કાશ્મીરમાં વધતા આતંકીઓના ત્રાસને લઈને PM મોદીએ NSA અજીત ડોભાલ સાથે હાઈ લેવલ બેઠક કરી છે. તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. સાથેજ એવી પણ માહિતી સામે આવી છે કે આ બેઠકમાં આતંકીઓ સામે મોટો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
PM મોદીએ અજીત ડોભાલ સાથે કરી હાઈ લેવલ મીટીંગ
કાશ્મીરમાં આતંકીઓ સામે લેવાશે મોટું એકશન
કાશ્મીરની સરહદો પાસે વધારે સુરક્ષા ગોઠવાશે
કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકી પ્રવૃત્તીઓ વધી ગઈ છે. છેલ્લા 10 દિવસમાં આતંકીઓએ કાશ્મીરમાં સામાન્ય નાગરીકોની તેમજ સેનાના 5 જવાનોની હત્યા કરી છે. જેને લઈને સમગ્ર દેશમાં હાલ કાશ્મીર ચર્ચાનો મુદ્દો બન ગયો છે. આ આતંકી ઘટનાઓ પાછળ પાકિસ્તાનનો રોલ પણ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે PM મોદીએ મોટું પગલું લીધી છે.
આતંકીઓ સામે મોટો એક્શન પ્લાન તૈયાર
કાશ્મીરમાં વધી રહેલા આતંકને જોતા PM મોદીએ અજીત ડોભાલ સાથે હાઈ લેવલ બેઠક કરી હોવાની સૂત્રો દ્વારા માહિતા સામે આવી છે. આ બેઠકમાં આતંકીઓ સામે મોટો એક્શન પ્લાન લેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આતંકીઓ સામે લેવાશે એકશન
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વડાપ્રધાન મોદી અને અજીત ડોભાલ વચ્ચે આ બેઠક કાશ્મીરની સરહદો પાસે આવેલા વિસ્તારોને લઈને થઈ છે. જેમા NSA અજીત ડોભાલ PM મોદીને સમગ્ર માહિતી આપશે. બેઠકમાં શું વાતચીત થઈ છે તે મામલે હજું કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ કાશ્મીરમાં આતંકીઓ સામે હવે જરૂરથી એક્શન લેવામાં આવશે તે નક્કી છે.
24 કલાકમાં 6 આતંકીઓ ઠાર
આપને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં સેનાએ 6 આતંકીઓને ઠાર કર્યા છે. જે પૈકી અમુક આતંકીઓએ તો સામાન્ય નાગરીકોની પણ હત્યા કરી હતી. આતંકીઓએ સેનાના 5 જવાનોની હત્યા કર્યા બાદ હવે સેના પણ એકશન મોડમાં આવી ગઈ છે.