ગુજરાતના કચ્છમાં માતા આશાપુરાનું મંદિર છે. જ્યાં દેવી માં ને અન્નપૂર્ણાનો અવતાર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે અહીંયા જે પણ ઇચ્છાઓ માગવામાં આવે છે બધી પૂરી થઇ જાય છે.
કદાચ એટલે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત પહેલા આ મંદિરમાં શિશ ઝુંકાવ્યું હતું અને જુઓ કે માતા રાણીના આશીર્વાદથી તેઓ પીએમ બની પણ ગયા.
ગુજરાતની ધરતી પર મંદિરો અને ધામોનું ખાસ મહત્વ છે
આશાપુરાને કચ્છના કુળદેવી માનવામાં આવે છે અને મોટી સંખ્યામાં વિસ્તારના લોકોની એમનામાં આસ્થા છે. આશાપુરા માતાને ઘણા સમુદાયો દ્વારા કુળદેવાની રૂપમાં માનવામાં આવે છે અને મુખ્યત્વે નવાનગર રાજકોટ મોરબી ગોંડલ બારિયા રાજ્યના શાસક વંશ ચૌહાણ જાડેજા રાજપૂત કચ્છની કુળદેવતા છે. ગુજરાતમાં આશાપુરાનું મંદિર કચ્છમાં માતાના મઢથી 95 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં કચ્છના ગોસર અને પોલાદિયા સમુદાયના લોકો પણ આશાપુરા માચાને પોતાના કુળદેવતા માને છે.
આ મંદિરનું નિર્માણ જાડેજા સામ્રાજ્યના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. આશાપુરા દેવી માં ને અન્નપૂર્ણા દેવીના અવતાર પણ માનવામાં આવે છે. આશાપુરા દેવી મા પ્રત્યે શ્રદ્ધાળુઓને ગાઢ આસ્થા છે. એવી માન્યતા છે કે આશાપુરા દેવી માં થી જો પણ ઇચ્છા માગો એ જરૂર પૂરી થાય છે.
ખૂબ જ પ્રાચીન આ મંદિરને કેટલીક વખત ભૂકંપથી નુકસાન થઇ ગયું છે. પહેલી વખત 1819માં અને બીજી વખત 20014માં આવેલા ભૂકંપથી મંદિર અસરગ્રસ્ત થઇ ગયું હતું. મંદિરની અંદર 6 ફીટ ઊંચી લાલ રંગની આશાપુરા માતાની મૂર્તિ છે.
આશાપુરા માતાની મૂર્તિની ખાસ વાત એ છે કે એમની 7 જોડી આંખો છે. રાજસ્થાનમાં પોખણ માદેરા અને નાડોલમાં આશાપુરાનું મંદિર છે. આ મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનું મોટું કેન્દ્ર છે.
ગુજરાતના રાજકારણમાં આ ધામોનું કેટલું મહત્વ છે એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે નરેન્દ્ર મોદી જ્યાં સુધી મુખ્યમંત્રી રહ્યા એ દરેક ચૂંટણીમાં ખોડલધામ માતાની સામે શિશ ઝુકાવવા જતા હતા. બીજી બાજુ રાહુલ ગાંધી દ્વારાકાધીશ મંદિરથી લઇને ગાંધીનગરના અક્ષરધામ મંદિર સુધી જઇ શક્યા છે. ચૂંટણી અભિયાન દરમિયાન મોટાભાગે નેતાઓને ભગવાનની યાદ આવી જ જાય છે.