WHOના જણાવ્યા પ્રમાણે દુનિયામાં કેટલાક ભાગોમાં હાલત સુધરવાને બદલે વધુ ખરાબ થઈ રહી છે. વિશ્વ હવે ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યું છે.
વિશ્વ હવે ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યું છે
દેશની સમગ્ર જનતાને સતર્ક રહેવાનો આદેશ
PM મોદીએ કહ્યું દેશમાં ત્રીજી લહેર ન આવવી જોઈએ
નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલને નિર્દેશ આપતા જણાવ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વાત ચિંતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં દુનિયમાં ચાલી રહેલી વર્તમાન સ્થિતિઓ પર પણ ભાર મુક્યો છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે પૉલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલને ટાંકતા કહ્યું કે WHOના જણાવ્યા પ્રમાણે દુનિયામાં કેટલાક ભાગોમાં હાલત સુધરવાને બદલે વધુ ખરાબ થઈ રહી છે. વિશ્વ હવે ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યું છે.
દેશમાં ત્રીજી લહેર ન આવવી જોઈએ.
ડૉ. વી.કે પૉલે વધુમાં કહ્યું કે વડાપ્રધાન અમને ચેતવણી આપતા કહ્યું છે કે સજાગતા અને સતર્કતા જરૂરી છે. સ્પનેમાં દર મહિનામાં સામે આવનાર કેસમાં 64 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. યુરોપ અને નેધરલેન્ડમાં પણ આ મહિનામાં કોરોનાના 300થી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે વડાપ્રધાન મોદીએ અમને ટાર્ગેટ આપ્યો છે કે દેશમાં ત્રીજી લહેર ન આવવી જોઈએ.
દેશની સમગ્ર જનતાને સતર્ક રહેવાનો આદેશ
કેન્દ્રમાં કોરોના વાયરસ મહામારી પર ફરીથી દેશની સમગ્ર જનતાને સતર્ક રહેવાનું કહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે આવનાર 100-125 દિવસ દેશવાસીઓ માટે એકદમ મહત્વના છે. તમને જણાવી દઈએ કે PM મોદીએ પણ લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. કેન્દ્રએ કહ્યું કે દેશમાં કોરોનાના કેસો ભલે ઘટયા હોય પણ ત્રીજી લહેરને લઈને મળી રહી ચેતવણીને ધ્યાનમાં રાખવાની જરૂર છે.
100-125 દિવસ દેશવાસીઓ માટે એકદમ મહત્વના
નીતિ આયોગના સભ્યો ડૉક્ટર વી કે પોલે કહ્યું "કોરોનાની ત્રીજી લહેરની વાત એટલા માટે થઈ રહી છે કારણકે આપણે હર્ડ ઇમ્યુનિટી પર પહોંચ્યા નથી. ભારતમાં હજી પણ સંક્રમણનો ખતરો ગયો નથી. અમે સંક્રમણથી હર્ડ ઇમ્યુનિટી સુધી પહોંચવા માંગીએ છીએ. આ માટે આપણે બધા જ લોકોએ સતર્ક રહેવું જોઈએ અને દરેક લોકોએ આ જવાબદારી સમજવી પડશે, સાથે જ તેનું પાલન પણ કરવું પડશે.
નીતિ આયોગના સભ્યો ડૉક્ટર વી કે પોલે કરી આગાહી
AIIMS ના નિર્દેશક ડૉક્ટર રણદીપ ગુલેરીયાએ ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈ લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપી છે. તેમણે કહ્યું કે જો બધા જ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા તો હવે પછીની ત્રીજી લહેર બીજી લહેર કરતાં પણ વધુ ભયાનક હશે. તેમણે કહ્યું કે લોકોમાં ઇમ્યુનિટી ઓછી હોવી અને લોકડાઉન પરથી પ્રતિબંધ હટાવી લેવોએ ત્રીજી લહેરનું કારણ બની શકે.