AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ચીન અને અફઘાનિસ્તાનના મુદ્દા પર પ્રાધનમંત્રી નરેન્દ્વ મોદી પર સીધું નિશાન સાધ્યું હતું.
એક બાજુ પીએમ બાયકોટ ચાઈનાની વાતો કરે છે
તો બીજી બાજુ વ્યાપાર કરવાનું પ્રોત્સાહન આપે છે
એક પછી એક બે ટ્વીટ કરીને મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ચીન અને અફઘાનિસ્તાનના મુદ્દા પર પ્રાધનમંત્રી નરેન્દ્વ મોદી પર સીધું નિશાન તાકતાં જણાવ્યું હતું કે, એક બાજુ પીએમ મોદી બોયકોટ ચાઈનાની વાતો કરે છે. તો બીજી બાજુ જાતે જ ચાઈના સાથે વ્યાપાર કરવાનું પ્રોત્સાહન આપે છે. તેમ કહી તેમણે એક પછી એક બે ટ્વીટ કરીને મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે.
On China, Modi's spokies demanded China's economic boycott & called Indians "chinese agents". But reality is that Modi's trade with China has increased while it decreased with other countries. Modi is too afraid to take China's name even as China occupies Indian territory 1/2
On Afghanistan, Modi's spokies ask their opponents to "go to Afghanistan" & call everyone "Talibani". But Modi's the only one to have gone to Afghanistan & spent $3 billion. He has not listed Taliban as a terrorist organisation. Modi has still not uttered the word "Taliban". 2/2
ચીનના મુદ્દે વાત કરતા તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ચીન પર, મોદીના પ્રવક્તાએ ચીનના આર્થિક બહિષ્કારની માંગણી કરી અને ભારતીયોને ચીની એજન્ટ કહ્યા. પરંતુ વાસ્તવિકતા એ છે કે ચીન સાથે મોદીનો વેપાર વધ્યો છે.જ્યારે અન્ય દેશો સાથે તે ઘટી ગયો છે. મોદી ચીનનું નામ લેતા પણ ડરે છે, જ્યારે ચીને ભારતીય પ્રદેશ પર કબજો કરી લીધો. અફઘાનિસ્તાન પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મોદીના પ્રવક્તા તેમના વિરોધીઓને કહે છે કે અફઘાનિસ્તાન જાઓ અને દરેકને તાલિબાન કહો. પરંતુ મોદી જ અફઘાનિસ્તાન ગયા છે અને 3 અબજ ડોલર ખર્ચ્યા છે. તેણે તાલિબાનને આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કર્યું નથી. મોદીએ હજુ સુધી તાલિબાન શબ્દ પણ બોલ્યો નથી
હાલ અફઘાનિસ્તાનની સ્થિતિ અત્યતંત ગંભીર છે
કાબુલ, અફઘાનિસ્તાનની સ્થિતિ આ સમયે ખૂબ જ નાજુક છે. હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલા વિસ્તારમાં અનેક રોકેટ નીચે આવ્યા છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાંથી ખસી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ રોકેટ હુમલાની માહિતી આપી છે. સોમવારે સવારે કાબુલના સલીમ કાફલા વિસ્તારમાં રોકેટ ઉતર્યા હતા. વિસ્ફોટો પછી તરત જ ગોળીબારનો અવાજ સંભળાયો હતો, પરંતુ તે તરત જ સ્પષ્ટ થઈ શક્યું ન હતું કે ગોળીબાર કોણે કર્યો.મહત્વનું છે કે, રવિવારે, યુએસએ રાજધાનીમાં વિસ્ફોટકોથી ભરેલા વાહનને ડ્રોનથી ઉડાવી દીધું. તેના એક દિવસ બાદ આ હુમલો થયો.