આજે ખેડૂત આંદોલનનો 70 મો દિવસ છે. કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલન મુદ્દે ચિંતિત છે. બુધવારે વડાપ્રધાન મોદીએ સંસદના હોલમાં અમિત શાહ અને કૃષિ મંત્રી તોમર સાથે બેઠક કરીને આ મુદ્દે ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદી કહી ચૂક્યા છે તે ખેડૂતો અને સરકાર વચ્ચે એક ફોન કોલ જેટલું છેટું છે.
ખેડૂતો ગમે ત્યારે સરકારને વાતચીત માટે જણાવી શકે છે. વાતચીતના તમામ માર્ગ ખુલ્લા છે.
દેશમાં ખેડૂત આંદોલનને લઈને વડાપ્રધાન મોદીએ સંસદમા એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર હાજર રહ્યાં હતા. બેઠકમાં વડાપ્રધાને ખેડૂત આંદોલન અને કોરોના મુદ્દે ચર્ચા કરી હોવાનું જણાવાઈ રહ્યું છે.
વડાપ્રધાન મોદી કહી ચૂક્યા છે તે ખેડૂતો અને સરકાર વચ્ચે એક ફોન કોલ જેટલું છેટું છે. ખેડૂતો ગમે ત્યારે સરકારને વાતચીત માટે જણાવી શકે છે. વાતચીતના તમામ માર્ગ ખુલ્લા છે.