અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિના નિર્માણ કાર્ય શરુ થાય તે પહેલા જ ભાજપ નેતાએ પીએમ મોદી પર હુમલા કર્યા છે. પીએમ મોદી ભૂમિપૂજન કરે તે પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે રામમંદિર નિર્માણમાં પીએમ મોદીનું કોઈ યોગદાન જ નથી.
પીએમ મોદીનું તો કોઈ યોગદાન નથી, બધી દલીલ તો અમે કરી :સ્વામી
સરકાર તરફથી એવું કોઈ કામ નથી કર્યું કે જેનાથી નિર્ણય આવ્યું છે
રાજીવ ગાંધીએ વાસ્તવમાં કામ કર્યું છે : સુબ્રમણ્યમ સ્વામી
આગામી પાંચ ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામમંદિર પૂજન કરવામાં આવવાનું છે. ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે અયોધ્યામાં શિલાન્યાસ કરવામાં આવશે. આ પહેલા જ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નિવેદન આપ્યું છે કે રામ મંદિર નિર્માણમાં પીએમ મોદીનું કોઈ યોગદાન નથી. તેમણે વધુમાં કહ્યું કે પાંચ વર્ષથી રામ સેતુની ફાઈલ તેમના ટેબલ પર પડી છે.
એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે રામ મંદિર ભૂમિપૂજનમાં કોને કોને બોલાવવા જોઈએ ? ત્યારે સ્વામીએ જવાબ આપ્યો કે રામ મંદિરમાં પીએમ મોદીનું તો કોઈ યોગદાન જ નથી. બધી દલીલો તો અમે કરી. જ્યાં સુધી મને ખબર છે સરકાર તરફથી તેમણે એવું કોઈ કામ કરવામાં નથી આવ્યું જેનાથી કહી શકાય કે આ નિર્ણય આવ્યો છે.
સ્વામીએ કહ્યું કે 'જે લોકોએ કામ કર્યું તેમાં રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ અને અશોક સિંહલનું નામ આવે છે.'તેમણે વધુમાં કહ્યું કે વાજપેયીએ આ કાર્યમાં અવરોધ નાખ્યો હતો અને અશોક સિંહલે તેમને આ વાત કહી હતી.
સ્વામીએ રામ સેતુ મુદ્દે તેમણે કહ્યું કે રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવા માટેની ફાઈલ તેમના ટેબલ પર પી છે અને પાંચ વર્ષથી તેના પર તે સહી નથી કરતા. સ્વામીએ કહ્યું કે કોર્ટ જઈને પણ અમે આદેશ લાવી શકું છું પણ મને ખરાબ લાગે કે અમારી પાર્ટી છે તોય કોર્ટ જઈને મંજૂરી લેવી પડે.