પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તત્કાલીન પીએમ મનમોહન સિંહને મૌન મોહન કહેતા હતા. જોકે હવે પીએમ મોદીએ સંસદને કેટલીવાર સંબોધિત કરી તેના પર અહેવાલ સામે આવ્યો છે.
છ વર્ષમાં સંસદમાં પીએમ મોદીએ 22 વાર કર્યું સંબોધન
દસ વર્ષના કાર્યકાળમાં મનમોહન સિંહે 48 વાર કર્યું સંબોધન
માત્ર બે વર્ષ સુધી પદ પર રહેનાર એચડી દેવગૌડાએ પીએમ મોદી કરતા વધારે સંબોધન કર્યું
શું છે અહેવાલ ?
પીએમ મોદી દ્વારા સંસદમાં સંબોધનને લઈને એક અહેવાલ સામે આવ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર પીએમ મોદીએ છ વર્ષના કાર્યકાળમાં સંસદને માત્ર 22 વાર જ સંબોધિત કરી છે. અહી ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દસ વર્ષના કાર્યકાળમાં સંસદને 48 વાર સંબોધિત કરી છે.
સંસદ નહીં સીધા જ સંવાદમાં વિશ્વાસ રાખે છે મોદી ?
આ અહેવાલ અનુસાર છ વર્ષના કાર્યકાળમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 77 વાર સંસદમાં પોતાનું સંબોધન કર્યું હતું જ્યારે માત્ર બે વર્ષ સુધી પદ પર રહેનાર એચ ડી દેવગૌડાએ પણ પીએમ મોદી કરતા વધારે વખત સંસદમાં સંબોધન કર્યું છે.
સોશ્યલ મીડિયા અને મન કી બાતથી સંવાદ
જોકે લોકો સાથે સીધા સંવાદ કરવાના મામલે નરેન્દ્ર મોદી આગળ છે. વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી અને મન કી બાત કાર્યક્રમ દ્વારા પીએમ મોદી જનતા સાથે સીધો સંવાદ કરે છે. પીએમ મોદી પોતે પણ સીધા જ સંવાદમાં વધારે વિશ્વાસ રાખે છે.