જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ખાસ આ વાંચજો. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન પણ પોસ્ટ ઓફિસની આ યોજનાઓમાં રોકાણ કરે છે.
પોસ્ટ ઑફીસની શાનદાર સ્કીમમાં કરો રોકાણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સ્કીમમાં કરે છે ઇનવેસ્ટ
આ યોજના વિશે જાણો વિગતે માહીતી
ડેટા અનુસાર, જૂન 2020માં તેમણે NSCમાં 8 લાખ 43 હજાર 124 રૂપિયાનું રોકાણ કર્યું છે. જીવન વીમા માટે તેણે 1 લાખ 50 હજાર 957 રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવ્યું હતું.
જોખમ નહિવત
અમે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ વિશે વાત કરી રહ્યા છીએ. આ યોજનામાં રોકાણમાં સામેલ જોખમ નહિવત છે. આ પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાનો એક ભાગ છે.
કેવી રીતે રોકાણ કરવું?
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટનો લઘુત્તમ લોક-ઇન સમયગાળો પાંચ વર્ષનો હોય છે. આનો અર્થ એ છે કે તમે રોકાણના પાંચ વર્ષ પછી જ તેને પાછી ખેંચી શકશો. એનએસસીમાં ત્રણ રીતે રોકાણ કરી શકાય છે.
સિંગલ ટાઈપ
આ પ્રકારમાં તમે તમારા માટે અથવા સગીર માટે રોકાણ કરી શકો છો.
જોઈન્ટ એ ટાઇપ
આ પ્રકારનું પ્રમાણપત્ર કોઈપણ બે લોકો એકસાથે લઈ શકે છે એટલે કે બે લોકો એકસાથે રોકાણ કરી શકે છે.
જોઈન્ટ બી ટાઇપ
આમાં બે લોકો રોકાણ કરે છે, પરંતુ પાકતી મુદત પર, પૈસા ફક્ત એક જ રોકાણકારને આપવામાં આવે છે.
તમે કેટલું રોકાણ કરી શકો છો?
આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં હાલમાં 6.8% વ્યાજ દર છે. તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા રૂ. 1,000નું રોકાણ કરી શકો છો અને 100ના ગુણાંકમાં નાણાંનું રોકાણ કરી શકો છો. જો કે, આમાં રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી.
આવકવેરામાં છૂટ પણ મળશે
જો તમે પણ NSCમાં રોકાણ કરો છો, તો તમને આવકવેરાની કલમ 80C હેઠળ દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરીને પણ ટેક્સમાં છૂટ મળશે. કરપાત્ર આવકના કિસ્સામાં, રકમ કુલ આવકમાંથી બાદ કરવામાં આવે છે.