામથી લોન મળી શકે.
પીએમ મોદીએ કહ્યું કે જે આજે ખેડૂતો માટે રડી રહ્યા છે તે લોકો જ્યારે સરકારમાં હતા ત્યારે શું કર્યું તે દેશના બધા જ ખેડૂતો જાણે જ છે.
જમીન છીનવાઇ જશે તે મુદ્દે આડકતરી રીતે પીએમનો સંદેશ
નોંધનીય છે કે પીએમ મોદીએ વિવિધ ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો અને તેમાં અરુણાચલના એક ખેડૂત સાથે સંવાદ કરતાં તેમને પૂછ્યું કે શું તમે જ્યારે પ્રાઇવેટ કંપનીને આદું વેચો છો ત્યારે તે જમીન તો નથી લઈ જતાં ને ? તે બાદ પીએમ મોદીએ કહ્યું કે તમને વિશ્વાસ છે કે જમીન નહીં જાય પણ દેશમાં કેટલાક લોકો આવા ભ્રમ ફેલાઈ રહ્યા છે કે પ્રાઇવેટ કંપની જમીન પણ લઈ જશે.
મધ્ય પ્રદેશના ખેડૂત સાથે ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જે લોકો આજે ખેડૂત આંદોલન પર બેઠા છે તે પહેલા ગુજરાતમાં પણ વિરોધ કરતાં હતા.
આજે પૂર્વ પીએમ અટલ બિહારીની જન્મ જયંતી છે ત્યારે ઓડિશાના એક ખેડૂત સાથે વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કે અટલજીની સરકારે જ ખેડૂતોને સસ્તામાં લોન આપવાની શરૂઆત કરી હતી જેને અમે આગળ વધારી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે કેટલાક લોકો આજકલ ખેડૂતોની જમીનની ચિંતા કરી રહ્યા છે તે લોકો ત્યારે ક્યાં હતા જ્યારે ખેડૂતોની જમીન લઈ લેવામાં આવતી હતી ? તેમણે કહ્યું કે આજે હવે ખેડૂતોને જમીન અને ઘર માટે દસ્તાવેજ અમે આપી રહ્યા છે.
અહિયાં જુઓ સીધો સંવાદ :
કૃષિમંત્રીએ શું કહ્યું ?
કાર્યક્રમમાં કૃષિમંત્રીએ કહ્યું કે કોરોનાકાળમાં પણ ખૂબ સારું કામ કર્યું છે અને બમ્પર ઉત્પાદન કર્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતો માટે મોદીજીના નેતૃત્વમાં ખૂબ કામો થઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે આ કિસાન સમ્માન યોજનાની મદદથી ઘણા બધા ખેડૂતોને મદદ મળી રહી છે. બીજી વાર સરકાર બન્યા બાદ દેશના બધા જ ખેડૂતોને યોજનાનો લાભ મળી રહ્યો છે અને દેશના બધા જ રાજ્યો આ યોજનાથી જોડાઈ ગયા છે.
તેમણે કહ્યું કે થોડા એવા ખેડૂતો છે જેમના મનમાં ભ્રમ પેદા થયો છે, હું આગ્રહ કરું છું કે તે ખેડૂતો આંદોલનને ત્યાગીને વાર્તા કરવા માટે આવે અને સમાધાન આવી શકે. પીએમ મોદીના આ કાર્યક્રમને આજે કરોડો ખેડૂતો જોડાયા છે.
શું છે આ યોજના ?
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોના ખાતામાં દર ચોથા મહિને બે હજાર રૂપિયા જમા કરે છે અને આમ એક વર્ષમાં ખેડૂતોને છ હજાર રૂપિયાની મદદ કરવામાં આવે છે જે રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જાય છે. આ યોજના વર્ષ 2018માં જ લાગુ કરવામાં આવી હતી અને ત્યારથી જ આ રકમ ખેડૂતોને આપવામાં આવે છે.
ખેડૂતો સાથે પીએમએ કરી ચર્ચા
કોરોના વાયરસના કારણે આ કાર્યક્રમ વીડિયો કૉંફરેન્સીંગના માધ્યમથી કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સૌથી પહેલા નવ કરોડ પરિવારોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવી ને તે બાદ દેશના છ રાજ્યોના વિવિધ ખેડૂતો સાથે સંવાદ શરૂ કર્યો. ખેડૂતોને આ યોજનાથી શું લાભ મળી રહયો છે અને શું યોજનામાં કશું વધારે સુધારા કરવા જેવુ છે તથા ખેડૂતો પોતાનો અનુભવ કહી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
ભાજપે કરી હતી તડામાર તૈયારીઑ
નોંધનીય છે કે જ્યાં એક તરફ અત્યારે એક મહિનાથી ખેડૂતો દિલ્હી અને આસપાસની બોર્ડર પર આંદોલન કરવા બેઠા છે ત્યાં બીજી તરફ પીએમ મોદીએ ખેડૂતો સાથે સંવાદ કરીને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. આજે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી પણ છે અને એવામાં કેન્દ્ર સરકાર અને ભાજપે કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી.
વિવિધ મંત્રીઑ અને કાર્યકર્તાઑને અપાઈ હતી ડ્યુટી
દેશના અનેક વિસ્તારોમાં પીએમ મોદીના સંબોધન માટે મંત્રીઓ અને સાંસદોની ડ્યુટી લગાવાઈ હતી. ભાજપે આ કાર્યક્રમ માટે કિસાન ચૌપાલ આયોજિત કરવાનો પ્લાન બનાવ્યો હતો અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કાર્યકર્તાઓને તેમાં સામેલ થવા કહ્યું હતું. એક તરફ જ્યાં ખેડૂત આંદોલનના કારણે સરકારનું ટેન્શન વધી રહ્યું છે ત્યારે બીજી તરફ સરકારે ખેડૂતો સુધી સરકારની વિવિધ યોજનાઑને પહોંચાડવા માટે કમર કસી લીધી છે.